Sunday, May 18, 2025
More
    હોમપેજગુજરાતચંડોળા તળાવમાં ઉતર્યો વીજળી વિભાગ અને પોલીસ કાફલો, કપાયા અવૈધ વીજ કનેક્શન,...

    ચંડોળા તળાવમાં ઉતર્યો વીજળી વિભાગ અને પોલીસ કાફલો, કપાયા અવૈધ વીજ કનેક્શન, બાંધકામો થઈ શકે ધ્વસ્ત: વડોદરામાંથી પણ ઝડપાયા 9 ઘૂસણખોરો, રાજ્યભરમાં ચાલી રહ્યું છે ઑપરેશન

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે. તેમણે પોસ્ટ કરતા કહ્યું છે કે, જે ઘરોમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહી રહ્યા હતા, ત્યાંનાં વીજળી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.

    - Advertisement -

    પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાત સરકારે રાજ્યમાંથી તમામ ઘૂસણખોરોને પકડી પાડવાના આદેશો છોડ્યા હતા. જે અંતર્ગત રાજ્યના મોટા-મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી મોટાપાયે બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. હવે જાણવા મળી રહ્યું છે કે, અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોના વીજળી કનેક્શન પણ કાપી નાખ્યા છે.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે. તેમણે પોસ્ટ કરતા કહ્યું છે કે, જે ઘરોમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહી રહ્યા હતા, ત્યાંનાં વીજળી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તે સિવાય ગેરકાયદે બાંધકામોને પણ ધ્વસ્ત કરવામાં આવી શકે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક પણ આ ઑપરેશનમાં હાજર રહ્યા હતા.

    અમદાવાદ પોલીસે આ સમગ્ર ઑપરેશનને લઈને સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં ચાલી રહેલ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા અંગેની ડ્રાઈવના ભાગરૂપે ચંડોળા તળાવ વિસ્તાર કે જ્યાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો મોટી સંખ્યા પડકવામાં આવ્યા હતા, તેમના દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ, વીજળી જોડાણ અને અન્ય બાબતો અંગે જરૂરી સૂચનાઓ આપેલ.

    - Advertisement -

    વડોદરામાંથી પણ ઝડપાયા 9 ઘૂસણખોરો

    આ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે, વડોદરામાં પણ 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. વડોદરા પોલીસ ત્રણ દિવસથી આ કાર્યવાહી હાથ ધરી રહી હતી. આ તમામ ઘૂસણખોરોના દસ્તાવેજોની તપાસ કરીને તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વડોદરા પોલીસની જુદી-જુદી 15 ટીમો આ ઑપરેશનમાં લાગી છે અને શંકાસ્પદોને વેરિફિકેશન માટે નજીકના પોલીસ સ્ટેશન લઈને ગઈ છે.

    પોલીસ કમિશનરે કહ્યું છે કે, “વડોદરામાં 9 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. જેમની પાસે જુદા-જુદા દસ્તાવેજો મળી આવ્યા છે. આ તમામ ડોક્યુમેન્ટ્સની તપાસ માટે ટીમો રચવામાં આવી છે. તેઓ વડોદરામાં ક્યારથી આવ્યા અને કયા રૂટ મારફતે આવ્યા છે. તેમની સાથે બીજા કેટલા લોકો આવ્યા છે અને સગા સંબંધીઓ ક્યાં રહે છે તે તમામ માહિતી પોલીસ એકત્રિત કરશે”. આ ઉપરાંત પાલિતાણા અને અન્ય શહેરોમાં પણ આ ઑપરેશન ચાલી રહ્યું છે.

    નોંધનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદ અને સુરતમાં મોડી રાત્રે ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને વહેલી સવારે અમદાવાદ પોલીસ અને સુરત પોલીસ અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડીને દોરડાથી બાંધી પોલીસ સ્ટેશન સુધી લઈને ગઈ હતી. અમદાવાદમાં લગભગ 1000 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા અને 500ની આસપાસ સુરતમાંથી પણ ઝડપાયા હતા. હાલ પણ આ કાર્યવાહી ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં