કર્ણાટક (karnataka) ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે. પહેલાં તે તેની સાંસ્કૃતિક વૈવિધ્યતા માટે જાણીતું હતું. જોકે, તાજેતરના વર્ષોમાં રાજ્યની જનસંખ્યાકીય રચનામાં (Demographic composition) નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે, જે રાજકીય અને સામાજિક ચર્ચાઓનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને, કોંગ્રેસશાસિત કર્ણાટકમાં મુસ્લિમોની (Muslim community) વસ્તીમાં ઝડપી વધારો અને લિંગાયત (Lingayat) જેવા હિંદુ સમુદાયોની (Hindu communities) વસ્તીમાં ઘટાડો થવાના અહેવાલોએ નવો વિવાદ જન્માવ્યો છે. કોંગ્રેસ સરકારે (Congress Government) હંમેશાથી પોતાની તુષ્ટિકરણની નીતિ અને વોટબેન્કના રાજકારણને ધ્યાને રાખીને મુસ્લિમ સમુદાય પર વધુ ધ્યાન આપ્યું છે.
એક સરવે અનુસાર, કર્ણાટકમાં કોંગ્રેસ શાસન આવ્યા બાદ મુસ્લિમ સમુદાયની સંખ્યામાં 90%થી વધુની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે વીરશૈવ-લિંગાયત હિંદુ સમુદાયની જનસંખ્યા 1984 બાદથી એક સિંગલ ડિઝિટમાં સમેટાઈ ગઈ છે. 1984માં લિંગાયત સમુદાય રાજ્યની વસ્તીનો લગભગ 17% ભાગ હતો, જ્યારે 2015ની જાતિ જનગણના અનુસાર હવે તે કુલ વસ્તીમાં 11% જેટલો થઈ ગયો છે. રાજ્યની ડેમોગ્રાફીમાં ધીરે-ધીરે આવતા આ બદલાવને ધ્યાનમાં રાખવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે.
વેંકટસ્વામી આયોગના સરવેમાં પ્રથમ સ્થાન પર હતો લિંગાયત સમુદાય
વેંકટસ્વામી આયોગે 1984માં એક સામાજિક અને શૈક્ષણિક સરવે કર્યો હતો. જેમાં રાજ્યની 3.61 કરોડ વસ્તીમાંથી 91% લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સરવેનું પરિણામ એ નીકળ્યું હતું કે, વીરશૈવ-લિંગાયત હિંદુ સમુદાય પ્રથમ સ્થાન પર હતો. જે બાદ બીજા સ્થાન પર અનુસૂચિત જાતિ અને વોક્કાલિગા સમુદાય હતો. આ સરવેમાં મુસ્લિમ સમુદાય ચોથા સ્થાન પર હતો અને સૌથી છેલ્લે કુરુબા અને બ્રાહ્મણ સમુદાય હતો.
ત્યારબાદ 2015માં સરવે થયો હતો, જેમાં તારણો એકદમ વિપરીત સામે આવ્યા હતા. આ સરવેમાં પ્રથમ નંબર પર મુસ્લિમો અને અનુસૂચિત જાતિનો સમાવેશ થયો હતો અને લિંગાયત સમુદાય ત્રીજા સ્થાન પર આવીને અટકી ગયો હતો. કર્ણાટક રાજ્ય પછાત વર્ગ આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સીએસ દ્વારકાનાથના જણાવ્યા અનુસાર, લિંગાયત સમુદાયને ખૂબ મોટો ‘ઝટકો’ લાગ્યો હતો. કારણ કે, તેમના સમુદાયના સભ્યોએ અન્ય લોકોને મળતા ‘ઉચ્ચ આરક્ષણ’ મેળવવા માટે પોતાની ઓળખ બદલવાની શરૂઆત કરી દીધી હતી.
વેંકટસ્વામી આયોગની નિયુક્તિ રામકૃષ્ણ હેગડે સરકારે એપ્રિલ 1983માં કરી હતી અને તેનો રિપોર્ટ માર્ચ 1986માં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. હવે એ જોવાનું બાકી છે કે, 2015ના સરવેનો શું હાલ થાય છે. કારણ કે લિંગાયત અને વોક્કાલિગા હિંદુ સમુદાયના નેતાઓ, ત્યાં સુધી કે કોંગ્રેસની અંદર રહેલા આ નેતાઓ પણ આ બાબતોનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી એમબી પાટીલે કહ્યું છે કે, “કેબિનેટમાં અમારા 7 લિંગાયત મંત્રી છે અને અમે એક સાથે છીએ.”
મુસ્લિમોને વધુ આરક્ષણ આપવા માટે ‘વખણાય’ છે કર્ણાટકની કોંગ્રેસ સરકાર
મુસ્લિમોની વસ્તી વધવી અને હિંદુ સમુદાયની વસ્તીમાં ઘટાડો થવો, આ ઘટનાક્રમ માત્ર એક દિવસ કે રાતમાં નથી થયો. આની પાછળ કોંગ્રેસની વોટબેન્ક અને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ જવાબદાર છે. કારણ કે, કર્ણાટકની કોંગ્રેસ સરકારે રાજ્યમાં માત્ર મુસ્લિમોના આરક્ષણ વધારવા પર જ ધ્યાન આપ્યું છે. રાજ્યની આર્થિક સ્થિતિ ભલે અધોગતિ તરફ જતી રહે પણ કોંગ્રેસ સરકારે મુસ્લિમ અનામતને વધારવામાં કોઈ કચાશ નથી છોડી. તેમણે તો OBCનું આરક્ષણ પણ મુસ્લિમોને સોંપી દીધું છે.
આ કારણોસર હવે મુસ્લિમોને વધુ આરક્ષણ મળવા લાગ્યું છે અને ત્યાંની સ્થાનિક મહત્વપૂર્ણ જાતિ, જેમ કે લિંગાયત અને વોક્કાલિગાને બીજા વર્ગના નાગરિકો તરીકે ટ્રીટ કરવામાં આવી રહી છે. તેથી તેમની વસ્તી સતત ઘટી રહી છે અને પ્રમાણમાં મુસ્લિમોની વસ્તી સતત વધી રહી છે. જોકે, આ આંકડા ખૂબ ચિંતાજનક છે. કારણ કે, તેનાથી એક આખા રાજ્યની ડેમોગ્રાફી બદલાઈ શકે છે.