હોમપેજન્યૂઝ રિપોર્ટભગવાન ભરોસે વિરાટ કોહલી, હિન્દુઓને વખોડતો ક્રિકેટર પ્રદર્શન બગડતાજ ભજન-કીર્તન કરતો જોવા...

ભગવાન ભરોસે વિરાટ કોહલી, હિન્દુઓને વખોડતો ક્રિકેટર પ્રદર્શન બગડતાજ ભજન-કીર્તન કરતો જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે હિંદુઓને જ્ઞાન આપવા માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણી વખત ઝપેટમાં આવી ચુક્યા છે.

- Advertisement -

ભગવાન ભરોસે વિરાટ કોહલી, એવું લાગે છે કે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને હવે માત્ર ‘ભગવાન’નોજ સહારો છે. એટલેજ તેઓ પત્ની અનુષ્કા શર્મા સાથે ભજન-કીર્તનના કાર્યક્રમમાં હાજરી આપવા લંડન પહોંચ્યા હતા. નવેમ્બર 2019 થી, વિરાટ કોહલીએ લગભગ છેલ્લા અઢી વર્ષથી ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી નથી. વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ તેનું બેટ કોઈ કમાલ દેખાડી શક્યું નથી. હવે માત્ર ભગવાન ભરોસે વિરાટ કોહલી હોય તેવું જણાઈ રહ્યું છે.

આ પ્રવાસમાં તેની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ છે. ટીમ ઈન્ડિયા હાલમાં ત્યાં ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે, જે એક-એકથી બરાબરી પર છે. આ કાર્યક્રમનું આયોજન અમેરિકન સિંગર કૃષ્ણા દાસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિરાટ અને અનુષ્કા ભજન-કીર્તનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પ્રખ્યાત ગાયક કૃષ્ણ દાસના એક અગ્રણી શિષ્યએ આ સેલિબ્રિટી કપલ સાથેની તસવીરો શેર કરી હતી, જેના પછી સોશિયલ મીડિયા પર લોકોને તેની ખબર પડી હતી.

હનુમાન દાસ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ પરથી જણાઈ આવે છે કે આ કાર્યક્રમ 14-15 જુલાઈના રોજ યુનિયન ચાપેલ, લંડનમાં યોજાયો હતો. નોંધનીય છે કે ફેબ્રુઆરી 2022 થી વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં એક પણ અડધી સદી ફટકારી નથી. તેણે છેલ્લી સદી પણ નવેમ્બર 2019માં નબળી ટીમ બાંગ્લાદેશ સામે ફટકારી હતી. ઘણા દિગ્ગજોએ તેની ટીકા કરી છે ત્યારે, ઘણા લોકો તેના ફરી ફોર્મમાં આવવાની આશા રાખી રહ્યા છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે હિંદુઓને જ્ઞાન આપવા માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણી વખત ઝપેટમાં આવી ચુક્યા છે. હાલમાં જ વેંકટેશ પ્રસાદે કહ્યું હતું કે “કોઈ ખેલાડી ફોર્મમાં ના હોય તો તેણે ડ્રોપ નથી કરાતો, તેણે આરામ આરામ આપવામાં આવે છે. વેંકટેશે ભૂતપૂર્વ ખેલાડીઓનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કેવી રીતે તેમને પહેલા ખરાબ ફોર્મના કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. અગાઉ કપિલ દેવે વિરાટ કોહલીને ટીમમાંથી બહાર ન કરવા સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે “જ્યારે રવિચંદ્રન અશ્વિનને ટેસ્ટના પ્લેઇંગ 11માંથી બહાર કરી શકાય છે તો વિરાટ કોહલીને કેમ નહીં?”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં