Sunday, May 5, 2024
More
    હોમપેજરાજકારણ'હું 27મીએ તારી ચામડી ખેંચી કાઢીશ': ઓમપ્રકાશ રાજભરે બિહારના સીએમ નીતિશને મંચ...

    ‘હું 27મીએ તારી ચામડી ખેંચી કાઢીશ’: ઓમપ્રકાશ રાજભરે બિહારના સીએમ નીતિશને મંચ પરથી આપી ખુલ્લી ધમકી, જાતિગત ગણના પર માંગ્યો જવાબ

    ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે "તમામ પક્ષો 'સાવધાન રથયાત્રા'થી ડરી ગયા છે. આ પાર્ટીઓને ડર છે કે ઓમપ્રકાશ રાજભર કદાચ જનતાને જાગૃત ન કરી દે." આના એક દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે "તેમની પાસે વોટની શક્તિ છે, જે તેમને મજબૂત બનાવી રહી છે, જેના કારણે તેઓ 2024માં દિલ્હી સુધી પીળો ઝંડો લહેરાશે."

    - Advertisement -

    સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે પોતાની સાવધાન રથયાત્રા દરમિયાન બિહાર રાજ્યમાં જાતિગત ગણના ન કરાવવા બદલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચામડી ખેંચી કાઢવાની ધમકી આપી છે.

    બિહારને અડીને આવેલા બલિયામાં પાર્ટીની ‘સાવધાન રથયાત્રા’ દરમિયાન બોલતા રાજભરે કહ્યું કે “નીતીશ કુમારે સમજાવવું જોઈએ કે બિહારમાં જાતિગત ગણનામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, જો નીતિશ આ સવાલોના જવાબ આપવામાં મોડું કરશે તો હું તેની ચામડી ખેંચી કાઢીશ.”

    રાજભર અહીંથી ન અટક્યા. તેમણે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે “ઈતિહાસ સાક્ષી છે કે આજ સુધી ભાજપ ગઠબંધન વગર પોતાના દમ પર સરકાર બનાવી શકી નથી.” રાજભર શુક્રવારે (21 ઓક્ટોબર 2022) બલિયામાં આયોજિત સાવધાન રથયાત્રા ને સંબોધિત કરી રહ્યા હતા.

    - Advertisement -

    તેમણે કહ્યું કે “આરજેડી બિહારમાં તેમનો સાથી છે અને બંને જાતિની વસ્તી ગણતરીના પક્ષમાં છે. આમ છતાં નીતિશ જાતિની વસ્તી ગણતરીમાં વિલંબ કરી રહ્યા છે. તેમને તેનો હિસાબ આપવો પડશે.” રાજભરે કહ્યું કે “27 ઓક્ટોબર, 2022ના રોજ બિહારમાં સાવધાન રથયાત્રા નું સમાપન થઈ રહ્યું છે. આ દરમિયાન પટનાના ગાંધી મેદાનમાં નીતિશ પાસે હિસાબ માંગવામાં આવશે.”

    ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે “તમામ પક્ષો ‘સાવધાન રથયાત્રા’થી ડરી ગયા છે. આ પાર્ટીઓને ડર છે કે ઓમપ્રકાશ રાજભર કદાચ જનતાને જાગૃત ન કરી દે.” આના એક દિવસ પહેલા રાજભરે સદતમાં કહ્યું હતું કે “તેમની પાસે મતોની શક્તિ છે, જે તેમને મજબૂત બનાવી રહી છે, જેના કારણે તેઓ 2024માં દિલ્હી સુધી પીળો ઝંડો લહેરાવશે.”

    રાજભરની પાર્ટીની સાવધાન રથયાત્રા 26 સપ્ટેમ્બરે યુપીની રાજધાની લખનૌથી શરૂ થઈ હતી. આ રથયાત્રા રાજ્યના 19 જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે, જેમાં લખનૌ, વારાણસી, આઝમગઢ, ચંદૌલી, મૌ, ગાઝીપુર, બલિયા વગેરે પૂર્વાંચલના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં