પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે દાઉદી વોહરા સમુદાયના (Dawoodi Bohra community) નેતાઓના એક પ્રતિનિધિમંડળને મળ્યા, જેમણે વક્ફ (સુધારા) કાયદા (Waqf Act) માટે તેમનો આભાર માન્યો હતો. આ કાયદાએ મુસ્લિમોના આ લઘુમતી સમુદાયની ઘણાં વર્ષોની માંગણીઓ પૂર્ણ કરી છે.
વાતચીત દરમિયાન મોદીએ કહ્યું કે તેમણે પાંચ વર્ષ સુધી વક્ફ પ્રણાલીની ગૂંચવણોનો અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું કે સરકારને વક્ફ વિશે 1,700થી વધુ ફરિયાદો મળી છે, ખાસ કરીને મહિલાઓ તરફથી, જે તેના ગેરવહીવટ અંગે ધ્યાન દોરે છે.
#WATCH | A delegation of the Dawoodi Bohra community met PM Modi today to thank him for the Waqf Amendment Act.
— ANI (@ANI) April 17, 2025
They said it was a long-pending demand of the community. They reposed faith in PM’s vision of 'Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas'. pic.twitter.com/JKuO8nP33o
પ્રતિનિધિમંડળના એક સભ્યએ કહ્યું કે વડા પ્રધાને વક્ફ સુધારો કાયદો ફક્ત લઘુમતીઓ માટે જ નહીં પરંતુ “લઘુમતીની અંદરના લઘુમતી” માટે પણ રજૂ કર્યો. પ્રતિનિધિમંડળના ઘણા સભ્યોએ નવા વક્ફ કાયદાની સકારાત્મક અસરની ચર્ચા કરી અને મોદીએ સરકારને વક્ફ પ્રણાલીમાં સુધારા લાગુ કરવા માટે પ્રેરિત કરનારા પરિબળો વિશે વિગતવાર જણાવ્યું. દાઉદી વોહરા સમુદાયના સભ્યો સાથેની મુલાકાત પછી, મોદીએ તેમના x એકાઉન્ટ પર મુલાકાતની જાણકારી પણ આપી હતી.
પ્રતિનિધિમંડળ સાથે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ હતા, જેમણે કહ્યું, “વડાપ્રધાનનો ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના તેમના વિઝનમાં વિશ્વાસ ખૂબ જ પ્રેરણાદાયક છે.” અગાઉ, વક્ફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિની (JPC) ચર્ચા દરમિયાન, દાઉદી વોહરા સમુદાયનું પ્રતિનિધિત્વ જાણીતા વકીલ હરીશ સાલ્વે દ્વારા કરવામાં આવ્યું હતું. JPC એ તેના અહેવાલમાં સમુદાયના પ્રતિનિધિત્વનો સમાવેશ કર્યો, જેના પગલે બિલમાં ઘણા નવા સુધારા રજૂ કરવામાં આવ્યા.
શિયા મુસ્લિમ સંપ્રદાયનો સૌથી નાનાઓ પરંતુ સૌથી સમૃદ્ધ સમાજ
નોંધનીય છે કે આ દાઉદી વોહરા સમાજ એ મુસ્લિમ સમુદાયની શિયા મુસ્લિમ વસ્તીનો એક ખૂબ જ નાનો પરંતુ સૌથી સમૃદ્ધ સમાજ માનવામાં આવે છે. અભ્યાસથી લઈને ઈન્ડસ્ટ્રી સુધી આ સમાજના લોકો પહેલી હરોળમાં ઊભા રહેતા હોય છે. પરંતુ સંખ્યાની દ્રષ્ટીએ નાના અને સ્વભાવે બિનલડાકુ હોવાના કારણે મુસ્લિમ સમાજના અન્ય સમુદાયો તેમને દબાવ્યા કરતા હોય છે.
નોંધનીય છે કે આ પહેલા પણ અનેક મુસ્લિમ સમાજો, સંગઠનો અને ધર્મગુરુઓએ મોદી સરકારના આ વક્ફ સુધારા અધિનિયમને પોતાનું સમર્થન આપ્યું છે. તેઓનું માનવું છે કે આ સુધારાઓથી વક્ફનો ખરો અર્થ જળવાશે અને છેલ્લી હરોળના મુસ્લિમોને તેનાથી ફાયદો થશે.