શુક્રવારે (11 એપ્રિલ) જુમ્માની નમાજ બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના શમશેરગંજમાં મુસ્લિમ ટોળાંએ વક્ફ કાયદાના વિરોધના નામે ઉત્પાત મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. દરમ્યાન પોલીસને પણ ટાર્ગેટ કરવામાં આવી અને રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ હુમલાઓ થયા. જાણવા મળ્યું છે કે આ દરમિયાન મુસ્લિમ ટોળાંએ હિંદુ દંપતી સંચાલિત એક દુકાનમાં પણ તોડફોડ કરી હતી.
ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હિંદુ દંપતી નિસહાય જોવા મળી રહ્યું છે.
#WestBengal
— Hindu Voice (@HinduVoice_in) April 12, 2025
A Hindu family has lost everything in #Samserganj of #Murshidabad district.
A sweets shop was their only source of income.
Islamists targeted and vandalised the shop and everything inside the shop was looted. pic.twitter.com/OftlqvHWnd
આંખમાં આંસુ સાથે દુકાનના માલિક કહે છે કે, “મારી અહીં મીઠાઈની દુકાન હતી. તેઓ બધું જ લઈને ભાગી ગયા. દુકાનમાં રોકડા પણ હતા..પણ હવે કંઈ બચ્યું નથી. અમે શું ખાઈશું?”
બીજી તરફ બંગાળ પોલીસ ટ્વિટર પર જાહેર કરી રહી છે કે શમશેરગંજમાં સ્થિતિ હવે સામાન્ય છે.