Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાનમાં એક ગામના 51 હિંદુઓએ લીધી ભૂ-સમાધિ: ગેહલોત સરકાર પર ‘મુસ્લિમ તુષ્ટિકરણ’નો...

    રાજસ્થાનમાં એક ગામના 51 હિંદુઓએ લીધી ભૂ-સમાધિ: ગેહલોત સરકાર પર ‘મુસ્લિમ તુષ્ટિકરણ’નો આરોપ, 16 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન

    ગામવાસીઓએ કુલ 51 ખાડા ખોદ્યા છે, જેમાં દિવસ-રાત લોકો બેસે છે. આ આંદોલનની શરૂઆત 21 જૂનના રોજ કરવામાં આવી હતી અને જે બાદ 29 જૂનના રોજ હાઈ-વે પણ જામ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    રાજસ્થાનમાં આવેલ ભરતપુર જિલ્લાના ડીગ તાલુકામાં બુધવારે (6 જુલાઈ 2022) કેટલાક હિંદુઓએ ગેહલોત સરકાર દ્વારા કરાવવામાં આવી રહેલ સીમાંકનના વિરોધમાં ભૂ-સમાધિ લઇ લીધી હતી. આ ગામવાસીઓએ ગેહલોત સરકાર પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માંગો નહીં માને તો તેઓ રેલવે ટ્રેક જામ  કરશે.

    ગામવાસીઓએ કુલ 51 ખાડા ખોદ્યા છે, જેમાં દિવસ-રાત લોકો બેસે છે. આ આંદોલનની શરૂઆત 21 જૂનના રોજ કરવામાં આવી હતી અને જે બાદ 29 જૂનના રોજ હાઈ-વે પણ જામ કરવામાં આવ્યો હતો.

    પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનમાં ડીગ પંચાયત સમિતિના બેદમ ગામમાં છેલ્લા 16 દિવસથી આંદોલન ચાલી રહ્યું  છે. તેમણે 29 જૂનના રોજ અલ્વર-ભરતપુર સ્ટેટ હાઈ-વે પણ જામ કર્યો હતો. જોકે, 21 જૂનથી ચાલતા આ આંદોલન બાદ પણ સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ વાતચીત કરવા ન આવતા ગામના 51 હિંદુઓએ ભૂ-સમાધિ લઇ લીધી છે અને હવે તેમનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ નહીં સાંભળે ત્યાં સુધી તેઓ ભૂસમાધિમાં જ રહેશે. 

    - Advertisement -

    જાણકારી અનુસાર ગેહલોત સરકાર ડીગની 9 પંચાયતોને સીકરી અને નગરપંચાયત સમિતિ સાથે જોડવાની તૈયારી કરી રહી છે. જેનો ગામલોકો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે 9 પંચાયતોના સીમાંકનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે પહેલેથી જ ડીગ સાથે જોડાયેલી છે અને જો સીમાંકન થયું તો સીકરી બહુ દૂર થઇ જશે અને આ સ્થિતિમાં તેમને સરકારી કામકાજ માટે મુશ્કેલી પડી શકે છે. હાલ તેઓ સરળતાથી કામ પતાવી શકે છે, જ્યારે સીમાંકન બાદ બહુ દૂર જવું પડશે. 

    બીજી તરફ, આંદોલનનું નેતૃત્વ કરતા ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રવક્તા નેમ સિંહે આરોપ લગાવ્યો કે આમ કરીને રાજસ્થાન સરકાર મુસ્લિમોને ફાયદો પહોંચાડી રહી છે. જો સીમાંકન થયું તો સરકારી કચેરીઓ ગામવાસીઓની પહોંચથી દૂર થઇ જશે. તેમણે કહ્યું કે, હાલ તેઓ ગાંધીવાદી માર્ગે આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર એમ ઇચ્છતી હોય કે તેઓ ઉગ્ર આંદોલન કરે તો તે માટે પણ ગામલોકો તૈયાર છે. 

    નેમ સિંહે કહ્યું કે, સરકારે અમારી વાતો ગંભીરતાથી ન લીધી તો ઉગ્ર આંદોલન કરવામાં  આવશે. તેમણે કહ્યું કે આ સીમાંકન એક જાતિ વિશેષને ફાયદો પહોંચાડવા માટે નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે અને અમે તેને થવા નહીં દઈએ અને તે માટે જે કરવું પડશે એ અમે કરીશું.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં