Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપીના ગોરખપુરમાં અમીર સુહૈલે ગોલુ બનીને 17 વર્ષની હિંદુ સગીરા સાથે લવ...

    યુપીના ગોરખપુરમાં અમીર સુહૈલે ગોલુ બનીને 17 વર્ષની હિંદુ સગીરા સાથે લવ જેહાદ આચર્યો: 2 વર્ષ સુધી બળાત્કાર કર્યા બાદ ધર્માંતરણ કરવા દબાણ કર્યું

    પીડિતાએ જણાવ્યાં અનુસાર સંપર્કમાં આવ્યાના થોડા સમય બાદ જ સુહૈલ ઉર્ફે ગોલુએ તેની સાથે પરાણે શારીરિક સબંધ બાંધ્યો હતો, આટલું જ નહી, ત્યાર બાદ તે પીડિતાને બ્લેક મેલ કરીને લગ્ન કરવા માટે પણ દબાણ કરવા લાગ્યો હતો.

    - Advertisement -

    યુપીના ગોરખપુરમાં અમીર સુહૈલે ગોલુ બનીને 17 વર્ષની હિંદુ સગીરા સાથે લવ જેહાદ આચર્યો હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહી, અમીર સુહેલે નામ બદલીને સગીરા પર 2 વર્ષ સુધી બળાત્કાર પણ ગુજાર્યો હતો. સગીરાએ પોતાની વ્યથા પોલીસને જણાવતા તેમ પણ કહ્યું હતું કે વાસ્તવિકતા સામે આવ્યાં બાદ સુહેલ તેને ધર્માંતરણ કરીને ઇસ્લામ કબુલ કરવા માટે પણ દબાણ કરી રહ્યો હતો. હાલ આરોપી સુહેલ ફરાર છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    અહેવાલો અનુસાર ગોરખપુરમાં સગીરા સાથે લવ જેહાદ થવાની આ ઘટના ખજની પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઉનવલ વિસ્તારની છે. જ્યાં પીડિતા દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. સગીરાએ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર 2 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020માં શાળાએ જતા સમયે તેનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો. સગીરાનો આ ખોવાયેલો ફોન સુહૈલને મળ્યો હતો. પીડિતાએ જયારે તેના ખોવાયેલા ફોનમાં કોલ કર્યો તો સુહૈલે ફોન ઉપાડ્યો હતો, અને તેણે પોતાનું નામ ગોલુ જણાવ્યું હતું. જે બાદ બંને સંપર્કમાં આવ્યાં હતા.

    પીડિતાએ જણાવ્યાં અનુસાર સંપર્કમાં આવ્યાના થોડા સમય બાદ જ સુહૈલ ઉર્ફે ગોલુએ તેની સાથે પરાણે શારીરિક સબંધ બાંધ્યો હતો, આટલું જ નહી, ત્યાર બાદ તે પીડિતાને બ્લેક મેલ કરીને લગ્ન કરવા માટે પણ દબાણ કરવા લાગ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2021માં પીડિતાએ સુહૈલના દબાણમાં આવીને એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જોકે પીડિતાએ જણાવ્યું હતું કે ત્યાં સુધી તે ગોલુ મુસ્લિમ છે તે વાસ્તવિકતાથી સાવ અજાણ હતી. લગ્નના 2 વર્ષ બાદ જયારે સુહૈલનો ભાંડો ફૂટી ગયો તો તેણે પીડિતાને ધર્માંતરણ કરીને ઇસ્લામ કબુલ કરવા દબાણ કરતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે.

    - Advertisement -

    પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી અમીર સુહૈલ મૂળ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનો છે. તે પીડિતાને પોતાની સાથે ત્યાં જ રહેતો હતો. આમિરની વાસ્તવિકતા જાણ્યા બાદ યુવતી બસ્તીથી ભાગીને ગોરખપુરમાં પોતાના માતા-પિતાના ઘરે આવી ગઈ હતી. ત્યાં પીડિતાએ તેના પરિવારને બધી વાત જણાવી હતી. આ પછી પીડિતા દ્વારા ખજની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી, જ્યાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમિર સુહૈલને ગુનો નોંધાયાની જાણ થતાં જ તે ભાગી છૂટ્યો હતો, હાલ લવ જેહાદ આચરનાર આરોપીની શોધખોળ ચાલુ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં