Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉમેશ કોલ્હેના હત્યારાઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે રાણા દંપતીએ કોલ્હેના ઘરની...

    ઉમેશ કોલ્હેના હત્યારાઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે રાણા દંપતીએ કોલ્હેના ઘરની સામે કર્યા હનુમાન ચાલીસાના પાઠ

    આ પહેલા ગુરુવારે રાણા દંપતી, અપક્ષ સાંસદ નવનીત કૌર-રાણા અને તેના પતિ અને અપક્ષ ધારાસભ્ય રવિ રાણા, એ અમરાવતી ઉમેશ કોલ્હેની 21 જૂનની હત્યાના માસ્ટરમાઇન્ડ તેમના પક્ષ સાથે જોડાયેલા હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા.

    - Advertisement -

    મહારાષ્ટ્રના અપક્ષ લોકસભા સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ શનિવારે ઉમેશ કોલ્હેના અમરાવતી આવાસની સામે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા, જેમની 21 જૂને સસ્પેન્ડ કરાયેલા ભાજપ નેતા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સંદેશા પોસ્ટ કરવા બદલ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

    હનુમાન ચાલીસાના પાઠ કર્યા બાદ અમરાવતીના સાંસદ નવનીત રાણાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોલ્હેના હત્યારાઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ જેથી કરીને દેશમાં આવા ગુન્હાનું પુનરાવર્તન કરવાની કોઈ હિંમત ન કરે. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ કેસમાં દાખલો બેસાડવાની વિનંતી પણ કરી હતી.

    આ પહેલા ગુરુવારે રાણા દંપતી, અપક્ષ સાંસદ નવનીત કૌર-રાણા અને તેના પતિ અને અપક્ષ ધારાસભ્ય રવિ રાણા, એ અમરાવતી ઉમેશ કોલ્હેની 21 જૂનની હત્યાના માસ્ટરમાઇન્ડ તેમના પક્ષ સાથે જોડાયેલા હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા.

    - Advertisement -

    “આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. અમે તેમને ક્યારેય મળ્યા નથી કે તેમને ઓળખ્યા પણ નથી, તેઓ ક્યારેય અમારા કાર્યકર નહોતા. તેઓ કોઈપણ પક્ષના હોય, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ,” રવિ રાણાએ કહ્યું હતું.

    16 વર્ષથી જે હતો ઉમેશનો ‘ખાસ મિત્ર’ જ યુસુફ નીકળ્યો તેમની હત્યાનો સૂત્રધાર

    અમરાવતીના 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ કોલ્હે પર 21 જૂને રાત્રે 10 વાગ્યાથી 10:30 વાગ્યાની વચ્ચે ત્રણ કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

    હત્યાની સૂત્રધાર કોલ્હેનો મિત્ર હતો એ વાતનો ખુલાસો પીડિત ઉમેશ કોલ્હેના ભાઈ મહેશ કોલ્હેએ કર્યો હતો. તેણે કહ્યું કે આ કેસની પોલીસની નોંધથી તેને જાણવા મળ્યું છે કે નુપુર શર્મા પર તેની પોસ્ટ માટે તેના ભાઈની હત્યા કરવામાં આવી હતી.

    મહેશ કોલ્હેએ ઉમેર્યું હતું કે ઉમેશ કોલ્હે પ્રેક્ટિસ કરતા પશુચિકિત્સક યુસુફ ખાન સાથે સારા મિત્રો હતા, જેની આ કેસમાં સંડોવણી બદલ અમરાવતીથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે માહિતી આપી કે તેઓ ખાનને 2006થી ઓળખે છે.

    ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ હત્યામાં યુસુફના સામેલ હોવાની કોઈને જાણ નહોતી ત્યારે હત્યા બાદ કરવામાં આવેલ ઉમેશના અંતિમ સંસ્કારમાં પણ આ યુસુફ ખાન હાજર રહ્યો હતો. જ્યાં તેણે ‘અલ-તકીયા’ મુજબ બધાને એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે આ ઘટનાથી એને દુખ થયું છે. પરંતુ હવે પોલીસ દ્વારા તપાસ દ્વારા સાબિત થયું કે આ હત્યામાં કોલ્હેનો મિત્ર યુફુફ પણ સામેલ હતો અને તેણે જ ઇસ્લામવાદીઓને ઉશ્કેરયા હતા કોલ્હેની હત્યા માટે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં