Thursday, May 15, 2025
More

    ‘પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન નહીં જાય, ત્રણ પ્રકારના પ્લાન પર કામ કરી રહ્યા છીએ’: કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ

    ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિના અમલીકરણ પર રોક લગાવી દીધા બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર પાટીલે એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાનમાં એક ટીપું પણ પાણી ન જાય તે માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. 

    તેમણે કહ્યું, “કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. અમે ત્રણ વિકલ્પો પર બેઠકમાં ચર્ચા કરી.”

    તેમણે ઉમેર્યું, “સરકાર ત્રણ પ્રકારના પ્લાન પર કામ કરી રહી છે. એક શોર્ટ ટર્મ, એક મિડ ટર્મ અને લોંગ ટર્મ– જેથી પાકિસ્તાનમાં એક ટીપું પણ પાણી ન જઈ શકે.” વહેલામાં વહેલી તકે નદીઓનું ડિસ્ટીલિંગ પણ શરૂ કરવામાં આવશે, જેથી પાણી રોકીને ડાયવર્ટ કરી શકાય તેમ પણ તેમણે ઉમેર્યું હતું.