Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆજીવન કેદની સજા કાપતા ગોધરાકાંડના ગુનેગાર અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદના જામીનની મુદત...

    આજીવન કેદની સજા કાપતા ગોધરાકાંડના ગુનેગાર અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદના જામીનની મુદત સુપ્રીમ કોર્ટે લંબાવી

    મજિદને ગોધરા ખાતે ટ્રેનમાં આગ ઓલવવા આવેલા ફાયર ફાઇટર પર પથ્થરમારો કરીને અને ફાયર ફાઇટિંગ વાહનને મોટું નુકસાન કરીને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ગોધરામાં મહિલાઓ અને બાળકો સહિત 59 કારસેવકોને ટ્રેનમાં જીવતા સળગાવનારા આરોપી અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદના જામીન લંબાવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પારિવારિક તકલીફોનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2007માં ગોધરા કાંડને અંજામ આપનાર અને આજીવન કારાવાસના કેદી એવા ગોધરા કાંડના ગુનેગારના જામીન લંબાવ્યા હતા.

    અહેવાલ મુજબ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી અને જેબી પારડીવાલાની બેન્ચે સુનાવણી કરતાં નોંધ્યું હતું કે, મજીદની પત્નીની ગંભીર બીમારી અને પુત્રીઓ વિશેષ રૂપે અક્ષમ હોવાના કારણે 13 મે, 2022ના રોજના અગાઉના આદેશના આધારે ગોધરા કાંડના ગુનેગારના જામીન લંબાવ્યા છે.

    આરોપી મજિદ તરફથી હાજર રહેલા વકીલ સંજય હેગડેએ કોર્ટને માહિતી આપી હતી કે તે 20 વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યો છે અને તેની અપીલ આ કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં હજુ થોડો સમય લાગવાની શક્યતા છે. 9 ઓક્ટોબર, 2017ના ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે મજીદની અપીલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે જેનો ચુકાદો હજુ બાકી છે.

    - Advertisement -

    એક્સ્ટેંશનની માંગણી કરતી અરજી મુજબ માજિદની પત્નીને અંડાશયના કેન્સરનું નિદાન થયું છે અને તે 2019 થી સારવાર હેઠળ છે. વધુમાં આરોપીની બે પુત્રીઓ જન્મથી જ માનસિક વિકલાંગ છે જેના કારણે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

    અહેવાલો અનુસાર મજિદને ગોધરા ખાતે ટ્રેનમાં આગ ઓલવવા આવેલા ફાયર ફાઇટર પર પથ્થરમારો કરીને અને ફાયર ફાઇટિંગ વાહનને મોટું નુકસાન કરીને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. જે બદલ ગુજરાત હાઈકોર્ટના આદેશમાં તેને દોષિત ઠરાવવામાં આવ્યો હતો. મજિદે હાજી બિલાલ અને અન્યોએ સાથે મળીને ફાયર બ્રિગેડના જવાનો પર પથ્થરમારો કર્યો હતો અને સ્ટાફને ઈજાઓ પહોંચાડી હતી અને તેમની ફરજ બજાવવામાં અવરોધ ઉભો કર્યો હતો. જ્યારે કોચ નં. S6માં પેટ્રોલ છાંટીને મહિલાઓ અને બાળકો સહિતના લોકોને જીવતા સળગાવી દીધા હતા.

    ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ઉપર અયોધ્યા રામમંદિરની કારસેવા કરીને પરત ફરેલા હિંદુ કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં પૂર્વનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત 59 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં