Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશિંજો આબેની હત્યા સાથે અગ્નિપથ યોજનાને સાંકળીને વિપક્ષી પાર્ટીઓના ભ્રામક દાવા: જાણો...

    શિંજો આબેની હત્યા સાથે અગ્નિપથ યોજનાને સાંકળીને વિપક્ષી પાર્ટીઓના ભ્રામક દાવા: જાણો શું છે સત્ય

    જેથી એ બાબત સ્પષ્ટ છે કે અગ્નિપથ યોજનાને આ ઘટના સાથે જોડવી અને આબેની હત્યા પાછળ રોજગારીની તકોના અભાવ કે નાણાકીય સુરક્ષા અને હથિયારોની તાલીમને જવાબદાર ગણવી એ તર્કવિહીન છે. જાપાનની સેનાએ SDFમાં પેન્શન ન મળતું હોવા છતાં તે વાતને હત્યા સાથે કોઈ સીધો કે આડકતરો સબંધ નથી. 

    - Advertisement -

    જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની હત્યા બાદ થોડા કલાકોમાં જ ભારતમાં કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ તાજેતરમાં કેન્દ્ર સરકારે લૉન્ચ કરેલી અગ્નિપથ યોજનાને આ ઘટના સાથે જોડવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે ટ્વિટર પર જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સ અને અગ્નિપથ યોજનાની સરખામણી કરતું ટ્વિટ કર્યું હતું. 

    સુરેન્દ્ર રાજપૂતે દાવો કર્યો કે, ‘શિંજો આબેને ગોળી મારનાર યમગામી જાપાનની SDF એટલે કે પેન્શન વગરની યોજનામાં કામ કરી ચૂક્યો હતો. જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સમાં કોઈ પેન્શન મળતું નથી.” તેમણે જાપાનની SDFમાં કામ કરતા સૈનિકો સાથે અગ્નિપથ યોજનામાં ભરતી થનારા જવાનોની સરખામણી કરી હતી. 

    આ જ પ્રકારનો દાવો પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના મુખપત્ર ‘જાગો બાંગ્લા’ દ્વારા પણ કરવામાં આવ્યો હતો. અખબારમાં એક લેખ પ્રકાશિત થયો હતો, જેમાં પણ શિંજો આબેની હત્યાની ઘટનાને અગ્નિપથ યોજના સાથે જોડવામાં આવી હતી. 

    - Advertisement -

    શું છે સત્ય?

    પૂર્વ જાપાની વડાપ્રધાન શિંજો આબેની હત્યા કરનાર શખ્સની ઓળખ 41 વર્ષી તેતસૂયા યામાગામી તરીકે થઇ છે. જોકે, એ સાચું છે કે યામગામીએ 2 વર્ષ અને 9 મહિના માટે જાપાનની મેરિટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સમાં ફરજ બજાવી હતી. 

    જોકે, નેવીમાં યામાગામીનો ટૂંકો કાર્યકાળ 15 વર્ષ પહેલાં પૂર્ણ થઇ ગયો હતો તેમ છતાં વિપક્ષી પાર્ટીઓએ એ સાબિત કરવાના પ્રયત્નો કરતી રહી કે યામાગામીએ સેનાની તાલીમ લીધા બાદ કામ ન મળવાના કારણે અને પેન્શન ન હોવાના કારણે તેને આવું પગલું ભરવા માટે મજબુર બનવું પડ્યું હતું. 

    એ પણ નોંધવું જોઈએ કે આ જ પાર્ટીઓએ ભવિષ્યમાં અગ્નિવીરોની આતંકવાદીઓ બની જવાની સંભાવનાઓ પણ વહેતી કરી હતી. પાર્ટીઓ દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે રોજગારીની ર્કોના અભાવ અને સશસ્ત્ર દળોમાંથી નિવૃત્તિ બાદ સૈનિકો અસામાજિક પ્રવૃત્તિઓમાં સંલિપ્ત થવા માટે મજબુર બની જશે. 

    હવે શિંજો આબેની હત્યા માટે પણ આ જ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે એ બાબત સામે આવી છે કે હત્યારો યામાગામી બેરોજગાર ન હતો અને વર્ષ 2020માં તેણે જાપાનના હોંશૂમાં એક ફર્મમાં નોકરી શરૂ કરી હતી. જોકે, ગત મે મહિનામાં જ તેણે સ્વાસ્થ્ય કારણોસર નોકરી છોડી દીધી હતી.

    સીએનએનના રિપોર્ટ અનુસાર, આબેની હત્યા પાછળનો ઉદ્દેશ્ય રાજકીય ન હતો અને તેને હત્યારાએ નેવીમાં કરેલ નોકરી સાથે પણ કોઈ સબંધ નથી. તપાસમાં સામે આવ્યું કે હત્યાનો ઉદ્દેશ્ય ધાર્મિક હતો.

    યામાગામી એક ધાર્મિક જૂથનો વિરોધી હતી અને માનતો હતો કે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પણ તેની સાથે જોડાયેલા છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર, હત્યારા યામાગામીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે અગાઉ પણ એક ધાર્મિક જૂથના વડા પર હુમલો કરવાની યોજના બનાવી હતી. તેનું કારણ એ હતું કે તે માનતો હતો કે તેમાં દાન આપવાના કારણે જ તેની માતાની આર્થિક હાલત કથળી હતી. 

    યામાગામી માનતો હતો કે આબે આ ધાર્મિક જૂથને સમર્થન આપતા હતા અને જાપાનમાં તેની પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેણે પોતે જ શિંજો આબેની હત્યા પાછળ કોઈ રાજકીય ઉદ્દેશ્ય ન હોવાની સ્પષ્ટતા કરી હતી. 

    જેથી એ બાબત સ્પષ્ટ છે કે અગ્નિપથ યોજનાને શિંજો આબેની હત્યા સાથે જોડવી અને આબેની હત્યા પાછળ રોજગારીની તકોના અભાવ કે નાણાકીય સુરક્ષા અને હથિયારોની તાલીમને જવાબદાર ગણવી એ તર્કવિહીન છે. જાપાનની સેનાએ SDFમાં પેન્શન ન મળતું હોવા છતાં તે વાતને હત્યા સાથે કોઈ સીધો કે આડકતરો સબંધ નથી. 

    અગ્નિપથ યોજનાના ફાયદા 

    અગ્નિપથ યોજના અંગે એવી ફરિયાદ કરવામાં આવે છે કે માત્ર 25 ટકા અગ્નિવીરોને જ સેનાની મુખ્ય કેડરમાં સેવા કરવાની તક મળશે. બીજી તરફ પેન્શનના લાભો ન મળવાને લઈને પણ દલીલો કરવામાં આવે છે. પરંતુ અગ્નિવીરો ચાર વર્ષ પછી બહાર નીકળ્યા બાદ તેમની પાસે 11.71 લાખનું સેવાનિધિ ફંડ હશે તેમજ સાથે પોલીસ સેવાઓ, સરકારી એજન્સીઓ વગેરેમાં પ્રાથમિકતા સાથે નવી કારકિર્દી શરૂ કરવાની તકો પણ મળશે. 

    તદુપરાંત, સશસ્ત્ર દળોમાં સેવા દરમિયાન અગ્નિવીરોને 48 લાખ રૂપિયાનું નૉન-કોન્ટ્રીબ્યુટરી લાઈફ ઇન્સ્યોરન્સ કવર પણ મળશે. તેમજ સેવાકાળ દરમિયાન યુવાનોમાં સેનાના કૌશલ્યો, શિસ્તતા, નેતૃત્વના ગુણો, રાષ્ટ્રભક્તિ વગેરે પણ વિકસિત થશે. 

    ચાર વર્ષના કાર્યકાળ બાદ અગ્નિવીરો સ્વૈચ્છિક રીતે સેનાની મુખ્ય કેડરમાં સામેલ થવા માટે અરજી કરી શકશે, જેમાંથી 25 ટકાને સેનામાં સામેલ કરવામાં  આવશે. આ ઉપરાંત અગ્નિવીરોને સ્નાતક ડિગ્રી પણ મળશે, જે તેમને કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસમાં પણ મદદરૂપ થશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં