Sunday, May 18, 2025
More
    હોમપેજદેશઆતંકવાદીઓએ હિંદુ પુરુષોને અલગ તારવ્યા, કલમા પઢવા કહ્યું અને ધરબી દીધી ગોળીઓ…મહિલાઓને...

    આતંકવાદીઓએ હિંદુ પુરુષોને અલગ તારવ્યા, કલમા પઢવા કહ્યું અને ધરબી દીધી ગોળીઓ…મહિલાઓને કહ્યું– જઇને મોદીને કહેજો અમે શું કર્યું: પહલગામ હુમલાના પ્રત્યક્ષદર્શીઓની આપવીતી

    કાનપુરના શુભમ દ્વિવેદીનાં બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. પત્નીએ કહ્યું- મને પણ મારી નાખો, ત્યારે આતંકવાદીઓએ કહ્યું– જઈને સરકારને કહેજે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના પહલગામમાં (Pahalgam) એક પ્રવાસન સ્થળે થયેલા ઇસ્લામી આતંકવાદી હુમલા (Terror Attack) બાદ આ ઘટનાને લગતી વધુ વિગતો સામે આવી રહી છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે આતંકવાદીઓએ પ્રવાસીઓમાંથી હિંદુઓની ઓળખ કરી-કરીને, તેમની પાસે કલમા (Kalma) પઢાવીને મારી નાખ્યા હતા અને બચી ગયેલા તેમના પ્રવાસીઓને કહ્યું હતું કે જઈને મોદીને અને તમારી સરકારને કહેજો કે અમે શું કર્યું. આ વિગતો મૃતકોના પરિજનોની મીડિયા સાથેની વાતચીતમાં સામે આવી છે. 

    ઇન્ડિયા ટુડેએ હુમલામાં મારી નાખવામાં આવેલી અમુક વ્યક્તિઓના પરિવારો સાથે વાત કરી ત્યારે આ બાબતો સામે આવી. તેમણે મીડિયાને જણાવ્યું કે કઈ રીતે તેમના પતિ, ભાઈ, બાપને આતંકવાદીઓએ કલમા પઢવા માટે કહ્યું હતું અને ત્યારબાદ હત્યા કરી નાખવામાં આવી હતી. 

    કાનપુરના શુભમ દ્વિવેદીનાં બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. તેઓ પત્ની અને પરિવારના અન્ય સભ્યો સાથે કાશ્મીર ફરવા માટે ગયા હતા. પહેલાં સોનમર્ગ અને ગુલમર્ગ થઈને પહલગામ પહોંચ્યા હતા. 

    - Advertisement -

    ઇન્ડિયા ટુડેને શુભમના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે, “ભાઈ અને ભાભી મેગી ખાઈ રહ્યાં હતાં. ત્યારે જ બે ઈસમો ત્યાં આવ્યા અને તેમને પૂછ્યું કે શું તેઓ મુસ્લિમ છે. જો હા, તો કલમા પઢે.”

    તે આગળ કહે છે, “જ્યારે તેમણે સંતોષકારક જવાબ ન આપ્યો તો આતંકવાદીઓએ શુભમને મારી નાખ્યો હતો. તેમણે ભાઈને માથામાં ગોળી મારી હતી અને જ્યારે ભાભીએ કહ્યું કે તેઓ તેને પણ સાથે મારી નાખે, ત્યારે આતંકવાદીઓમાંથી એકે તેને કહ્યું કે, તેઓ તેને નહીં મારે અને સરકારને એ કહેવા માટે જીવતી છોડી રહ્યા છે કે તેમણે (આતંકવાદીઓએ) શું-શું કર્યું છે.”

    પુણેના વેપારી પાસે પણ કલમા પઢાવ્યા, ન પઢી શક્યા તો ગોળી મારી

    આવી એક ઘટના નથી. પુણેના એક વેપારી સંતોષને પણ આ જ રીતે આતંકવાદીઓએ મારી નાખ્યા હતા. તેમની પુત્રીએ જણાવ્યું કે કઈ રીતે આતંકીઓએ માત્ર પુરુષોને જ ટાર્ગેટ કર્યા અને એ પણ તેમની ધાર્મિક ઓળખ જાણ્યા પછી. 

    મૃતકની પુત્રીએ જણાવ્યું કે, આતંકવાદીઓ તંબૂ પાસે આવ્યા અને તેમના પિતાને બહાર આવી જવા માટે કહ્યું. તેમના શબ્દો હતા– ‘ચૌધરી તું બહાર આ જા.’

    આગળ કહ્યું, “તેમણે મારા પિતાને ઇસ્લામિક કલમા પઢવા માટે કહ્યું. જ્યારે તે ન કરી શક્યા તો ગોળીઓ મારી દેવામાં આવી. ત્રણ ગોળીઓ મારી હતી. એક માથામાં, એક કાન નીચે અને એક પાછળ. મારા કાકા મારી બાજુમાં હતા. આતંકવાદીઓએ તેમને પણ ચારથી પાંચ ગોળીઓ મારી. તેમણે સ્થળ પર અન્ય પણ અમુક વ્યક્તિઓને માર્યા. ત્યાં કોઈ મદદ કરનારું ન હતું. પોલીસ-સેના કોઈ નહીં. અહીં સુધી કે સ્થાનિકો પણ ઇસ્લામિક આયાતો પઢી રહ્યા હતા. જે મહિલાઓ બચી ગઈ હતી તેમને પછીથી સુરક્ષાબળોએ બચાવી લીધી હતી.”

    મંજુનાથને મારીને પત્નીને કહ્યું- જઈને મોદીને કહેજે

    કર્ણાટકના શિવમોગાના મંજુનાથને પણ આતંકવાદીઓએ મારી નાખ્યા હતા. તેઓ પુત્ર અને પત્ની પલ્લવી સાથે પહલગામ ફરવા માટે ગયા હતા. પત્ની આ ભયાનક ઘટના વિશે કહે છે કે તેમના પતિને તેમની આંખ સામે મારી નાખવામાં આવ્યા. 

    પલ્લવીએ કહ્યું કે, “એવું લાગ્યું કે આતંકવાદીઓ માત્ર હિંદુઓને મારવા માટે જ આવ્યા હતા. ત્રણથી ચાર લોકોએ અમારી ઉપર હુમલો કર્યો હતો. મેં તેમને કહ્યું કે, તમે મારા પતિને મારી નાખ્યા છે તો મને પણ મારી નાખો. ત્યારે તેમણે મને કહ્યું કે, અમે તને નહીં મારીએ, જઈને આ બધું મોદીને કહેજે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં