Friday, May 16, 2025
More
    હોમપેજદેશફિલ્મ ‘ફૂલે’ની રિલીઝમાં થતા વિલંબથી ઉશ્કેરાઈ ગયેલા અનુરાગ કશ્યપે બ્રાહ્મણોને ટાર્ગેટ કરવા...

    ફિલ્મ ‘ફૂલે’ની રિલીઝમાં થતા વિલંબથી ઉશ્કેરાઈ ગયેલા અનુરાગ કશ્યપે બ્રાહ્મણોને ટાર્ગેટ કરવા ઘસી નાખી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, લોકોએ ઠપકો આપ્યો તો કહ્યું– ‘બ્રાહ્મણો પે મેં મૂ@ગા’

    આટલેથી અનુરાગ કશ્યપ ન અટકતાં કૉમેન્ટ સેક્શનમાં જ્યારે લોકોએ તેમને ખરીખોટી સંભળાવી તો ફરી ઉશ્કેરાટમાં આવીને ગમે તેવા શબ્દોમાં વળતા જવાબો આપ્યા હતા. જેમાંથી એક જવાબમાં અહીં સુધી કહી દીધું કે– ‘બ્રાહ્મિન પે મેં મૂતુંગા….કોઈ પ્રોબ્લેમ?’ 

    - Advertisement -

    જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત ફિલ્મ બ્રાહ્મણ સમૂહોના વિરોધ અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા સૂચવવામાં આવેલા અમુક સુધારાના કારણે પાછળ ઠેલાતાં બોલિવુડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે ઇન્સ્ટાગ્રામ પર બળાપો ઠાલવ્યો છે અને એટલું જ નહીં પણ બ્રાહ્મણો વિશે પણ આપત્તિજનક ભાષા વાપરીને ગામને ગાળો દેવા માંડી છે. 

    અનુરાગ કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘ધડક 2ના સ્ક્રિનિંગમાં સેન્સર બોર્ડે કહ્યું કે, મોદીજીએ ભારતમાં જાતિ વ્યવસ્થા સમાપ્ત કરી દીધી છે. તેના આધારે જ સંતોષ પણ ભારતમાં રેલી ન થઈ. હવે બ્રાહ્મણોને સમસ્યા છે ફૂલે સાથે. ભાઈ, જ્યારે જાતિવ્યવસ્થા જે નથી તો પછી ક્યાંના બ્રાહ્મણ? તમે છો કોણ? તમને જલન કેમ થઈ રહી છે?”

    આગળ કશ્યપ લખે છે, “જ્યારે કાસ્ટ સિસ્ટમ હતી જ નહીં તો જ્યોતિબા ગુલે અને સાવિત્રીબાઈ ફૂલે કોણ હતાં? કાં તો તમારું બ્રાહ્મણપણું જ અસ્તિત્વમાં નથી, કારણ કે મોદીના કહ્યા અનુસાર તો ભારતમાં જાતિ વ્યવસ્થા છે જ નહીં. કે પછી બધા મળીને ચૂ@% બનાવી રહ્યા છે. ભાઈ મળીને નક્કી કરી લો કે ભારતમાં જાતિ વ્યવસ્થા છે કે નહીં. લોકો ચૂ&યા નથી.”

    - Advertisement -

    અંતે બ્રાહ્મણોને ફરી ટાર્ગેટ કરતાં તેઓ લખે છે કે, “તમે બ્રાહ્મણ છો કે પછી તમારા બાપ છે, જેઓ ઉપર બેઠા છે. નક્કી કરી લો.”  

    આટલેથી અનુરાગ કશ્યપ ન અટકતાં કૉમેન્ટ સેક્શનમાં જ્યારે લોકોએ તેમને ખરીખોટી સંભળાવી તો ફરી ઉશ્કેરાટમાં આવીને ગમે તેવા શબ્દોમાં વળતા જવાબો આપ્યા હતા. જેમાંથી એક જવાબમાં અહીં સુધી કહી દીધું કે– ‘બ્રાહ્મિન પે મેં મૂતુંગા….કોઈ પ્રોબ્લેમ?’ 

    ઉલ્લેખનીય છે કે પ્રતીક ગાંધી અને પત્રલેખા અભિનીત ફિલ્મ ફૂલે સેન્સર બોર્ડ પાસે જતાં બોર્ડે તેમાં અમુક કટ સૂચવ્યા હતા. ત્યારબાદ તેનું પાલન કરીને ડાયરેક્ટર અને ટીમે જરૂરી સુધારા કર્યા હતા. ત્યારબાદ ફિલ્મને U સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને રિલીઝની તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી. 

    જોકે પછીથી વિરોધના કારણે ફિલ્મની રિલીઝ પાછળ ઠેલાય ગઈ અને હવે 25 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં આવશે. ફિલ્મ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત છે. એક તરફ સોશિયલ મીડિયા પર ફિલ્મ રિલીઝ પહેલાં જ ચર્ચામાં રહી છે અને બીજી તરફ અનુરાગ કશ્યપ જેવાઓ મુદ્દાની આડમાં પોતપોતાનો એજન્ડા ચલાવી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં