Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆરજેડી ધારાસભ્ય સઉદ આલમે કર્યું 'વંદે માતરમ' નું અપમાનઃ બિહાર વિધાનસભામાં સીટ...

    આરજેડી ધારાસભ્ય સઉદ આલમે કર્યું ‘વંદે માતરમ’ નું અપમાનઃ બિહાર વિધાનસભામાં સીટ પરથી ઊભા ન થયા, કહ્યું- ભારત હિંદુ રાષ્ટ્ર નથી

    બિહારમાં સત્ર સમાપન દરમ્યાન ગાવામાં આવેલા વંદે માતરમ દરમ્યાન રાજદના વિધાનસભ્ય સઉડ આલમ ઉભા નહોતા થયા અને રાષ્ટ્રગાનનું અપમાન કર્યું હતું.

    - Advertisement -

    આરજેડી ધારાસભ્ય સઉદ આલમે જાહેરમાં વંદે માતરમનું અપમાન કર્યું, ભારતમાં કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરવું એ એક પ્રથા બની ગઈ હોય તેવું લાગે છે. કાઉન્સિલરથી લઈને ધારાસભ્ય થી માંડીને સાંસદ સુધીના સભ્યો રાષ્ટ્રગાનનું અપમાન કરતા ખચકાતા નથી. બિહારમાં લાલુ યાદવની પાર્ટી આરજેડી ધારાસભ્ય સઉદ આલમે વંદે માતરમ ગાતી વખતે વિધાનસભામાં ઊભા રહેવાની ના પાડી દીધી હતી. આ અંગે હોબાળો મચી ગયો છે. ધારાસભ્યનું કહેવું છે કે ભારત હિંદુ રાષ્ટ્ર નથી, લોકશાહી દેશ છે.

    ગુરુવાર (30 જૂન 2022) બિહારમાં વિધાનસભાના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ હતો. તેના અંતમાં ગૃહમાં વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. આ દરમિયાન ગૃહમાં હાજર તમામ ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા, પરંતુ આરજેડી ધારાસભ્ય સઉદ આલમ તેમની જગ્યાએ બેસી રહ્યા. આ પછી બિહારથી લઈને કેન્દ્ર સુધી રાજકારણ ગરમાયું હતું.

    ઠાકુરગંજના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ધારાસભ્ય સઈદ આલમે આ અંગે શરમજનક પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે, “વંદે માતરમ રાષ્ટ્રગાન નથી, તેથી હું ઊભો ન થયો. આપણો દેશ હજુ હિંદુ રાષ્ટ્ર બન્યો નથી. તેણે કહ્યું કે તે રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ દરમિયાન ઊભા રહી શકે છે, પરંતુ વંદે માતરમ દરમિયાન તેમને ઊભા રહેવા માટે તેમને કોઈ મજબૂર નહીં કરી શકે .

    - Advertisement -

    સઈદ આલમના આ કૃત્યની ત્યારે ટીકા થઈ જ્યારે આરજેડી ધારાસભ્ય અખ્તરુલ ઈમાન શાહીન અને સીપીઆઈ-એમએલ (સીપીઆઈ-એમએલ)ના ધારાસભ્ય મહેબૂબ આલમે સઈદનું સમર્થન કર્યું. મહેબૂબે કહ્યું કે, “સઈદ આલમે જે પણ કર્યું, તેણે બરાબર કર્યું. જો અમે પણ ગૃહમાં હોત તો અમે પણ ઉભા ન થાત”

    મહેબૂબ આલમે કહ્યું કે તેઓ ગૃહનું ભગવાકરણ થવા દેશે નહીં. તેમણે કહ્યું કે તેઓ પહેલા પણ જન-ગન-મન ગાતા હતા અને હજુ પણ ગાય છે, પરંતુ શાસક પક્ષના એજન્ડાને અમલમાં મુકવા દેવામાં આવશે નહીં. મહેબૂબ આલમે કહ્યું, “વંદે માતરમ ભગવાકરણનું ગીત છે. બિહાર વિધાનસભામાં તેનું ગાન કરવાની પ્રક્રિયા શરૂ કરીને તેને ભગવા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”

    આ અંગે ભાજપના ધારાસભ્ય સંજય સિંહે કહ્યું હતું “કે આરજેડી ધારાસભ્યએ હજારો દેશવાસીઓ અને વીરોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું, “આવું વર્તન સહન કરવામાં આવશે નહીં. જે લોકો રાષ્ટ્રગીત નથી ગાતા તેઓ રાષ્ટ્ર વિરોધી છે અને આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. અમારી માંગ છે કે તેમને ગૃહના સભ્યપદેથી હટાવી દેવા જોઈએ.”

    આ પહેલા RJDના વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ કહ્યું હતું કે ‘વંદે માતરમ’ બોલવું તેમની આસ્થા અને ઈસ્લામ વિરુદ્ધ છે. સિદ્દીકીએ વધુમાં કહ્યું કે તે એક ખુદા એટલે કે અલ્લાહમાં વિશ્વાસ રાખે છે તે ક્યારેય વંદે માતરમ નહીં બોલે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના ધારાસભ્યોએ પણ વંદે માતરમ ગાવાની ના પાડી દીધી હતી. વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન ધારાસભ્યોએ વંદે માતરમ ગાવાની ના પાડી દીધી, જેના કારણે ભારે હોબાળો થયો હતો. ભાજપના સભ્યોની સાથે વિધાનસભા અધ્યક્ષે પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો.

    ગયા મહિનાના મધ્યમાં, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મ્યુનિસિપલ મીટિંગમાં મુસ્લિમ મહિલા કાઉન્સિલરોએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હતું. તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં જોવામાં આવ્યું હતું કે જ્યારે ‘વંદે માતરમ’ વગાડવામાં આવી રહ્યું હતું ત્યારે તમામ કાઉન્સિલરો તેના માનમાં ઉભા થઈ ગયા હતા, પરંતુ 4 બુરખાધારી મુસ્લિમ મહિલાઓ બેઠેલી રહી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં