પહલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત (India) અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. આતંકી દેશ પાકિસ્તાનનું પાણી પણ સિંધુ જળ સંધિ સ્થગિત કરીને રોકી દેવામાં આવ્યું છે. તેવામાં હવે કંગાળ પાકિસ્તાનની હાલત વધુ કફોડી થવાની અણીએ છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મુસ્લિમ બાહુલ્ય તૂર્કી (Turkey) પાકિસ્તાનના સમર્થનમાં (support Pakistan) દોડી આવ્યું છે. તૂર્કીએ આતંકી દેશ પાકિસ્તાનને પોતાનું સમર્થન આપ્યું છે અને મિલિટરી એરક્રાફ્ટ મોકલીને લડાકુ ઉપકરણ પહોંચાડ્યા છે.
તૂર્કી વાયુસેનાનું C-130 હરક્યુલિસ મિલિટરી કાર્ગો એરક્રાફ્ટ રવિવારે (27 એપ્રિલ) કરાચી પહોંચ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લડાકુ ઉપકરણો હતા. મીડિયામાં સૂત્રોને ટાંકીને કહેવાય રહ્યું છે કે, તૂર્કી ખુલ્લીને પાકિસ્તાનના સમર્થનમાં દોડી ગયું છે. કરાચી સિવાય તૂર્કીના 6 મિલિટરી એરક્રાફ્ટ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. ઇસ્લામાબાદના એક સૈન્ય ઠેકાણાં પર આ વિમાનોએ લડાકુ ઉપકરણો ઉતાર્યા છે.
Six Turkish C-130 Hercules transport aircrafts with Military Cargo have landed in Pakistan on Sunday.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 27, 2025
તૂર્કી અને પાકિસ્તાન બંને દેશોએ સૈન્ય કાર્ગોના હસ્તાંતરણની પુષ્ટિ પણ કરી છે. જોકે, શિપમેન્ટના વિશેષ વિવરણનો ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ એક વાત ચોક્કસ સ્પષ્ટ છે કે, તૂર્કી પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું છે. વધુમાં ચીને પણ પાકિસ્તાનને ડ્રોન આપ્યા છે. તૂર્કીનું આ સમર્થન એવા સમયે ચર્ચામાં આવ્યું છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદને લઈને તણાવ વધી રહ્યો છે.
આ સાથે જ પાકિસ્તાની એરફોર્સ (PAF) પણ ભારતની શક્તિને પારખી ગઈ છે અને પોતાના એરબેઝને અપગ્રેટ કરવા લાગી છે. પાકિસ્તાની વાયુસેનાએ પેન્સી, સ્કાર્દુ અને સ્વાત જેવા મુખ્ય હવાઈ ઠેકાણાં પણ સક્રિય કરી દીધા છે અને ત્યાં F-16, J-10 અને JAF-17 જેવા ફાઇટર જેટ તૈનાત કરી દીધા છે. તેવામાં તૂર્કી દ્વારા પૂરી પાડવામાં આવેલી મદદ પણ એક રીતે ઇસ્લામી આતંકવાદનું સમર્થન કરવા બરાબર છે.
‘ઑપરેશન દોસ્ત’ ભૂલીને ઇસ્લામી દેશ સાથે ‘લોહીનો સંબંધ’ નિભાવ્યો તૂર્કીએ
એક સમય એવો હતો કે તૂર્કીના સંકટ સમયે ભારત ‘ફર્સ્ટ રિસપોન્ડર’ બનીને આગળ આવ્યું હતું અને તેની મદદ કરી હતી. 6 ફેબ્રુઆરી, 2023ના રોજ તૂર્કી અને સિરીયામાં આવેલા વિનાશક ભૂકંપે બંને દેશોની કમર તોડી નાખી હતી અને તબાહ કરી નાખ્યા હતા. ભૂકંપના એક જ કલાકની અંદર ભારતે ‘ઑપરેશન દોસ્ત’ લૉન્ચ કરીને સિરીયા અને ખાસ તો તૂર્કીને મદદ પહોંચાડી હતી. ભૂકંપની ગણતરીની કલાકોમાં જ ભારતે કરોડોની રાહતસામગ્રી સાથે પોતાની રેસ્ક્યુ ટીમો અને મેડિકલ સેવાઓ પણ તૂર્કી પહોંચાડી દીધી હતી.
તૂર્કીના રાજદૂતે કહ્યું હતું કે, ખરાબ સમયમાં એકમાત્ર ભારત તેની સાથે ઊભું રહ્યું હતું અને સાચી દોસ્તી નિભાવી હતી. ભારત પહેલો દેશ હતો, જેણે તૂર્કીને મદદ પહોંચાડી હતી. તેમ છતાં બદલામાં મળ્યું શું? જરૂરિયાતના સમયે ભારતને સાચો દોસ્ત અને સુખ-દુઃખનો સાથી કહેતા તૂર્કીએ હવે ખુલ્લીને ઇસ્લામી આતંકી દેશ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. ન માત્ર સમર્થન, પરંતુ હથિયારો આપીને ભારત વિરુદ્ધ મીટ માંડવા આમંત્રણ પણ આપી દીધું છે.
તૂર્કીએ આજે એ સાબિત કરી દીધું છે કે, ભારતે સાપને દૂધ પીવડાવીને પાળ્યા હતા અને હવે એ જ સાપ ભારત સામે મીટ માંડવા આગળ આવી રહ્યા છે. તૂર્કીએ ભારતના ‘ઑપરેશન દોસ્ત’ની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના સ્થાને ઇસ્લામી મુલ્ક પાકિસ્તાનનું સમર્થન કરીને પોતાનો ‘લોહીનો સંબંધ’ નિભાવ્યો છે. લોહીનો એ સંબંધ જે ઇસ્લામી આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને મુસ્લિમ દેશોને એક રાખે છે.
તૂર્કી પણ મુસ્લિમ બાહુલ્ય દેશ છે અને પાકિસ્તાન પણ ઇસ્લામી દેશ છે. આ બંને દેશો વચ્ચે માત્ર ‘લોહીનો સંબંધ’ છે. તેઓ મુસ્લિમ હોવાના નાતે એકબીજાનું સમર્થન કરીને ઊભા રહે છે. તેવામાં ભારતે પણ આ ઘટનાઓમાંથી શીખીને દોસ્ત અને દુશ્મનનો ભેદ ઉકેલવાનું શરૂ કરી દેવું જોઈએ. જ્યાં કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ બહુમતીમાં હશે ત્યાં માત્ર તેઓ ‘લોહીનો સંબંધ’ જ નિભાવશે નહીં કે તમારી મદદનો.