Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: બજરંગ દળ કાર્યકર પર હુમલો કરનાર રુહાન અને આઝમ ખાન સહિત...

    સુરત: બજરંગ દળ કાર્યકર પર હુમલો કરનાર રુહાન અને આઝમ ખાન સહિત ત્રણની ધરપકડ, આરોપીઓમાં એક સગીર પણ સામેલ

    પોલીસ સૂત્રોએ આ મામલે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આ મામલે અન્ય આરોપીઓની પણ ઓળખ કરી લઈને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને જલ્દીથી અન્ય પણ ધરપકડ કરવામાં આવશે. 

    - Advertisement -

    સુરતમાં ઇસ્લામી ટોળાએ બજરંગ દળ કાર્યકર્તા પિન્કેશ રાણા ઉપર હુમલો કર્યા બાદ પોલીસે આ મામલે ત્રણની ધરપકડ કરી છે. જેમાંથી એક સગીર વયનો છે. પોલીસે જણાવ્યું કે, આ મામલે અન્ય આરોપીઓની ઓળખ કરીને તેમની શોધખોળ ચાલી રહી છે. 

    બજરંગ દળ કાર્યકર્તા પર હુમલો થયાની ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરીને હુમલાખોરોને ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ ગઈકાલે સાંજે ત્રણની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમની ઓળખ રુહાન મકરાણી (ઉં.વ 18) અને આઝમખાન પઠાણ (ઉં.વ 18) તરીકે થઇ છે. જ્યારે એક આરોપી સગીર વયનો છે.

    પોલીસ સૂત્રોએ આ મામલે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આ મામલે અન્ય આરોપીઓની પણ ઓળખ કરી લઈને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને જલ્દીથી અન્ય પણ ધરપકડ કરવામાં આવશે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે સુરતના બજરંગ દળના સક્રિય કાર્યકર્તા પિન્કેશ રાણા ઉપર ઇસ્લામી ટોળાએ હુમલો કરી દીધો હતો. પિન્કેશ રાણા સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રણ ઈસમોએ બાઈક લાવીને તેમના મોપેડ સાથે અથડાવીને બોલાચાલી શરૂ કરી દીધી હતી અને જે બાદ ત્રણેય તેમની તરફ ધસી જઈને તેમને મારવા માંડ્યા હતા. 

    આ દરમિયાન, આસપાસ ટોળું એકઠું થઇ જતાં કોઈકે ‘યે બડા હિંદુ નેતા બનકે ઘૂમ રહા હૈ, ઇસકો મારો’ એમ કહેતા આસપાસ ઉભેલા લોકો પણ પિન્કેશ રાણાને માર મારવા માંડ્યા હતા. જોકે, બજરંગ દળના અન્ય એક નેતા યજ્ઞેશ પટેલ પણ સંજોગવશાત ત્યાં જ હાજર હોઈ તેમણે અન્ય એક વ્યક્તિ સાથે વચ્ચે પડીને ટોળું વિખેરી નાંખ્યું હતું. જોકે, ટોળાએ તેમની ઉપર પણ હુમલો કરી દીધો હતો.

    ફરિયાદમાં બજરંગ દળ કાર્યકર પિન્કેશ રાણાએ આરોપ લગાવ્યો હતો કે, તેમણે સુરત પોલીસ કમિશનર સમક્ષ લોકદરબારમાં ગોલવાડ અને મહિધરપુરા વિસ્તારમાં મુસ્લિમો દ્વારા ખરીદવામાં આવતી મિલકતો અને અશાંતધારાના પ્રશ્નો બાબતે રજૂઆતો કરી હતી. જેની અદાવત રાખીને તેમની ઉપર આ હુમલો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    સમગ્ર ઘટના મામલે પિન્કેશ રાણાએ મહિધરપુરા પોલીસ મથકે નાસીર, અરમાન, ઝહીર, જાવેદ, આદિલ, આસિફ, જાવેદ લંગડો અને યુસુફ વગેરે સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 323, 143, 147 અને 504 હેઠળ આ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

    આ મામલે પોલીસે ત્રણની ધરપકડ કરી લીધી છે, ઉપરાંત હજુ પણ તપાસ ચાલુ હોઈ વધુ ધરપકડ થાય તેવી શક્યતા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં