Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનૂપુર શર્માની હત્યા કરવા માંગતો હતો જૈશનો આતંકવાદી નદીમ, યુપીના સહારનપુરથી ધરપકડ:...

    નૂપુર શર્માની હત્યા કરવા માંગતો હતો જૈશનો આતંકવાદી નદીમ, યુપીના સહારનપુરથી ધરપકડ: અગાઉ થઇ ચૂકી છે નૂપુરના સમર્થકોની હત્યા 

    મોહમ્મદ નદીમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદીઓ સાથે ફેસબુક મેસેન્જર, ક્લબ હાઉસ, વોટ્સએપ, ટેલિગ્રામ વગેરે સોશિયલ મીડિયા એપ્લિકેશન પરથી સંપર્કમાં રહેતો હતો. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડે શુક્રવારે સહારનપુરમાંથી એક સંદિગ્ધ આતંકવાદીને પકડી લીધો હતો. આ આતંકવાદી ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તે આતંકવાદી સંગઠન સાથે પણ સંપર્કમાં હતો. 

    યુપી એટીએસે રાજ્યના સહારનપુરના ગંગોહ પોલીસ મથક વિસ્તારના કુંડા કાલા ગામના મોહમ્મદ નદીમની ધરપકડ કરી લીધી હતી. પોલીસને તેના મોબાઈલમાંથી કેટલાક વોઇસ મેસેજ અને ચેટ્સ મળી આવ્યા છે, જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસને તેની પાસેથી બે સિમ કાર્ડ અને જુદા-જુદા પ્રકારના બૉમ્બ બનાવવા માટેનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. 

    એટીએસે જણાવ્યું કે, એજન્સીઓને જાણકારી મળી હતી કે મોહમ્મદ નદીમ જૈશ-એ-મોહમ્મદ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનની વિચારધારાથી પ્રભાવિત થઈને ફિદાયીન હુમલાની તૈયારી કરી રહ્યો છે. જે બાદ એજન્સી અને પોલીસે દરોડા પાડીને તેને પકડી પાડ્યો હતો. આતંકવાદીના ફોનની તપાસ કરતાં એક ડોક્યુમેન્ટ મળી આવ્યું હતું તેમજ મોબાઈલથી આતંકી સંગઠનોના આતંકવાદીઓ સાથે થયેલ ચેટ પણ મળી આવી હતી.

    - Advertisement -

    મોહમ્મદ નદીમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદીઓ સાથે ફેસબુક મેસેન્જર, ક્લબ હાઉસ, વોટ્સએપ, ટેલિગ્રામ વગેરે સોશિયલ મીડિયા એપ્લિકેશન પરથી સંપર્કમાં રહેતો હતો. 

    તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાનના આતંકવાદી સૈફુલ્લાહે મોહમ્મદ નદીમને સોશિયલ મીડિયા થકી ફિદાયીન હુમલા માટેનું ટ્રેનિંગ મટિરિયલ પૂરું પાડ્યું હતું. જેની મદદથી નદીમ તમામ જરૂરી ચીજવસ્તુઓ ભેગી કરી રહ્યો હતો અને કોઈ સરકારી ઇમારત કે પોલીસ પરિસરમાં ફિદાયીન હુમલાની તૈયારી કરી રહ્યો હતો. 

    પકડાયેલા આતંકવાદીએ પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તે વર્ષ 2018થી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હતો અને સંગઠને તેને પાકિસ્તાન અને સીરિયામાં ‘સ્પેશિયલ ટ્રેનિંગ’ માટે પણ બોલાવ્યો હતો. તે માટે તે વીઝા લઈને પાકિસ્તાન જવાની પણ તૈયારી કરી રહ્યો હતો. તેમજ તેણે પૂછપરછમાં જણાવ્યું કે તે ઇજિપ્ત થઈને અફઘાનિસ્તાન અને સીરિયા જવાનું પણ પ્લાનિંગ કરી રહ્યો હતો. 

    આતંકવાદીને આતંકી સંગઠન તરફથી ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની હત્યા કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને આ માટે તે હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. નોંધવું જોઈએ કે એક ટીવી ડિબેટમાં હિંદુ આરાધ્યો વિશે થઇ રહેલી મજાક અને અભદ્ર ટિપ્પણીઓ પર ચર્ચા દરમિયાન જવાબમાં નૂપુર શર્માએ ઇસ્લામિક પયગંબર મોહમ્મદ વિશે કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી, જે બાદ તેઓ સતત કટ્ટર  ઇસ્લામીઓના નિશાને રહ્યાં છે. 

    નદીમે તેના કેટલાક ભારતીય સંપર્કોની જાણકારી પણ યુપી એટીએસને આપી છે, જે મામલે હાલ તપાસ ચાલી રહી છે. બીજી તરફ તેની સામે UAPA એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ નૂપુર શર્માનું સમર્થન કરનારાની હત્યા થયાના, તેમની ઉપર જીવલેણ હુમલા થયાના અને ધમકી મળ્યાના અનેક બનાવો બની ચૂક્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં જૂનમાં એક હિંદુ ટેલરની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની પણ હત્યા થઇ હતી. આ ઉપરાંત, દેશભરમાંથી અનેક લોકોને સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ ધમકીઓ મળી ચૂકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં