Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત સરકારના મંત્રીએ ઉઠાવ્યો બોગસ ખેડૂત અને લેન્ડ જેહાદનો મુદ્દો: કહ્યું કે...

    ગુજરાત સરકારના મંત્રીએ ઉઠાવ્યો બોગસ ખેડૂત અને લેન્ડ જેહાદનો મુદ્દો: કહ્યું કે આવા કિસ્સાઓમાં એક પણ આરોપીને છોડવામાં નહિ આવે

    પત્રકાર પરિષદમાં લેન્ડ જેહાદ વિષે વાત કરતા મહેસુલ મંત્રીએ એક કેસમાં કહ્યું કે કમાલ ભાઈએ પોતાની અટક કમલવાલા કરીને બોગસ ખેડૂત બની જમીન ખરીદી છે.

    - Advertisement -

    ખેડા જિલ્લાના માતર ખાતે બોગસ ખેડૂતોએ મોટા પાયે જમીન ખરીદી હોવાની વિગતો મળતા પોતે તાપસ માટે પહોંચેલ ગુજરાત સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે માતરમાં મામલતદાર કચેરીની ઓચિંતા જ મુલાકાત લઇ આવા બોગસ ખેડૂતો અને લેન્ડ જેહાદ કરનારાઓને આડે હાથે લીધા હતા. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બનાવટી દસ્તાવેજને આધારે ખેડૂત ખાતેદાર બનતા બોગસ ખેડૂતોની હવે ખેર નથી.

    ખેડાના માતરમાં મામલતદાર કચેરીની મુલાકાતે આવેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોગસ ખેડૂતોને ઉદ્દેશીને આ ચેતવણી આપી હતી. માતરમાં ખોટા દસ્તાવેજથી બોગસ ખેડૂત બન્યાની ફરિયાદ અંગે તપાસ માટે પહોંચેલા મહેસૂલ મંત્રીએ મહેસૂલ વિભાગના કર્મચારીઓને સાથે રાખી બોગસ ખેડૂતો અંગે જાતે તપાસ કરી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યુ હતુ કે ખોટા દસ્તાવેજથી ખેડૂત બનેલા લોકો ચેતી જાય. બદઈરાદાથી સામૂહિક જમીન ખરીદાય તેના પર સરકારની નજર છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે અમે બોગસ લોકોને જગતનો તાત નહીં બનવા દઈએ.

    માતરમાં 2000 વીઘા જમીન બનાવટી ખેડૂતોના નામે

    માતરમાં મહેસૂલ મંત્રીએ જણાવ્યુ કે કોઈપણ બોગસ ખેડૂતો ગમે તેટલા મોટા ચમરબંધી કેમ ન હોય, સરકાર તેમને છોડશે નહીં. જો બનાવટી દસ્તાવેજના આધારે ખેડૂત બન્યાની જાણ થશે તો તેની જમીન સરકાર હસ્તક થઈ જશે. સાથે જ કહ્યું કે માતરમાં 2 હજાર વીઘા જમીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. આ તમામની જમીન જપ્ત કરાશે. એ જમીન સરકાર હસ્તક કરવામાં આવશે. એક જ વિસ્તારમાંથી સામૂહિક ખેડૂત ખાતેદાર બન્યા છે. જેમા મોટાભાગના લોકો અમદાવાદના હોવાનુ સામે આવ્યુ છે. આ તમામ ખેડૂત ખાતેદારો સામે ફોજદારી રાહે કાર્યવાહી પણ કરવામાં આવશે.

    - Advertisement -

    આ પત્રકાર પરિષદમાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ કે “અમારી પોતાની વ્યવસ્થા છે અને અમે પણ બાતમીદારો રાખીએ છીએ અને તેના લીધે જ આ બધી માહિતી મળતી હોય છે.” તેમણે કહ્યુ તેમને છેલ્લા 2 મહિનાથી માહિતી મળી રહી છે. આ માહિતીના આધારે કેસની ચકાસણી કરવામાં આવી અને સંપૂર્ણ ડેટા બહાર આવ્યો છે. ત્રિવેદીએ ચેતવણીના સૂરમાં કહ્યુ કે બોગસ દસ્તાવેજ કરનાર અધિકારીઓને પણ છોડવામાં નહીં આવે.

    તેમણે કહ્યુ હતુ કે બનાવટી ડોક્યુમેન્ટ જેમણે રજૂ કર્યા છે તેમને 10 વર્ષની જન્મટીપની સજા થાય તેવા ઈન્ડિયન પીનલ કોડની કલમ 465, 467, 468 બધી લાગશે. પોલીસ વિભાગ પણ સંકલનમાં છે. આ આખી ચકાસણીના અંતે જોઈએ તો 1 હજાર 30 કેસ ચકાસ્યા છે. તેમાંથી હાલમાં 628 કેસો ભારે શંકાસ્પદ જણાયા છે. તેની પ્રાથમિક ચકાસણી માટે 500 લોકોને એકસાથે પુરાવા રજૂ કરવા માટેની નોટિસો આપી છે. જેથી સાચો માણસ દંડાય નહીં અને ખોટો બચીને જાય નહીં. તેમણે જણાવ્યુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના છે કે કોઈપણ જગ્યાએ બનાવટી ખેડૂત બન્યા હશે તો તેમને છોડવામાં નહીં આવે.

    મહેસુલ મંત્રીએ લેન્ડ જેહાદનો મુદ્દો પણ ઉઠાવ્યો

    પત્રકાર પરિષદમાં લેન્ડ જેહાદ વિષે વાત કરતા મહેસુલ મંત્રીએ એક કેસમાં કહ્યું કે કમાલ ભાઈએ પોતાની અટક કમલવાલા કરીને બોગસ ખેડૂત બની જમીન ખરીદી છે. બહેરામપુરા અને જમાલપુરમાંથી આ દસ્તાવેજ ઊભા કર્યા છે. આવા લોકોએ ભગવાનના મંદિરોને પણ છોડ્યા નથી. તેમણે પ્રાણનાથ મહાદેવ મંદિરની જમીન પણ બનાવતી કાગળોથી ખરીદી છે.

    આગળ વાત કરતા તેમને જણાવ્યું હતું કે માતરમાં સાણંદના હિન્દૂ ખાતેદારોની જમીન મુસ્લિમો મોટા પ્રમાણમાં ખરીદી રહ્યા છે. જે માટે મંત્રીએ ઘણા ઉદાહરણરૂપ કેસની વાત પણ કરી હતી.

    બીજું એક ઉદાહરણ આપતા મહેસુલ મંત્રીએ જણાવ્યું કે માતર ગામમાં બે ખાતાની જમીન 3 વ્યક્તિના નામે હતી. 2006માં વારસાઈ થતાં 44 વ્યક્તિ વારસદાર બની ગયા. ભાણી અને ભાણીયાના નામો દાખલ કરાવ્યા છે. 2006માં માતાની ઉંમર 49 વર્ષ અને પુત્રની ઉંમર 51 વર્ષ દર્શાવી છે.

    ત્રિવેદીએ કહ્યું કે એક ભરવાડ સમાજના વ્યક્તિની વારસાઈમાં મુસ્લિમોએ નામ ચડાવ્યા છે. આવા લેન્ડ જેહાદના કિસ્સાઓ પર આકરાં થઈને તેમણે કહ્યું કે એક મુસ્લિમ અધિકારીની દેખરેખ હેઠળ આવા 200 જેટલા લેન્ડ જેહાદના કેસ નોંધાયા છે. આ બધા કેસોમાં પૈસા ક્યાંથી આવે છે તેની તપાસ કરવા ED ને પણ સંમેલિત કરવામાં આવશે તેવું મંત્રીએ ઉમેર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં