ભારતીય સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી (Pahalgam Attack) હુમલા પાછળ શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ (sketches of terrorists) જાહેર કર્યા છે. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ત્રણ આતંકવાદીઓની ઓળખ આસિફ ફુજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા (Asif Fuji, Suleman Shah, Abu Talha) તરીકે થઈ છે.
#BREAKING: Sketches of Pahalgam attack terrorists have been released. pic.twitter.com/8GAhNDA3fZ
— Frontalforce 🇮🇳 (@FrontalForce) April 23, 2025
આ હુમલાખોરો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની (LeT) શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના સભ્યો હતા. તેઓએ પહલગામના પ્રખ્યાત બૈસરન ઘાસના મેદાનોમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જે તાજેતરના વર્ષોમાં કાશ્મીરમાં થયેલા સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક હતો.
ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે આ જૂથમાં પાકિસ્તાની આતંકવાદીઓનો સમાવેશ થાય છે જેઓએ હુમલાના થોડા દિવસો પહેલા ખીણમાં ઘૂસણખોરી કરી હતી. ગુપ્તચર એજન્સીઓએ લશ્કરના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ કસુરી ઉર્ફે ખાલિદને હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખી કાઢ્યો છે. સુરક્ષા દળોએ મોટા પાયે આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી છે અને જંગલનો લાભ લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયેલા આતંકવાદીઓને પકડવા માટે હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.