હોમપેજદેશમંદિરમાં 'ઑપરેશન સિંદૂર'ની થીમ પર રંગોળી, ભગવો–શિવાજીનાં બેનરોનો પણ ઉપયોગ: કેરળ પોલીસે...

મંદિરમાં ‘ઑપરેશન સિંદૂર’ની થીમ પર રંગોળી, ભગવો–શિવાજીનાં બેનરોનો પણ ઉપયોગ: કેરળ પોલીસે ‘હિંસા ભડકાવનાર’ ગણીને હિંદુઓ સામે નોંધી FIR

કેરળ ભાજપે આ પોલીસ કાર્યવાહીને ‘અત્યાચારી અને અસ્વીકાર્ય’ ગણાવીને તેની નિંદા કરી છે. ભાજપે FIR રદ કરવાની માગણી કરી છે અને પોલીસને યાદ અપાવ્યું છે કે, કેરળ પાકિસ્તાન નથી, જ્યાં ભારતીય સશસ્ત્રદળોની બહાદુરીની ઉજવણીને ગુનો ગણવામાં આવે.

- Advertisement -

કેરળમાં ‘ઑપરેશન સિંદૂર’ની ફૂલોની રંગોળી બનાવવાને લઈને હિંદુઓ વિરુદ્ધ FIR નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, હિંદુઓએ ભગવા ધ્વજ અને ‘ઑપરેશન સિંદૂર’ના નામે પૂક્કલમ (ફૂલોની કલાત્મક રચના) બનાવી હતી. નોંધનીય છે કે, આ ઑપરેશન પહલગામ હુમલા બાદ ભારતે આતંકવાદ વિરોધી કાર્યવાહીના ભાગરૂપે શરૂ કર્યું હતું. કેરળ પોલીસે કેટલાક એવા લોકો વિરુદ્ધ પણ FIR નોંધી છે, જેમણે છત્રપતિ શિવાજી મહારાજની તસવીરવાળા બેનર લગાવ્યા હતા. હાલ આ મામલે ભાજપે વિરોધ નોંધાવ્યો છે.

4 સપ્ટેમ્બરના રોજ કેરળના કોલ્લમ જિલ્લાના મુથુપિલક્કડમાં આવેલા શ્રી પાર્થસારથી મંદિરના પરિસરમાં હિંદુઓએ ‘ઑપરેશન સિંદૂર’ને દર્શાવતી પૂક્કલમ બનાવી હતી. આ પૂક્કલમમાં ફૂલોનો ઉપયોગ કરીને ‘ઑપરેશન સિંદૂર’ નામ અને કેટલીક સર્જનાત્મક ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની તસવીરવાળા ફ્લેક્સ બોર્ડ અને ધ્વજસ્તંભ પણ લગાવવામાં આવ્યા હતા. આ બધું ભારતીય સશસ્ત્રદળોની બહાદુરી અને શિવાજી મહારાજના શૌર્યની ઉજવણી માટે હતું. તે સિવાય ભગવો ધ્વજ પણ ચિત્રિત કરવામાં આવ્યો હતો.

જોકે, કેરળ પોલીસે આ ઉજવણીને ‘બળવો ભડકાવવાના ઇરાદા’ તરીકે ગણીને 27 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. FIR અનુસાર પોલીસે આરોપ લગાવ્યો છે કે, આ પૂક્કલમ અને બેનરો રાજકીય જૂથો વચ્ચે ‘બળવો ભડકાવવા’ના હેતુથી બનાવવામાં આવ્યા હતા.

- Advertisement -

ભાજપનો વિરોધ

કેરળ ભાજપે આ પોલીસ કાર્યવાહીને ‘અત્યાચારી અને અસ્વીકાર્ય’ ગણાવીને તેની નિંદા કરી છે. ભાજપે FIR રદ કરવાની માગણી કરી છે અને પોલીસને યાદ અપાવ્યું છે કે, કેરળ પાકિસ્તાન નથી, જ્યાં ભારતીય સશસ્ત્રદળોની બહાદુરીની ઉજવણીને ગુનો ગણવામાં આવે.

ભાજપે X પર એક નિવેદનમાં લખ્યું કે, “કેરળમાં ‘ઑપરેશન સિંદૂર’ લખેલ પૂક્કલમ બનાવવા બદલ FIR નોંધવામાં આવી છે. જો આ પાકિસ્તાનમાં થયું હોત તો તે સમજી શકાયું હોત, પરંતુ ભારતમાં આ અત્યાચારી અને અસ્વીકાર્ય છે. ‘ઑપરેશન સિંદૂર’ ભારતનું ગૌરવ છે, જે આપણા સશસ્ત્રદળોની બહાદુરીનું પ્રતીક છે. તેનો હેતુ દરેક સૈનિકનું, ખાસ કરીને હજારો મલયાલી સૈનિકોનું અપમાન કરવાનો છે, જેઓ દેશની સરહદોની રક્ષા કરે છે અને તિરંગા માટે પોતાના જીવનું બલિદાન આપે છે. કેરળ પાકિસ્તાન નથી અને નહીં જ બને, જ્યાં જમાત-એ-ઇસ્લામીનું શાસન ચાલે. દરેક દેશભક્ત મલયાલી વતી ભાજપ આ શરમજનક કૃત્યની નિંદા કરે છે અને FIR તાત્કાલિક રદ કરવાની માગણી કરે છે, નહીં તો અમે કાનૂની કાર્યવાહી કરીશું.”

કેરળમાં હિંદુઓની ઉજવણી પર પોલીસની દખલગીરીનો ઇતિહાસ

આ ઘટના કેરળમાં CPI(M)ની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) શાસિત રાજ્યમાં હિંદુઓની ધાર્મિક ઉજવણીઓમાં વારંવાર થતી દખલગીરીનું એક ઉદાહરણ છે. આ પહેલાં પણ ઘણી ઘટનાઓ બની છે, જેમાં હિંદુઓની ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોલીસે હસ્તક્ષેપ કર્યો છે.

થ્રિસુર પૂરમ ઉત્સવ (2024): ગયા વર્ષે થ્રિસુરમાં પૂરમ ઉત્સવ દરમિયાન કેરળ પોલીસે ભક્તો સામે બળનો પ્રયોગ કર્યો અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. 2023માં થિરુવનંતપુરમના દક્ષિણ ઉપનગરમાં આવેલા વેલ્લાયના ભદ્રકાળી મંદિરને પોલીસે ઉત્સવ દરમિયાન ભગવા રંગની સજાવટ ન કરવાની સૂચના આપી હતી, કારણ કે તેનાથી ‘કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ’ ઊભી થઈ શકે છે. પોલીસે મંદિરને કેસરી ધ્વજ અને બેનરોના બદલે બધા રંગોનો ઉપયોગ કરવાની સલાહ આપી, જોકે પરંપરાગત રીતે આ મંદિરમાં ઉત્સવ દરમિયાન કેસરી રંગની સજાવટ જ કરવામાં આવે છે.

આ ઘટનાઓ કેરળના LDF શાસિત રાજ્યમાં હિંદુઓની ધાર્મિક ઉજવણીઓમાં વારંવાર થતી દખલગીરીનું પ્રતિબિંબ છે. રાજ્યમાં CPI(M)નું શાસન છે, ત્યાં ભારતીય સશસ્ત્રદળોની બહાદુરી અને હિંદુ રાજા છત્રપતિ શિવાજી મહારાજના શૌર્યની ઉજવણીને ‘બળવો ભડકાવવો’ ગણવામાં આવે છે. આ ઘટનાઓ રાજ્યના ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં વધતી જતી અસહિષ્ણુતા અને રાજકીય દખલગીરીને ઉજાગર કરે છે. ભાજપે આ મુદ્દે કેરળ સરકાર અને પોલીસની નીતિઓની ટીકા કરી છે અને આવી કાર્યવાહીઓને દેશભક્તિ અને હિંદુ સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં