Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટRBIએ રશિયા, શ્રીલંકા સહિત અનેક દેશો સાથે વેપાર કરવા માટે રૂપિયામાં વહીવટ...

    RBIએ રશિયા, શ્રીલંકા સહિત અનેક દેશો સાથે વેપાર કરવા માટે રૂપિયામાં વહીવટ કરવાની મંજૂરી આપી: સુરતના હીરા ઉદ્યોગને થશે ઘણી રાહત

    નોંધનીય છે કે સુરતના હીરાઉદ્યોગકારોએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સમક્ષ પોતાની મુશ્કેલી અંગે રજૂઆત પણ કરી હતી. હવે જ્યારે આરબીઆઈએ આયાત-નિકાસ વેપારને ભારતીય રૂપિયામાં સેટલ કરવાની મંજૂરી આપી છે, ત્યારે હીરા ઉદ્યોગ હવે સીધા જ રૂપિયામાં ચુકવણી કરી શકશે.

    - Advertisement -

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જાહેરાત કરી છે કે તે રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર વહીવટ માટે એક મિકેનિઝમ બનાવી રહી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે ઓર્ડર તાત્કાલિક અસરથી લાગુ થાય છે. આ મિકેનિઝમ “નિકાસ પર ભાર મૂકીને વૈશ્વિક વેપારના વિકાસને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે.”

    “ભારતમાંથી થતી નિકાસ પર ભાર મૂકીને વૈશ્વિક વેપારના વિકાસને પ્રોત્સાહન આપવા અને ભારતીય રૂપિયામાં વૈશ્વિક વેપાર સમુદાયના વધતા રસને સમર્થન આપવા માટે, નિકાસ અને આયાતના ઇન્વૉઇસિંગ, ચુકવણી અને પતાવટ ભારતીય રૂપિયામાં કરવા માટે વધારાની વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.” RBI એ સોમવારે એક સૂચનામાં જણાવ્યું હતું.

    ગયા અઠવાડિયે, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) એ પ્રસ્તાવ મૂક્યો હતો કે RBIએ ‘રૂપિયાને આંતરરાષ્ટ્રીયકરણ માટે સભાન પ્રયત્નો’ કરવા જોઈએ. SBI એ તેના ‘સંશોધન Ecowrap’ માં જણાવ્યું હતું કે, “રશિયા-યુક્રેન યુદ્ધ અને તેના કારણે ચૂકવણીમાં વિક્ષેપ, એ કેટલાક નાના નિકાસ ભાગીદારો સાથે શરૂ કરીને, રૂપિયામાં નિકાસ વહીવટ પર આગ્રહ રાખવાની એક સારી તક છે.”

    - Advertisement -

    આયાત અને નિકાસ માટે તેનો અર્થ શું

    આ મિકેનિઝમ દ્વારા રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર વહીવટ સરળ બનશે. જે અંતર્ગત આયાત કરતા ભારતીય આયાતકારોએ રૂપિયામાં ચૂકવણી કરવાની જરૂર પડશે. જે વિદેશી વિક્રેતા અથવા સપ્લાયર પાસેથી માલ અથવા સેવાઓના પુરવઠા માટેના ઇન્વૉઇસની સામે ભાગીદાર દેશની સમાંતર બેંકના સ્પેશિયલ વોસ્ટ્રો ખાતામાં જમા થવી જોઈએ.

    તેવી જ રીતે, ભારતીય નિકાસકારો, આ મિકેનિઝમ દ્વારા માલ અને સેવાઓની નિકાસ હાથ ધરે છે, તેમણે ભાગીદાર દેશની સમાંતર બેંકના નિયુક્ત સ્પેશિયલ વોસ્ટ્રો ખાતામાં બેલેન્સમાંથી રૂપિયામાં નિકાસની રકમ ચૂકવવી પડશે.

    સુરતના હીરા ઉદ્યોગ પર પાડનાર અસર

    સુરતના હીરા ઉદ્યોગ વિદેશી હૂંડિયામણને બદલે ભારતીય ચલણમાં નિકાસ અને આયાત વેપાર કરવાની છૂટ આપવાના ભારતીય રિઝર્વ બેંકના નિર્ણયનો સૌથી મોટો લાભાર્થીઓમાંનો એક છે. સુરતનો હીરા ઉદ્યોગ હવે રશિયાથી આયાત કરેલા કાચા હીરા માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી શકશે.

    સુરતનો હીરા ઉદ્યોગ મોટાભાગે રશિયામાંથી કાચા હીરાની આયાત કરે છે, જેની ચુકવણી મધ્યસ્થ બેંકની સેવાઓનો ઉપયોગ કરીને ભારતમાં આયાતકારની બેંક દ્વારા કરવામાં આવે છે. આમાંની મોટાભાગની મધ્યસ્થી બેંકો અમેરીકામાં આવેલ હતી. હમણાં સુધી સુરત હીરાનો વ્યવસાય કરતાં વેપારીઓ ભારતીય ચલણમાં ચુકવણી મધ્યસ્થી બેંકમાં ટ્રાન્સફર કારતા, જે તેને રશિયન પક્ષના બેંક ખાતામાં જમા કરાવતા પહેલા યુએસ ડોલર (ગ્રીનબેક)માં રૂપાંતરિત કરતી હતી.

    જો કે, યુક્રેન પરના આક્રમણ પછી અમેરિકાએ રશિયા સામે પ્રતિબંધો લાદ્યા હતા , જે અંતર્ગત ઘણી મધ્યસ્થી બેંકોને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી કાપી નાખવામાં આવી હતી. પરિણામે, આ મધ્યસ્થી બેંકો ભારતીય નિકાસકાર દ્વારા કરવામાં આવેલ ચુકવણી રશિયન આયાતકારના બેંક ખાતામાં જમા કરવામાં અસમર્થ બની હતી.

    નોંધનીય છે કે સુરતના હીરાઉદ્યોગકારોએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સમક્ષ પોતાની મુશ્કેલી અંગે રજૂઆત પણ કરી હતી. હવે જ્યારે આરબીઆઈએ આયાત-નિકાસ વેપારને ભારતીય રૂપિયામાં સેટલ કરવાની મંજૂરી આપી છે, ત્યારે હીરા ઉદ્યોગ હવે સીધા જ રૂપિયામાં ચુકવણી કરી શકશે. જો કે, આયાતકારે વાસ્તવમાં ચુકવણી કરવા માટે આગળ વધતા પહેલા આવી ચુકવણીઓ માટે RBI પાસેથી મંજૂરી લેવી પડશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં