Saturday, July 27, 2024
More
    હોમપેજદેશપોલીસે પથ્થરો ખાધા, જીવતા સળગાવવાનો પ્રયાસ થયો, છતાં તેમની ઉપર જ દોષનો...

    પોલીસે પથ્થરો ખાધા, જીવતા સળગાવવાનો પ્રયાસ થયો, છતાં તેમની ઉપર જ દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ: હલ્દ્વાનીના તોફાનીઓને ‘વિક્ટિમ’માં ખપાવવાનું કામ શરૂ

    સોશિયલ મીડિયા પર બેસેલા ઇસ્લામિક કટ્ટરપંથીઓ હવે પોતાના કામ પર વળગી ગયા છે. તેઓ એવા-એવા વિડીયો કાપ-કૂપ કરીને મુકવા લાગ્યા છે જેનાથી ઉલટાનું પોલીસ પર દોધના ટોપલા ઢોળી શકાય.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં જે થઈ રહ્યું છે તે કોઈનાથી છુપાયેલું નથી. 8 ફેબ્રુઆરી, 2024ના રોજ ફરી એક વાર ઇસ્લામિક કટ્ટરપંથીઓનું ટોળું પોતાની જૂની પેટર્ન સાથે રોડ-રસ્તા પર ઉતરી આવ્યું. ટોળાએ ઠેકઠેકાણે તોડફોડ કરી. આગચંપી અને પથ્થરમારો પણ કર્યો. 300થી વધુ પોલીસ કર્મચારીઓને ઘાયલ કર્યા, તેમને જીવતા સળગાવીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેવામાં ઉત્તરાખંડના હલ્દ્વાની હિંસાના હુલ્લડખોરોને કાર્યવાહીથી બચાવવા માટે વિક્ટિમ દેખાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

    ઉત્તરાખંડના હલ્દ્વાની હિંસાના હુલ્લડખોરોને બચાવવા સોશિયલ મીડિયા પર બેસેલા ઇસ્લામિક કટ્ટરપંથીઓ હવે પોતાના કામ પર વળગી ગયા છે. તેઓ એવા વિડીયો કાપકૂપ કરીને મૂકવા માંડ્યા છે જેનાથી પોલીસ પર જ દોષના ટોપલા ઢોળી શકાય. તેઓ આવા વિડીયો મૂકીને પોલીસ પર જ ઘટનાનું ઠીકરું ફોડી પણ રહ્યા છે અને તેવો પણ પ્રયત્ન થઇ રહ્યો છે કે ગેરકાયદેસર ઉભો કરવામાં આવેલો મસ્જિદનો ઢાંચો તોડી પડાયા બાદ કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ રમખાણ નથી કર્યાં.

    આવી જ એક વિડીયો ક્લિપમાં આગચંપી જોઈ શકાય છે અને કેટલાક લોકો ક#$# જેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. આ વિડીયો ક્લિપ બતાવીને તેવું સાબિત કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે કે આ ગેરકાયદેસર મસ્જિદ હટાવવાની કાર્યવાહી પર કટ્ટરપંથીઓએ હિંસા નહોતી કરી, પરંતુ જે લોકો તેમનાથી ઘૃણા કરે છે તે લોકોએ હિંસા કરી છે.

    - Advertisement -

    આ પ્રકારના જ અન્ય એક વિડીયોમાં એવું દર્શાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે કે પોલીસ બુરખા પહેરેલી મહિલાઓ પર લાઠીચાર્જ કરી રહી છે અને એટલે ટોળું ઉશ્કેરાયું છે, જ્યારે હલ્દ્વાની જિલ્લાઅધિકારીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહી દીધું છે કે ગેરકાયદેસર મસ્જિદ હટાવવાની કાર્યવાહી દરમિયાન ત્યાં અરાજક તત્વો (ઇસ્લામિક કટ્ટરપંથીઓ)એ હુમલાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમણે વિચારી જ રાખ્યું હતું કે કાર્યવાહી કરીને જ્યારે ટીમ પરત ફરશે ત્યારે તેઓ હુમલો કરશે. તેમના ધાબાં પર પથ્થર અને હાથમાં પેટ્રોલ બૉમ્બ હતા.

    હવે જો તમે આ ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલા ઉત્પાત અથવા રમખાણોના કોઈ સમાચાર વાંચશો, તો તમે જોશો કે રમખાણો તેમને ઉશ્કેરવાથી થતાં નથી, પરંતુ તેઓ પહેલાથી જ નક્કી કરી રાખે છે કે કયાં પગલાં પછી ક્યારે અને કેવી રીતે હુમલો કરી શકાય. આ પેટર્નમાં છત પર ઉભા રહીને પથ્થરમારાનું કામ બુરખાધારી મહિલાઓને સોંપી દેવામાં આવે છે અને કટ્ટરપંથી યુવકો જાતે જ રસ્તા પર ઉતરી આવે છે. આ પછી ત્યાંથી પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવે છે. ગાડીઓને આગ લગાડવામાં આવે છે. ત્યાં પોલીસનો ઘેરાવ કરવામાં આવે છે અને આ વખતે હલ્દ્વાની પોલીસ જે રીતે બનાવવામાં આવી હતી તે જ રીતે પોલીસને નિશાન બનાવવામાં આવે છે.

    વિચિત્ર વાત એ છે કે માનવતાના નામે બુરખાધારી મહિલાઓના બચાવમાં સોશિયલ મીડિયા પર બેઠેલી ટીમને એ ફૂટેજ મળી શક્યા નહોતા જ્યાં હુમલામાં મહિલા પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલા થયા હતા. તેમને મારવાનો પ્રયાસ થયો હતો. તેમને રમખાણો દરમિયાન પોલીસની સામે ઉભી રહેલી મહિલાઓના વીડિયો મળ્યા હતા. અહીં પોલીસ ગેરકાયદેસર માળખાને તોડવાની કાર્યવાહી જોવા આવેલા ‘પ્રેક્ષકો’ છે તેમ વિચારીને ત્યાંથી હાંકી ન કાઢે તો શું કરે?

    હલ્દ્વાનીમાં રમખાણો દરમિયાન 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ કોઈ સામાન્ય આંકડો નથી. કલ્પના કરો કે કટ્ટરવાદીઓના કેટલા અનિયંત્રિત ટોળાંઓ તેમના પર તૂટી પડ્યા હશે જેઓ આટલા બધા પોલીસ બંદોબસ્ત હોવા છતાં કંઇ જ ન કરી શક્યા અને જ્યારે તેઓએ બચાવમાં કાર્યવાહી કરી ત્યારે સોશિયલ મીડિયા પર સવાલો ઉભા થયા હતા કે ગરીબ નિઃશસ્ત્ર લોકો પર લાઠીચાર્જ કેમ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં પોલીસે તોફાનીઓની સામે ઊભા રહીને માર ખાવો જોઈએ કે, સળગીને મરી જવું જોઈએ કે પછી પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ઉપરોક્ત કાર્યવાહી કરવી જોઈએ. તે પછી ધાબા પરથી પથ્થરો ફેંકતી બુરખાધરી મહિલાઓ વિરુદ્ધ હોય કે પછી પેટ્રોલ બૉમ્બ લઈને રસ્તાઓ પર ઊતરેલાં ટોળાં હોય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં