Saturday, April 27, 2024
More
    હોમપેજદેશ2002 ગોધરાકાંડ બાદના રમખાણોમાં બનાવતી પુરાવાઓ રજૂ કરવાના કેસમાં એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડને...

    2002 ગોધરાકાંડ બાદના રમખાણોમાં બનાવતી પુરાવાઓ રજૂ કરવાના કેસમાં એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડને નિયમિત જામીન મળ્યા: સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને રદ કર્યો

    કોર્ટે વધુમાં નિર્દેશ આપ્યો કે તેના જામીન દરમિયાન સેતલવાડનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા રહેશે. તે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ કરશે નહીં અને મોટાભાગે ગુજરાતમાં રહેતા સાક્ષીઓથી દૂર રહેશે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે બુધવારે 2002 ના ગુજરાત રમખાણોના કેસોમાં બનાવટી પુરાવાઓ માટેની FIRના સંબંધમાં તિસ્તા સેતલવાડને નિયમિત જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે તેના જામીન નામંજૂર કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે.

    સુપ્રીમ કોર્ટે જામીન મંજુર કરતી વખતે વધુમાં કોર્ટે કહ્યું કે તિસ્તા સેતલવાડ વિરુદ્ધ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તેથી કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી.

    આ રહી શરતો, પાલન નહિ કરે તો જામીન થશે રદ્દ

    કોર્ટે વધુમાં નિર્દેશ આપ્યો કે તેના જામીન દરમિયાન સેતલવાડનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા રહેશે. તે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ કરશે નહીં અને મોટાભાગે ગુજરાતમાં રહેતા સાક્ષીઓથી દૂર રહેશે.

    - Advertisement -

    તેના દ્વારા આ કોઈપણ શરતનો ભંગ કર્યો હોવાનું જાણવા મળે તો, કોર્ટે ગુજરાત પોલીસને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીને જામીન રદ કરવા માટે મંજૂરી આપી છે.

    ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી જામીન અરજી

    આ વર્ષે 1લી જુલાઈના દિવસે જ 2002 ના ગુજરાત રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે ષડ્યંત્ર રચવાના આરોપસર દાખલ થયેલા કેસમાં ગુજરાત હાઇકોર્ટે તથાકથિત એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે સેલતવાડને તાત્કાલિક સરેન્ડર કરવા માટે કહ્યું હતું. 

    તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતી વખતે સરકાર તરફથી વકીલે બેસ્ટ બેકરી કેસના સાક્ષીઓનાં નિવેદનો પણ ટાંક્યાં હતાં અને કહ્યું હતું કે સેતલવાડે પોતાના એજન્ડા માટે સાક્ષીઓને ભણાવ્યા હતા. આ દલીલોના આધારે સરકારે કોર્ટને કહ્યું હતું કે જો તિસ્તાને જામીન આપવામાં આવે તો તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને તેમને મુક્ત કરવાં એ જાહેર જનતાના હિતમાં નથી. 

    ગત વર્ષે થઇ હતી ધરપકડ

    ગત મે, 2022માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તિસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ- ત્રણ સામે ગુજરાત રમખાણો બાદ રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે મોટું કાવતરું ઘડવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    સપ્ટેમ્બર, 2022માં સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જ્યાં કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ જ્યાં સુધી જામીન અરજી પર નિર્ણય ન કરે ત્યાં સુધી તિસ્તાને રાહત આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં