Wednesday, May 14, 2025
More
    હોમપેજદુનિયા'ઇશનિંદા' કેસમાં ખ્રિસ્તી વ્યક્તિને મૃત્યુદંડ, પાકિસ્તાની કોર્ટે 30 લાખનો દંડ પણ ફટકાર્યો:...

    ‘ઇશનિંદા’ કેસમાં ખ્રિસ્તી વ્યક્તિને મૃત્યુદંડ, પાકિસ્તાની કોર્ટે 30 લાખનો દંડ પણ ફટકાર્યો: કુરાનના અપમાનના આરોપો બાદ મુસ્લિમ ટોળાંએ તબાહ કર્યાં હતાં સેંકડો ચર્ચ અને મકાનો

    આતંકવાદ વિરોધી કોર્ટના જજ જાવેદ ઇકબાલ શેખે પાકિસ્તાન પિનલ કોડની કલમ 295-C હેઠળ ઈસાઈ વ્યક્તિન પરવેઝ મસીહને મોતની સજા સંભળાવી હતી. આ સાથે જ PPCની કલમ 295-A હેઠળ 10 વર્ષની જેલ અને 30 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

    - Advertisement -

    પાકિસ્તાનના (Pakistan) ફૈસલાબાદમાં (Faisalabad) શુક્રવારે (18 એપ્રિલ) એક કોર્ટે ‘ઇશનિંદા’ (Blasphemy) કેસમાં એક ખ્રિસ્તી વ્યક્તિને (Christian Man) મોતની સજા (Sentenced to Death) સંભળાવી. વધુમાં કોર્ટે ખ્રિસ્તી વ્યક્તિ પર 30 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આરોપ હતો કે તેણે 2023માં પંજાબ પ્રાંતમાં કુરાનનું અપમાન કર્યું હતું અને તેના કારણે ખ્રિસ્તીવિરોધી હિંસા ભડકી ઉઠી હતી અને તેમાં સેંકડો ચર્ચ અને દુકાનોને ફૂંકી મરાઈ હતી.

    આતંકવાદ વિરોધી કોર્ટના જજ જાવેદ ઇકબાલ શેખે પાકિસ્તાન પિનલ કોડની કલમ 295-C હેઠળ ઈસાઈ વ્યક્તિન પરવેઝ મસીહને મોતની સજા સંભળાવી હતી. આ સાથે જ PPCની કલમ 295-A હેઠળ 10 વર્ષની જેલ અને 30 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે, કોર્ટે અન્ય બે શંકાસ્પદો દાઉદ વિલિયમ અને શાહિદ આફતાબને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે.

    શું હતો કેસ?

    ઑગસ્ટ 2023માં લાહોરથી લગભગ 130 કિલોમીટર દૂર પંજાબના ફૈસલાબાદ જિલ્લાના જરાંવાલામાં બે ખ્રિસ્તી ભાઈઓ- આમિર મસીહ અને રોકી મસીહ વિરુદ્ધ ઇશનિંદાના આરોપો લગાવવામાં આવ્યા હતા. જે બાદમાં ખોટા નીકળ્યા હતા. પરંતુ આરોપો સામે આવ્યા બાદ કટ્ટરપંથી મુસ્લિમ ટોળાંએ 20થી વધુ ચર્ચ અને ખ્રિસ્તી પરિવારોના 80થી વધુ ઘરોમાં તોડફોડ કરી હતી અને વસાહતોને તબાહ કરી નાખી હતી.

    - Advertisement -

    એક પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે, દોષિત પરવેઝ મસીહે બંને ખ્રિસ્તી ભાઈઓના ઘરની બહાર કુરાનના બળેલા પાનાં ફેંકી દીધા હતા. આ સાથે પાકિસ્તાની અધિકારીએ એવું પણ કહ્યું છે કે, પરવેઝે આ બાબત કોર્ટમાં પણ સ્વીકારી છે. જૂની અદાવતમાં તેણે આ કામ કર્યું હોવાનું તેણે જણાવ્યું હતું. જરાંવાલાની ઘટના બાદ પોલીસે આમિર મસીહ અને રોકી મસીહની ધરપકડ કરી હતી. જે બાદ તપાસ દરમિયાન આમિર અને રોકીને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવ્યા હતા.

    ત્યારબાદ પોલીસે પરવેઝ અને તેના અન્ય બે સાથીઓની આમિર અને રોકીના ઘરની બહાર કુરાનના પાનાં ફેંકવાના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટે પરવેઝને મોતની સજા સંભળાવી હતી અને તેના અન્ય બે સાથીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. આ કેસમાં પરવેઝના વકીલ અકમલ ભટ્ટીએ શનિવારે (19 માર્ચ) કહ્યું છે કે તેઓ ફૈસલાબાદ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ દાખલ કરશે.

    ખ્રિસ્તીઓની વસાહતો તબાહ કરનારાઓ પર ન થઈ કોઈ કાર્યવાહી

    અહીં એ પણ નોંધવા જેવું છે કે લાહોરમાં અનેકો ચર્ચ અને ખ્રિસ્તીઓના ઘરોને તબાહ કરનારા મુસ્લિમ કટ્ટરપંથીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. માહિતીના અધિકાર દ્વારા મેળવવામાં આવેલી માહિતીના આધારે 5,214 શંકાસ્પદોમાંથી માત્ર 380ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 4,833 હાલ પણ ફરાર છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી 228 હાલ ફૈસલાબાદ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન પર બહાર છે.

    તે સિવાય 77 વ્યક્તિઓ પરથી તમામ આરોપો પણ હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત હિંસાથી પ્રભાવિત લગભગ 40% લઘુમતી ખ્રિસ્તી પરિવારો હાલ પણ સરકારી વળતરથી વંચિત છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં લઘુમતીઓને ટાર્ગેટ કરવા માટે ઇશનિંદાના કાયદાનો ખૂબ દુરુપયોગ થતો રહે છે. વ્યક્તિગત દુશ્મની કાઢવા માટે પણ ઘણી વખત મુસ્લિમો દ્વારા લઘુમતીઓ પર આવા આરોપો લગાવી દેવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં