ભારત અને પાકિસ્તાન વચ્ચે સહમતીથી યુદ્ધવિરામ જાહેર થયા બાદ હવે ફરી પાકિસ્તાને અવળચંડાઈ કરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને ખાસ શ્રીનગરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળી રહ્યા છે. અનેક ડ્રોન ઉડતા દેખાયાના સમાચાર મળ્યા બાદ એર ડિફેન્સ યુનિટ્સ પણ ખોલી દેવાયા છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ વિશેની જાણકારી પણ આપી છે.
This is no ceasefire. The air defence units in the middle of Srinagar just opened up. pic.twitter.com/HjRh2V3iNW
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે. તેમણે એક વિડીયો પણ શેર કર્યો છે. જેમાં પાકિસ્તાની ડ્રોન ઉડતા જોઈ શકાય છે અને ગોળીઓનો અવાજ પણ આવે છે. આ સાથે જ CM અબ્દુલ્લાએ પોસ્ટમાં લખ્યું છે કે, “આ કોઈ યુદ્ધવિરામ નથી. શ્રીનગરના મધ્યમાં એર ડિફેન્સ યુનિટ્સ હમણાં-હમણાં જ ખોલવામાં આવ્યા છે.”
What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
આ પહેલાં પણ તેમણે એક પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે, “આખરે યુદ્ધવિરામનું શું થયું?” આ ઉપરાંત તેમણે આખા શ્રીનગરમાં ધડાકાના અવાજ સંભળાયા હોવાનું કહ્યું હતું. સોશિયલ મીડિયા પર પાકિસ્તાને કરેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનને લઈને અનેક પોસ્ટ જોવા મળી રહી છે અને મીડિયા રિપોર્ટ્સમાં પણ આ વિશેની માહિતી સામે આવી છે.