પાકિસ્તાનમાં (Pakistan Hunger and Gas Crisis) ખાદ્ય પદાર્થો અને ઇંધણના ભાવ આકાશને આંબી રહ્યા છે. ભૂખમરો, ખોરાકનો અભાવ અને ગેસની અછતને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને કરાચીમાં (Karachi), પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. રમઝાન (Ramzan/Ramdan) મહિનામાં પણ લોકોને રાહત મળી રહી નથી. સરકારે લોટ અને બ્રેડના ભાવ નક્કી કર્યા હતા, પરંતુ આ વસ્તુઓ બજારમાં નિર્ધારિત ભાવ કરતા વધુ ભાવે વેચાઈ રહી છે.
રોટલી અને લોટના ભાવ પણ નક્કી કરી રહી છે સરકાર
રમઝાન દરમિયાન પણ પાકિસ્તાનમાં દરરોજ લોટ અને બ્રેડના ભાવ નક્કી કરવા પડે છે. આ સંદર્ભમાં, કરાચી કમિશનર સૈયદ હસન નકવીએ એક જાહેરનામું બહાર પાડીને લોટના ભાવ નક્કી કર્યા. નંબર 2.5ના લોટનો જથ્થાબંધ ભાવ 83 PKR પ્રતિ કિલો અને છૂટક ભાવ 87 PKR પ્રતિ કિલો નક્કી કરવામાં આવ્યો હતો. ફાઇન લોટનો ભાવ જથ્થાબંધ બજારમાં 88 PKR પ્રતિ કિલો અને છૂટક બજારમાં 92 PKR પ્રતિ કિલો હતો.
Pakistan Ramdan Crisis: आटा-चावल-सब्जियों को तरसे पाकिस्तानी, इफ्तारी का भी नहीं हो रहा है जुगाड़ #pakistanramdan #ramdanmubarak #pakistaneconomycrisis #shehbazsharif #breakingnews #indianewstv #hindinews@sumitjha86 pic.twitter.com/cyAKzMCYQr
— India News (@NetworkItv) March 2, 2025
જ્યારે ઘંટીના લોટનો ભાવ 100 PKR પ્રતિ કિલો નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ બજારમાં બારીક લોટ 90થી 100 PKR અને મિલનો લોટ 110થી 115 PKR પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. 100 ગ્રામ રોટલીની કિંમત 10 PKR અને 120 ગ્રામ નાનની કિંમત 15 PKR નક્કી કરવામાં આવી હતી, પરંતુ લોકોને 18-20 PKRમાં ચપાટી અને 25-28 PKRમાં નાન ખરીદવાની ફરજ પડી રહી છે.
રમઝાન દરમિયાન રાહત આપવા માટે, કમિશનરે કરિયાણાની વસ્તુઓના ભાવ પણ નક્કી કર્યા અને દરરોજ સવારે નવી ભાવ યાદી બહાર પાડવાની જાહેરાત કરી. ફરિયાદો માટે એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવ્યો છે અને દુકાનદારોને કડક સૂચના આપવામાં આવી છે કે નિર્ધારિત કિંમત કરતાં વધુ કિંમત વસૂલવા પર દંડ અને ધરપકડ થશે. પરંતુ પરિસ્થિતિમાં સુધારો થતો નથી થઈ રહ્યો.
ગેસની અછત, પીએમને કરવી પડી દરમિયાનગીરી
એક તરફ ખાદ્ય ચીજવસ્તુઓની તીવ્ર અછત છે, તો બીજી તરફ, પાકિસ્તાનીઓ ગેસની અછતથી પણ પરેશાન છે. સહરી અને ઇફ્તાર સમયે ગેસ મળી રહ્યો નથી, જેના કારણે રસોઈ બનાવવી મુશ્કેલ બની ગઈ છે. કરાચીના ઘણા વિસ્તારો જેમ કે લિયાકતાબાદ, ઉત્તર નાઝીમાબાદ અને ગુલશન-એ-ઇકબાલમાં લોકો ગેસ કાપને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
આ વાતની નોંધ લેતા, વડાપ્રધાન શાહબાઝ શરીફે ગેસ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સહરી-ઇફ્તાર દરમિયાન ગેસ સપ્લાય વધારવાનો આદેશ આપ્યો હતો. સુઈ સદર્ન ગેસ કંપનીએ ગેસનું પ્રેશર 10% વધારવાનું અને કંટ્રોલ રૂમ બનાવવાનું વચન આપ્યું હતું. છતાં, લોકો ફરિયાદ કરી રહ્યા છે કે પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નથી. ગેસ કંપની કહે છે કે 95% વિસ્તારોમાં પુરવઠો બરાબર છે, પરંતુ બાકીના 5 % વિસ્તારોમાં સમસ્યાઓ છે.