Sunday, May 18, 2025
More
    હોમપેજદેશ2024માં વિવાદમાં આવી હતી જે શિમલાની સંજૌલી મસ્જિદ, તેને સંપૂર્ણ ધ્વસ્ત કરવાનો...

    2024માં વિવાદમાં આવી હતી જે શિમલાની સંજૌલી મસ્જિદ, તેને સંપૂર્ણ ધ્વસ્ત કરવાનો કોર્ટનો આદેશ: વક્ફ બોર્ડ સાબિત ન કરી શક્યું માલિકી, પહેલેથી તોડી પડાયા છે ત્રણ માળ

    વક્ફ બોર્ડે દાવો કર્યો હતો કે, મસ્જિદ 70 વર્ષથી વધુ જૂની હતી. પરંતુ વક્ફ બોર્ડ આ પાંચ માળની ગેરકાયદેસર મસ્જિદનો નકશો, NOC અને અન્ય દસ્તાવેજો બતાવી શક્યું નહીં. વક્ફ બોર્ડ કોર્ટમાં દાવો કરી રહ્યું હતું કે, સંજૌલી મસ્જિદનું માળખું જૂની મસ્જિદ તોડીને બનાવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) પાટનગર શિમલાની (Shimla) ગેરકાયદેસર સંજૌલી મસ્જિદને (Sanjauli Masjid) સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે. આ આદેશ શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર કોર્ટે આપ્યો છે. મસ્જિદની જમીનની માલિકી સાબિત ન થઈ શકી હોવાથી કોર્ટે આ આદેશ આપ્યો છે. આખી મસ્જિદ ગેરકાયદેસર હોવાનું કોર્ટને જાણવા મળ્યું છે. અગાઉ ઑક્ટોબર 2024માં મસ્જિદના ત્રણ માળ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

    માહિતી અનુસાર, શનિવારના (3 મે, 2025) રોજ શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર કોર્ટના કમિશનર ભૂપેન્દ્ર કુમાર અત્રીએ સંજૌલી મસ્જિદ કેસની સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે વક્ફ બોર્ડને આ મામલે મસ્જિદના કાગળો બતાવવા કહ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વક્ફ બોર્ડ મસ્જિદની માલિકી અંગેના કોઈ દસ્તાવેજ બતાવી શક્યું નહીં.

    વક્ફ બોર્ડે દાવો કર્યો હતો કે, મસ્જિદ 70 વર્ષથી વધુ જૂની હતી. પરંતુ વક્ફ બોર્ડ આ પાંચ માળની ગેરકાયદેસર મસ્જિદનો નકશો, NOC અને અન્ય દસ્તાવેજો બતાવી શક્યું નહીં. વક્ફ બોર્ડ કોર્ટમાં દાવો કરી રહ્યું હતું કે, સંજૌલી મસ્જિદનું માળખું જૂની મસ્જિદ તોડીને બનાવવામાં આવ્યું હતું. જૂની મસ્જિદ 1947માં તોડ્યા બાદ ત્યાં નવી મસ્જિદ ઊભી કરવામાં આવી હતી.

    - Advertisement -

    આ સાથે જ નવી મસ્જિદના નિર્માણ માટે લેવાયેલી કોઈપણ પ્રકારની પરવાનગી પણ વક્ફ બોર્ડ પાસે નહોતી. કોર્ટે વક્ફ બોર્ડને પૂછ્યું છે કે, “જો તમે જૂની મસ્જિદ તોડી નાખી તો નવી બનાવવાની પરવાનગી કેમ ન લીધી?” સુનાવણી દરમિયાન એ પણ પ્રકાશમાં આવ્યું છે કે, જૂની મસ્જિદ તોડી પાડ્યા પછી આ જમીન સરકાર પાસે ગઈ હતી, જેના પર નવું નિર્માણ ગેરકાયદેસર કબજો છે.

    15 વર્ષથી વક્ફ બોર્ડ લડી રહ્યું હતું કેસ

    વક્ફ બોર્ડ છેલ્લા 15 વર્ષથી આ મસ્જિદ અંગે કેસ લડી રહ્યું હતું. મસ્જિદ પર ગેરકાયદેસર કબજા સામે કેસ લડી રહેલા વકીલે જણાવ્યું હતું કે, વક્ફ બોર્ડે જમીન માફિયાની જેમ આ જમીન પર કબજો કર્યો છે અને શહેરની મધ્યમાં પાંચ માળની મસ્જિદ ઊભી કરી દીધી છે. આ બધા દાવાઓ પછી જ કોર્ટે સંજૌલી મસ્જિદને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ માટે કઈ સમયમર્યાદા નક્કી કરી છે કે કેમ, તે સ્પષ્ટ થઈ શક્યું નથી. વક્ફ બોર્ડે કહ્યું છે કે, તે આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં જશે. તેમનો દાવો છે કે, મસ્જિદ રેકોર્ડમાં નોંધાયેલ છે પરંતુ તે અપડેટ થયું નથી.

    અગાઉ ઑક્ટોબર 2024માં શિમલાની આ જ કમિશનર કોર્ટે મસ્જિદના ત્રણ ઉપરના માળને ગેરકાયદેસર ગણાવ્યા હતા. કોર્ટે તેમને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી તેમને તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ છે. એક વિવાદ પછી મસ્જિદ વિશેનું સત્ય પ્રકાશમાં આવ્યું છે.

    શિમલામાં થયેલા એક હોબાળા બાદ મુસ્લિમ યુવકે એક સ્થાનિક યુવકને માર માર્યો હતો અને આ મસ્જિદમાં છુપાઈ ગયો હતો. આ પછી હિમાચલ પ્રદેશમાં હિંદુ સંગઠનોએ ઘણા દિવસો સુધી પ્રદર્શનો કર્યાં હતાં. ત્યારબાદ આ મસ્જિદ અંગે અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, આ મસ્જિદ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં