Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરમઝાન મહિનામાં રોઝા રાખનાર કર્મચારીઓને કલાક વહેલી રજા અપાશે: બિહારની નીતીશ સરકારનું...

    રમઝાન મહિનામાં રોઝા રાખનાર કર્મચારીઓને કલાક વહેલી રજા અપાશે: બિહારની નીતીશ સરકારનું ફરમાન, ભાજપે તુષ્ટિકરણના આરોપ લગાવ્યા

    આ બાબતે આરજેડીના નેતા એઝાજ અહમદે કહ્યું હતું કે દેશની ધર્મનિરપેક્ષતાને મજબુત કરવા માટે આ પ્રકારના નિર્ણયો મહત્વનો ભાગ ભજવશે.

    - Advertisement -

    અગામી લોકસભા ચૂંટણી પહેલા નીતીશ સરકારે તૃષ્ટિકરણનો દાવ ખેલ્યો હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. વાસ્તવમાં બિહારની સરકારે રમઝાન મહિનામાં રોઝા કરતા કર્મચારીઓને 1 કલાક વહેલા રજા આપવાની છૂટ આપી છે. આટલું જ નહી, ફરતા કરવામાં આવેલા સર્ક્યુલરમાં તેવો પણ ઉલ્લેખ છે કે આ છૂટ દર વર્ષે આપવામાં આવશે. નીતીશ સરકારના આ નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટીએ હિંદુ તહેવારોમાં પણ આ પ્રકારની છૂટછાટ આપવાની માંગ કરી છે.

    અહેવાલો અનુસાર ગઈકાલે (17 માર્ચ 2023 શુક્રવાર) જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં બિહારની સરકારે રમઝાન મહિનામાં રોઝા કરતા કર્મચારીઓને 1 કલાક વહેલા રજા આપવાની છૂટ આપી છે. બિહાર સરકારના મુખ્ય સચિવ તરફથી જાહેર કરવામાં આવેલા આ આદેશને તમામ વિભાગો, વિભાગ સહ અધ્યક્ષો, ડીજીપી, જીલાધીકરીઓ, અને અન્ય મહત્વના હોદ્દેદારોને મોકલવામાં આવ્યું છે. આદેશમાં જણાવ્યાં અનુસાર જ્યાં બાયોમેટ્રિક લગાવવામાં આવ્યું છે ત્યાં પણ આ આદેશ લાગું કરવામાં આવશે. તેમાં તેવો પણ ઉલ્લેખ છે કે આ આદેશ દર વર્ષે રમઝાન મહિનામાં સ્થાયી રૂપે લાગું કરવામાં આવશે.

    ભાજપે લગાવ્યો તૃષ્ટિકરણનો આરોપ

    બિહારની નીતીશ સરકારના આ નિર્ણય બાદ રાજ્યની વિપક્ષીય પાર્ટી ભાજપે તેને તૃષ્ટિકરણની રાજનીતિ ગણાવી હતી. ભાજપે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નીતીશ કુમારે હિંદુ તહેવારોને લઈને તો ક્યારેય આ પ્રકારના નિર્ણયો નથી લીધા. ભાજપ નેતા અરવિંદ કુમારે આ બાબતે જણાવ્યું હતું કે બિહાર સરકારે નવરાત્રી, અને રામનવમી દરમિયાન હિંદુ કર્મચારીઓ માટે પણ આ પ્રકારના નિર્ણયો લેવા જોઈએ અને સરકારી આદેશો જાહેર કરવા જોઈએ.

    - Advertisement -

    તો બીજી તરફ નીતીશ સરકારના આ નિર્ણયને RJDએ વધાવી લીધો છે. આ બાબતે એઝાજ અહમદે કહ્યું હતું કે દેશની ધર્મનિરપેક્ષતાને મજબુત કરવા માટે આ પ્રકારના નિર્ણયો મહત્વનો ભાગ ભજવશે. બિહાર સરકારના આ નિર્ણયથી ગંગા-જમના તહેઝીબ વધુ મજબુત થશે , તો બીજી તરફ JDUએ પણ કહ્યું હતું કે સરકારના આ નિર્ણયથી કોઈ પણ કામ અટકવાના નથી, અને કોઈને પણ હાલાકી ભોગવવાનો વારો નહી આવે. તમામ કર્યો યથાવત ચાલુ રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં