22 એપ્રિલના રોજ જમ્મુ—કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના (Pahalgam Terrorist Attack) કારણે સમગ્ર દેશ આઘાતમાં સરી પડ્યો હતો. આ હુમલામાં હિંદુ પ્રવાસીઓનો ધર્મ જાણીજાણીને પસંદગીપૂર્વક હત્યા કરવામાં આવી. જે પુરુષોનો જીવ લેવાયો તેમના પરિવારો સાથે સમગ્ર દેશ પોતાનાપણું અનુભવતા શોકમગ્ન બન્યો હતો. આ જઘન્ય કૃત્યના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા અને જ્યાં પણ ભારતીય સમુદાય વસે છે ત્યાં સુધી રોષની જ્વાળાઓ પહોંચી હતી. હવે સમગ્ર દેશ સેનાના રૌદ્ર સ્વરૂપની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો.
આ ઘટનાના બરાબર 15 દિવસ પછી 6-7 મેની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં સ્થિત આતંકીઓના 9 ઠેકાણાં નેસ્તનાબૂદ કરી દીધાં અને ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા પહલગામનો પ્રતિશોધ લીધો. જેનાથી દેશમાં જે રોષની જ્વાળાઓ હતી એ જરાક ઓછી થઈ. પરંતુ આવા સમયે પણ કોંગ્રેસ નેતા, પોતાને દલિત એક્ટિવિસ્ટ તરીકે રજૂ કરતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને (Jignesh Mevani) કશુંક જુદું જ સૂઝ પડ્યું. તેમણે સવારે ઉઠતાવેંત એક પોસ્ટ કરી દીધી અને આ પોસ્ટમાં અતિ અસંવેદનશીલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પોસ્ટમાં લાલ રંગના ગ્રાફિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું, “યુદ્ધખોરો, ધાર્મિક નફરત અને નકલી રાષ્ટ્રવાદ સામે લડો. આતંક ભૂખમરાથી મરી જશે.” આ સાથે મેવાણીએ કેપ્શનમાં લખ્યું, ‘ખરું ને?’ આવા શબ્દોનો ઉપયોગ કરીને મેવાણીએ દેશની એકતા અને રાષ્ટ્રવાદી લાગણીઓ પર હુમલો કર્યો, જેના કારણે લોકોમાં ભારે ગુસ્સો ફેલાયો. મેવાણીની આ હરકતને લઈને તેમની અને કોંગ્રેસ પાર્ટીની આકરી ટીકા થઈ. એવી ચર્ચા થવા માંડી કે આ ઘટનાએ મેવાણીની જવાબદારી અને નેતૃત્વની ક્ષમતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
MLA – Vadgam Assembly Constituency, Gujarat and Convener at Rashtriya Dalit Adhikar Manch Jignesh Mevani tweets, ''Fight war-mongers, religious hatred and fake nationalism. Terror will die of starvation'' pic.twitter.com/4f2eNEeAYs
— IANS (@ians_india) May 7, 2025
મેવાણીએ આ પોસ્ટ 7 મે, 2025ના રોજ સવારે 8:38 વાગ્યે શેર કરી હતી. મેવાણીએ આ પોસ્ટમાં ‘નકલી રાષ્ટ્રવાદ’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને દેશની લાગણીઓને ઠેસ પહોંચાડી. મેવાણીના આ શબ્દોને રાષ્ટ્રવિરોધી ગણાવીને લોકોએ તેમની સામે ગુસ્સો વ્યક્ત કર્યો અને તેમને એક નેતા તરીકે અયોગ્ય ગણાવ્યા. આવા નિવેદનો કરીને મેવાણીએ ન માત્ર પોતાની જ છબીને નુકસાન પહોંચાડ્યું, પરંતુ કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું.
Jignesh Mevani is a Gujarat based congressi…
— Chetan Chouhan (@chetanc10639996) May 7, 2025
This is their true face..
Shame on congress.. pic.twitter.com/SQyo8c9uVE
સોશિયલ મીડિયા પર જિગ્નેશ મેવાણીના નામે માછલાં ધોવાવા લાગ્યાં. એક યુઝરે પોસ્ટ કરતા લખ્યું કે, “ક્યારેય ભૂલતા નહીં, પાકિસ્તાની આતંકવાદી છાવણીઓનો નાશ જોઈને આખો દેશ ખુશ હતો ત્યારે, કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી પાકિસ્તાન માટે ચિંતિત હતા અને આતંકવાદીઓની જગ્યાએ ભારતીય રાષ્ટ્રવાદીઓ સામે કાર્યવાહી ઇચ્છતા હતા.”
Never forget when entire country was happy to see Pakistani terror camps being destroyed, Congressi @jigneshmevani80 was worried for Pakistan, and wanted action against Indian nationalists instead Terrorists. pic.twitter.com/MDQ071ulGP
— Mr Sinha (@MrSinha_) May 7, 2025
પત્રકાર આદિત્ય રાજ કૌલે આ પોસ્ટને શરમજનક ગણાવી.
Shame! pic.twitter.com/WJVDm9TmGO
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 7, 2025
કોન્સ ઓફ કોંગ્રેસ નામક યુઝરે લખ્યું, “કોંગ્રેસ કા હાથ, પાકિસ્તાન કા સાથ? જ્યારે આખું ભારત એક સૂરમાં સૂર મિલાવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને રાગના નજીકના સાથી જિગ્નેશ મેવાણીએ પાર્ટી લાઇનને અનુસરીને બૂમો પાડવાનું અને આડકતરી રીતે ભારતીય સશસ્ત્ર દળો પર સવાલ ઉઠાવવાનું પસંદ કર્યું. આ રાજકારણ નથી, આ પાકિસ્તાન પ્રેમ છે.”
Congress ka haat, Pakistan ke saath ?
— Cons of Congress (@ConsOfCongress) May 7, 2025
When the whole of India is singing chorus in the same tune, Congress MLA and close aide of Raga – Jignesh Mevani following the party line chose to shout and indirectly question Indian armed forces.
This isn't POLITICS,
This is Pakistan… pic.twitter.com/uOgdJSTycz
મેવાણીની પોસ્ટ, જેમાં ‘યુદ્ધખોરો’, ‘ધાર્મિક નફરત’, અને ‘નકલી રાષ્ટ્રવાદ’ શબ્દનો ઉલ્લેખ હતો, તે રાજકીય રીતે ચર્ચાસ્પદ વાતાવરણમાં ભાવનાઓને ઉશ્કેરનારી સાબિત થયા. લોકોના ભારે વિરોધ અને ટીકાઓ વચ્ચે મેવાણીએ આ પોસ્ટને X ટાઈમલાઈનમાંથી હટાવી દીધી. બાદમાં તેમણે રાહુલ ગાંધીની એક પોસ્ટ રિપોસ્ટ કરી, પરંતુ પોતાની તરફથી કોઈ ટિપ્પણી ઉમેરી નહીં. આ પગલું દર્શાવે છે કે મેવાણીએ પોતાની ભૂલનો અનુભવ થયો. પરંતુ ત્યાં સુધીમાં તેમની અને કોંગ્રેસની છબીને ભારે નુકસાન થઈ ચૂક્યું હતું.

પોસ્ટ ઝડપથી ડિલીટ કરવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે જિગ્નેશ મેવાણીને તેનાથી થતા નુકસાનનો અંદાજ આવી ગયો હતો, ખાસ કરીને ગુજરાતમાં, જ્યાં તેમણે અગાઉ ચૂંટણીઓ નજીવા માર્જિનથી જીતી હતી (દા.ત., 2022ની વિધાનસભા ચૂંટણીમાં 5,000 મતોનું માર્જિન). પછીથી ભીનું સંકેલવા માટે રાહુલ ગાંધીની પોસ્ટ રીપોસ્ટ કરી દીધી. પરંતુ જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું હતું.