Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્વામીનારાયણ સંપ્રદાયને કથાકાર રમેશભાઈ ઓઝાની માર્મિક ટકોર, મોરબીમાં આયોજિત કથામાં કહ્યું: 'મહાદેવથી...

    સ્વામીનારાયણ સંપ્રદાયને કથાકાર રમેશભાઈ ઓઝાની માર્મિક ટકોર, મોરબીમાં આયોજિત કથામાં કહ્યું: ‘મહાદેવથી મોટું કોઈ હોઈ જ ન શકે’

    કથાકાર રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, "મહાદેવથી મોટું કોઇ ન હોય. સનાતન ધર્મનું વાતાવરણ ન બગાડવું જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આવા નિવેદનોનો વિરોધ કરવો જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે, પણ જે ખોટું ચિતરાયું છે, લખાયું છે તેને દુર કરવું જોઇએ.

    - Advertisement -

    તાજેતરમાં એક સ્વામીનારાયણ સંતે મહાદેવનું અપમાન કરતા નિવેદનો આપ્યા હતા, જેનો વિડીયો સોસિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સનાતન ધર્મપ્રેમીઓ અને સંત સમુદાયની લાગણીઓ દુભાઈ હતી, ઘણી જગ્યાઓ પર મહાદેવનું અપમાન કરતા સ્વામીનારાયણ સંતનો વિરોધ પણ થયો હતો, તેવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ આપેલા નિવેદનને લઇને કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ માર્મિક ટકોર કરી છે.

    મોરબીમાં કોરોનામાં મૃત્યું પામેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલ કથામાં ભાઈશ્રીએ સ્વામિનારાયણ સંતો પ્રત્યે હળવો રોષ જતાવ્યો હતો. તેમણે ભગવાન શંકર વિશે ટીપ્પણી કરનારા સંતોને સુધરી જવા માટે ટકોર કરી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં ભાઈશ્રીએ ભોળાનાથ વિશે બોલનારા સંતોને ચેતવણી આપી હતી અને સાધુ સમાજને ટાંકીને કહ્યુ હતુ કે, જો સાધુઓ વિફર્યા… કહીને આવી ટીપ્પણીઓ રોકવા જણાવ્યુ હતું.

    કથાકાર રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, “મહાદેવથી મોટું કોઇ ન હોય. સનાતન ધર્મનું વાતાવરણ ન બગાડવું જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આવા નિવેદનોનો વિરોધ કરવો જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે, પણ જે ખોટું ચિતરાયું છે, લખાયું છે તેને દુર કરવું જોઇએ. તમારા ધર્મમાં શ્રદ્ધા રાખો પરંતુ બીજાને નીચા દેખાડીને નહિ.”

    - Advertisement -

    કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે, મહાદેવની ટિપ્પણીથી ખૂબ જ વ્યથિત થયો છું. આનંદ સાગર સ્વામીની ટિપ્પણી અંગે વિરોધ કરો. હું પ્રાર્થના કરું છું, પ્રણામ કરું છું, અનુરોધ કરું છું. તમે સૌ સંપ્રદાયના સંતો તેમનો વિરોધ કરો. કેટલાકે વિરોધ કર્યો તેને હું વંદન કરું છું. આવું બોલાઇ રહ્યું છે તેનું કારણ છે કે, કેટલાક ચોપડા ચીતરાયા છે આવા, કૃપા કરીને આવા ચોપડાને કાઢો, તે ખોટા ચીતરાઇ ગયા છે.

    વધુમાં રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, “કોઈનું દિલ દુભાય તેવું ન કરીએ અને દરેક સંતો સનાતન ધર્મના અંગો છે અને સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પરંતુ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક સાબિત થશે તેવી સદભાવના પૂર્વક મે અપીલ કરલે છે.” આજે ભાઇશ્રી દ્વારા સનાતન ધર્મને નુકશાન કરવા માટે જે રીતે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને આકરી ટીકા કરી હતી અને તેઓએ કહ્યું હતું કે, “બધા જ સાધુ પુરુષો સારું જ કામ કરે છે ત્યારે કોઈને ઉતારી પાડવાની પ્રવૃતિ કોઈએ ન કરવી જોઈએ અને પરસ્પર સહયોગ તથા સંગઠનથી કામ કરવામાં આવશે તો સનાતન ધર્મ વધુ મજબૂત બનશે. આજે હું જેમ દૂભયો છું. તેમ હજારો અને લાખો દુભાયા છે. તેવા સમયે વાતાવરણ ન બગડે તે માટે મેં વ્યાસપીઠેથી સદભાવના પૂર્વક મેં અપીલ કરી છે.”

    ઉલ્લેખનીય છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોના સનાતન દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા અન્ય કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થપેલા વીડિયોને લઈને કેટલાક દિવસથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આનંદ સાગર સ્વામીનો વિરોધ હજુ પણ ચાલી રહ્યો છે.સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાયરલ થયેલા અપમાનજક વીડિયોને લઇ આજે ગઢડામાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં