Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઘરમાં ઘૂસીને રેપ કર્યો, હથોડા વડે હત્યા કરીને લાશ લટકાવી દીધી: લખનૌમાં...

    ઘરમાં ઘૂસીને રેપ કર્યો, હથોડા વડે હત્યા કરીને લાશ લટકાવી દીધી: લખનૌમાં 16 વર્ષીય કિશોરીની હત્યા, આરોપી શાહિદની ધરપકડ

    મૃતકના પિતાએ પોલીસને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ યુવક શાહિદ તેમની પુત્રીને ઘણા સમયથી પરેશાન કરતો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં એક સગીરા પર બળાત્કાર અને ત્યારબાદ હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકની ઉંમર 16 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે જ્યારે આરોપીની ઓળખ શાહિદ તરીકે થઇ છે, જેની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિતા ઘરમાં એકલી હતી ત્યારે શાહિદ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ માથામાં હથોડો મારીને હત્યા કરી નાંખી હતી અને લાશ લટકાવી દીધી હતી. 

    ઘટના લખનૌના ઇન્દિરા નગર પોલીસ મથક વિસ્તારની છે. મૃતકના પિતાએ પોલીસને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ યુવક શાહિદ તેમની પુત્રીને ઘણા સમયથી પરેશાન કરતો હતો. ઘટના બની તે દિવસે તે ઘરમાં એકલી જ હતી. અચાનક શાહિદ તેમના ઘરે પહોંચી ગયો હતો અને પહેલાં કિશોરી સાથે રેપ કર્યા બાદ તેની હત્યા કરી નાંખી હતી. 

    આસપાસના લોકોએ પિતાને જાણકારી આપ્યા બાદ તેઓ ઘરે પહોંચ્યા હતા, જેમણે પછીથી પોલીસને જાણ કરી. પોલીસે સ્થળે પહોંચીને મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ પીડિત પિતાની ફરિયાદના આધારે શાહિદ સામે રેપ અને હત્યાનો કેસ દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી હતી. અમુક અહેવાલો અનુસાર, તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    - Advertisement -

    મૃતકના પિતાએ કહ્યું કે, તેમણે પહેલાં પણ શાહિદને ચેતવણી આપી હતી કે તે તેમની પુત્રીને પરેશાન કરવાનું બંધ કરી દે પરંતુ તે માન્યો ન હતો. જ્યારે માતાએ જણાવ્યું હતું કે, બપોરે તેઓ કામ પરથી પરત ફર્યાં ત્યારે આરોપી ઘરેથી ભાગતો જોવા મળ્યો હતો. તેમણે પકડવાના પ્રયાસ પણ કર્યા પરંતુ નિષ્ફ્ળતા મળી હતી. ઘરની અંદર જઈને જોયું તો તેમની પુત્રીનો મૃતદેહ દુપટ્ટાથી લટકેલો જોવા મળ્યો હતો. 

    આ મામલે પોલીસે જણાવ્યું કે આરોપી શાહિદ સામે રેપ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતક કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને તેનો રિપોર્ટ મળ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે અને આગળની કાર્યવાહી કરી શકાશે. આરોપીને પોલીસે રાત્રે હિરાસતમાં લીધો હતો. તેનું કહેવું છે કે કિશોરીએ જાતે જ ફાંસી લગાવી દીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં