Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેશ ફરકાવી રહ્યો છે તિરંગા, ત્યારે યુપીના એક ઘર પર ફરકાવાયો પાકિસ્તાનનો...

    દેશ ફરકાવી રહ્યો છે તિરંગા, ત્યારે યુપીના એક ઘર પર ફરકાવાયો પાકિસ્તાનનો ઝંડો: સ્થાનિકોમાં આક્રોશ, આરોપી સલમાનની ધરપકડ

    યુપીના કુશીનગરમાં એક ઘરે પાકિસ્તાનનો ઝંડો ફરકાવવામાં આવતાં પોલીસે એક યુવકની ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    એક તરફ દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ લોકો પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લગાવીને 75મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યાં બીજી તરફ યુપીના કુશીનગરમાં એક મુસ્લિમ યુવકે ઘર પર પાકિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો. જેના ફોટા-વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકોએ પોલીસને પણ જાણ કરી હતી. 

    ઉત્તર પ્રદેશના કુશીનગરના તરયાસુજાણ પોલીસ મથકના બેન્દુપર મુસ્તકિલ ગામમાં એક સલમાન નામના યુવકે ઘર પર અગાસીએ પાકિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો. જેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાઈટલ થઇ ગયા હતા. રિપોર્ટ અનુસાર, લોકોએ તેને આમ કરવાની ના પાડી હતી પરંતુ તેમ છતાં સલમાન ન માન્યો અને ઘરે પાકિસ્તાનનો ઝંડો લગાવી દીધો હતો. 

    આ બાબતની જાણ સ્થાનિક લોકોને થતાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે તાત્કાલિક આ બાબતની જાણ સ્થાનિક પોલીસ અધિકારીઓને કરી હતી. જે બાદ પોલીસ અધિકારીઓએ સલમાનના ઘરે પહોંચીને ઝંડો ઉતારી લેવડાવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. 

    - Advertisement -

    આ મામલે સ્થાનિક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, એક ઘરે પાકિસ્તાનનો ઝંડો લગાવવાનું સામે આવ્યા બાદ તાત્કાલિક યુવકના ઘરે પહોંચીને પાકિસ્તાનનો ઝંડો ઉતારીને તેની સામે કેસ દાખલ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે યુવકની ધરપકડ પણ કરી લીધી છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ દોષી હશે તેને છોડવામાં આવશે નહીં. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નવસારીમાંથી પણ આવો જ એક કેસ સામે આવ્યો હતો. જ્યાં મહોરમના દિવસે એક મુસ્લિમ સગીરે પોતાના ઇન્સ્ટાગ્રામ ડીપીમાં પાકિસ્તાનનો ઝંડો લગાવી દીધો હતો. જેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સગીર અને તેના પિતાને કચેરીએ બોલાવ્યા હતા. જ્યાં તેના પિતાએ તેમના પુત્રથી ભૂલથી ઝંડો મૂકાઈ ગયો હોવાનું કહીને માફીનામું લખી આપ્યું હતું. જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. 

    દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોઈ દેશ ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે. આગામી 15 તારીખે દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પ્રસંગે દેશના નાગરિકોને પણ ઉજવણીમાં સહભાગી થવાનું આહવાન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પોતાના સોશિયલ મીડિયા ડીપીમાં ભારતીય રાષ્ટ્રધ્વજ મૂકવાની તેમજ દરેક ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી. 

    પીએમની અપીલ બાદ લોકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને ઘરે-ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યા છે. તેમજ લોકો સોશિયલ મીડિયા પર પણ ડીપી બદલીને ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. જોકે, વચ્ચે આવા અસામાજિક તત્વો દ્વારા આવા કૃત્યો પણ થવાના બનાવ બન્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં