Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકન્હૈયાલાલની હત્યાના વિરોધમાં દિલ્હીમાં હિંદુઓનું પ્રદર્શન, કહ્યું- ‘આસમાની કિતાબ પર પ્રતિબંધ મૂકો,...

    કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં દિલ્હીમાં હિંદુઓનું પ્રદર્શન, કહ્યું- ‘આસમાની કિતાબ પર પ્રતિબંધ મૂકો, નૂપુર શર્માએ કંઈ ખોટું કહ્યું ન હતું’; ગેહલોત સરકારને પણ ઘેરી

    વિરોધ પ્રદર્શન દરમિયાન એક પ્રદર્શનકારીએ કહ્યું, "તેઓ બહાર આવીને એ જ કરે છે જે તેમની કિતાબમાં લખ્યું છે. નૂપુર શર્માએ કંઈ કહ્યું પણ હતું તો એ જ કહ્યું જે તેમનાં પુસ્તકમાં લખવામાં આવ્યું છે. તેમાં તેમણે શું ખોટું કહ્યું? આ માણસનો શું વાંક છે?

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં ‘બજરંગ દળ’ અને ‘વિશ્વ હિન્દુ પરિષદ’ (VHP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર આજે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ તેમને DTC બસોમાં લઈ ગઈ હતી. અન્ય પણ ઘણી જગ્યાએ હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. પૃથ્વીરાજ રોડ પર સ્થિત રાજસ્થાન હાઉસની સામે પણ હિંદુ કાર્યકર્તાઓનું એકઠું થયું હતું.

    આ દરમિયાન એક પ્રદર્શનકારીએ કહ્યું, “તેઓ બહાર આવીને એ જ કરે છે જે તેમની કિતાબમાં લખ્યું છે. નૂપુર શર્માએ કંઈ કહ્યું પણ હતું તો એ જ કહ્યું જે તેમનાં પુસ્તકમાં લખવામાં આવ્યું છે. તેમાં તેમણે શું ખોટું કહ્યું? આ માણસનો શું વાંક છે? તેણે તો માત્ર સમર્થનમાં ડીપી મૂકી હતી. તેમણે એક અઠવાડિયા પહેલાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ અશોક ગેહલોતની સરકાર બેસી રહી. આ બધું મદરેસામાં ભણાવવામાં આવે છે. હિન્દુઓને કાશ્મીરમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા.”

    વિરોધ કરી રહેલી એક મહિલાએ કહ્યું કે તમામ પુરાવા સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે, તેને ફાંસી આપવામાં આવવી જોઈએ. મહિલાઓએ કહ્યું કે નુપુર શર્મા અમારી બહેન છે, અમે બધા તેમની ડીપી મુકીશું. મહિલાઓએ નુપુર શર્માના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતું, અને કહ્યું કે તેમને હિંદુઓને મારવાનું શીખવવામાં આવે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે વડાપ્રધાનને વીડિયો બનાવીને ધમકી આપવામાં આવી છે, જો તેમને સહેજ પણ નુકસાન થશે તો ગજબ થઇ જશે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ‘હિન્દુસ્તાન તાલિબાન નહીં બને’ જેવા પોસ્ટર પણ દર્શાવ્યા હતા.

    - Advertisement -

    અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, આખો મામલો સ્પષ્ટ થવો જોઈએ અને જેઓ પણ ષડ્યંત્રમાં સામેલ હોય એ તમામને પકડવામાં આવવા જોઈએ, લોકોએ કહ્યું કે, નરેન્દ્ર મોદીને ધમકી આપવામાં આવે તે સહન કરવામાં નહીં આવે. લોકોએ એવી પણ માંગ કરી કે હત્યારાઓને તેમને હવાલે કરી દેવામાં આવે. તેમણે કહ્યું, “આ દેશમાં આસમાની કિતાબ પર પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ.” સાથે જ તેમણે હિંદુઓમાં ભાગલા પાડવાના આરોપ મૂકતા કહ્યું કે, ‘એવૉર્ડ વાપસી ગેંગ’ શા માટે ચૂપ છે?

    કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં આયોજિત પ્રદર્શન દરમિયાન હિંદુ સંગઠનના અન્ય એક પદાધિકારીએ કહ્યું કે, સરહદ પાર કરનારાઓને જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બજરંગ દળ તમામ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે અને અમે એક હિંદુ પીડિત સાથે ઉભા છીએ. તેમણે તંત્ર પર પણ એફઆઈઆર કરવાની માંગ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે હિંદુઓના ટાર્ગેટ કિલિંગ અને અનેક વખત ફરિયાદો આપવામાં આવ્યા છતાં તેઓ ચૂપ રહ્યા હતા. આ દરમિયાન સતત ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લાગતા રહ્યા હતા.

    મદ્રેસાઓમાં ઇશનિંદા પર સર કલમ કરવાનું શીખવવામાં આવે છે : આરિફ મોહમ્મદ ખાન

    આ ઉપરાંત, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પણ કન્હૈયાલાલની હત્યા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સવાલ એ છે કે શું આ બાળકોને ઇશનિંદા કરનારાનું સર કલમ કરવા માટે ભણાવવામાં આવે છે? મુસ્લિમ કાયદાઓ કુરાનમાંથી નથી આવ્યા એ કોઈ માણસે લખ્યા છે જેમાં સર કલમ કરવાનો કાનૂન છે અને આ કાનૂન બાળકોને મદ્રેસામાં ભણાવવામાં આવે છે.

    તેમણે કહ્યું કે, લક્ષણ દેખાવા પર આપણે ગભરાઈ જઈએ છીએ પરંતુ બીમારીને નજરઅંદાજ કરી દઈએ છીએ. મદ્રેસામાં બાળકોને ભણાવવામાં આવે છે કે ઇશનિંદાની સજા શિરચ્છેદ છે. તેને અલ્લાહના કાનૂન તરીકે ભણાવવામાં આવે છે. ત્યાં જે ભણાવવામાં આવે છે તેની તપાસ થવી જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં