Friday, February 21, 2025
More
    હોમપેજક્રાઈમદિલ્હી પોલીસે અલ કાયદાના આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા ડૉ. ઇશ્તિયાક અહેમદ સહિત...

    દિલ્હી પોલીસે અલ કાયદાના આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા ડૉ. ઇશ્તિયાક અહેમદ સહિત 8 આરોપીઓ સામે ચાર્જશીટ કરી દાખલ: કોર્ટે 3 આરોપીઓને આપ્યા જામીન

    ડૉ. ઇશ્તિયાક અહેમદ અલ કાયદા મોડ્યુલ ચલાવવા પાછળનો માસ્ટર માઈન્ડ હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે રાંચી, લોહરદગા અને હજારીબાગના લોકોને તેના જૂથમાં સામેલ કર્યા હતા. તેમનું બ્રેઈનવોશ કર્યા પછી, તે તેમને વિવિધ પ્રકારની તાલીમ માટે દેશના વિવિધ ભાગોમાં મોકલતો હતો.

    - Advertisement -

    17 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી પોલીસે (Delhi Police) અલ કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) મોડ્યુલ કેસમાં ધરપકડ કરાયેલા 8 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની (UAPA) જોગવાઈઓ હેઠળ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં, દિલ્હી, ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં, પોલીસે AQIS સાથે જોડાયેલા 12 લોકોની ધરપકડ કરી હતી.

    જોકે, ચાર્જશીટ ફક્ત 8 આરોપીઓ સામે દાખલ કરવામાં આવી હતી, જેમાં ડૉ. ઇશ્તિયાક અહેમદ, ઇનામુલ અંસારી, શાહબાઝ અંસારી, અલ્તાફ અંસારી, મોહમ્મદ રિઝવાન, મોતી-ઉર-રહેમાન, મુફ્તી રહેમતુલ્લાહ અને ફૈઝાન અહેમદનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ આરોપીઓ ઉમર ફારૂક, હસન અંસારી અને અરશદ ખાન, જેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી ન હતી, તેમને એડિશનલ સેશન્સ જજ ડૉ. હરદીપ કૌરે જામીન આપ્યા હતા.

    ન્યાયાધીશે ચાર્જશીટ પર વિચારણા માટે 24 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. નોંધનીય છે કે ડૉ. ઇશ્તિયાક અહેમદ અલ કાયદા મોડ્યુલ ચલાવવા પાછળનો માસ્ટર માઈન્ડ હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે રાંચી, લોહરદગા અને હજારીબાગના લોકોને તેના જૂથમાં સામેલ કર્યા હતા. તેમનું બ્રેઈનવોશ કર્યા પછી, તે તેમને વિવિધ પ્રકારની તાલીમ માટે દેશના વિવિધ ભાગોમાં મોકલતો હતો.

    - Advertisement -

    આ 12 આરોપીઓમાંથી 6ની ધરપકડ 22 ઓગસ્ટ 2024ના રોજ રાજસ્થાનના ભીંવાડીથી કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓ હથિયારો ચલાવવાની તાલીમ લઈ રહ્યા હતા. આ ઉપરાંત ઝારખંડના રાંચી, લોહરદગા અને હજારીબાગમાંથી પણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી AK-47 રાઇફલ, રિવોલ્વર, કારતૂસ, એર રાઇફલ, હેન્ડ ગ્રેનેડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

    તપાસમાં જાણવા મળ્યું હતું કે રાંચી સ્થિત રેડિયોલોજિસ્ટ ડૉ. ઇશ્તિયાક એક આત્મઘાતી ટુકડી બનાવવાની યોજના બનાવી રહ્યો હતો. તેણે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં તેનું નેટવર્ક ફેલાવ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે અલ-કાયદા પ્રેરિત આતંકવાદી મોડ્યુલે પીએમ-કિસાન યોજનાનો ઉપયોગ કરીને જેહાદ માટે ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી હતી. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બે વ્યક્તિઓ પીએમ-કિસાન યોજનાના લાભાર્થી હતા જેમના પર દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે શસ્ત્રો ખરીદવા માટે પૈસા પૂરા પાડ્યા હોવાનો આરોપ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં