ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિના અમલીકરણ પર રોક લગાવી દીધા બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર પાટીલે એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાનમાં એક ટીપું પણ પાણી ન જાય તે માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે.
તેમણે કહ્યું, “કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. અમે ત્રણ વિકલ્પો પર બેઠકમાં ચર્ચા કરી.”
India has suspended the Indus Waters Treaty with Pakistan following the Pahalgam terror attack
— ANI (@ANI) April 25, 2025
Union Minister of Jal Shakti, CR Paatil says, "A roadmap was prepared in the meeting with Union Home Minister Amit Shah. Three options were discussed in the meeting. The government is… pic.twitter.com/uHZMMehAW3
તેમણે ઉમેર્યું, “સરકાર ત્રણ પ્રકારના પ્લાન પર કામ કરી રહી છે. એક શોર્ટ ટર્મ, એક મિડ ટર્મ અને લોંગ ટર્મ– જેથી પાકિસ્તાનમાં એક ટીપું પણ પાણી ન જઈ શકે.” વહેલામાં વહેલી તકે નદીઓનું ડિસ્ટીલિંગ પણ શરૂ કરવામાં આવશે, જેથી પાણી રોકીને ડાયવર્ટ કરી શકાય તેમ પણ તેમણે ઉમેર્યું હતું.