ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Vice President Jagdeep Dhankhar) રાજીનામું (Resignation) આપ્યા બાદ હવે તેનો સ્વીકાર પણ થઈ ચૂક્યો હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, રાષ્ટ્રપતિએ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે જ ગૃહ મંત્રાલયે પણ તાત્કાલિક અસરથી ધનખડનું રાજીનામું સ્વીકારીને તેમને પદ પરથી મુક્ત કરી દીધા છે.
#WATCH | Delhi: Ministry of Home Affairs has conveyed resignation of Vice President of India Jagdeep Dhankhar under Article 67A of the Constitution with immediate effect pic.twitter.com/kUyzsyS2mU
— ANI (@ANI) July 22, 2025
ગૃહ મંત્રાલયે બંધારણની કલમ 67(a) હેઠળ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પદ પરથી મુક્ત કર્યાં છે. નોંધનીય છે કે, સોમવારે (21 જુલાઈ) સાંજે જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું હતું અને આરોગ્યના અમુક કારણોના લીધે આવું કર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે હવે આધિકારિક રીતે તેઓ પદ પરથી મુક્ત થઈ ચૂક્યા છે.
પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા
Shri Jagdeep Dhankhar Ji has got many opportunities to serve our country in various capacities, including as the Vice President of India. Wishing him good health.
— Narendra Modi (@narendramodi) July 22, 2025
श्री जगदीप धनखड़ जी को भारत के उपराष्ट्रपति सहित कई भूमिकाओं में देश की सेवा करने का अवसर मिला है। मैं उनके उत्तम…
આ સમગ્ર ઘટનાને લઈને પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, જગદીપ ધનખડને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિતની અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, “હું તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટેની કામના કરું છું.” આ સિવાય અન્ય નેતાઓએ પણ પ્રતિક્રિયાઓ આપી છે.

