બુધવારે (29 જાન્યુઆરી) મૌની અમવસ્યાના દિવસે તીર્થક્ષેત્ર પ્રયાગ (Prayagraj) ખાતે મહાકુંભમાં (Mahakumbh) અમૃત સ્નાન કરવા માટે કરોડો લોકો એકસાથે એકઠા થયા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાના કારણે દુર્ઘટના પણ સર્જાઈ હતી. આ સંવેદનશીલ ઘટના બાદ પણ મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાવીને લોકોને ગુમરાહ કરવાના પ્રયાસો થયા હતા. મીડિયા ચેનલ આજતકે (Aaj Tak) પણ રેલવેને લઈને ફેક ન્યૂઝ ફેલાવવાના તે જ પ્રયાસ કર્યા હતા. જોકે, બાદમાં રેલવેએ (Railway) સ્પષ્ટતા કરતા પોતાની જ પોસ્ટ પર સમાચારને ફેરવી તોળ્યા હતા.
ઘટનાની વિગતો અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ન્યૂઝ ચેનલ આજતકે એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં ફેક ન્યૂઝ આપતા કહેવામાં આવ્યું હતું કે, મહાકુંભમાં નાસભાગના કારણે પ્રયાગરાજ આવી રહેલી ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે અને તમામ સ્પેશ્યલ ટ્રેન રદ કરવામાં આવી છે. સાથે એવું પણ કહેવાયું હતું કે, આગલા આદેશ સુધી આવી જ સ્થિતિ રહેશે.
महाकुंभ भगदड़: प्रयागराज आ रहीं कई ट्रेनें डायवर्ट की गईं, सारी स्पेशल ट्रेनें भी अगले आदेश तक रद्द
— AajTak (@aajtak) January 29, 2025
प्रयागराज में मौनी अमावस्या के दिन अत्यधिक भीड़ को देखते हुए पंडित दीनदयाल उपाध्याय जंक्शन से प्रयागराज जाने वाली महाकुंभ मेला स्पेशल ट्रेनों का परिचालन रोक दिया गया है. इसके चलते… pic.twitter.com/r9b7wldZ8I
વધુમાં વિગતે માહિતી આપતા આજતકે કહ્યું હતું કે, “પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે અત્યાધિક ભીડને જોતાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ જતી મહાકુંભ મેલા સ્પેશયલ ટ્રેનોનું પરિચાલન રોકવામાં આવ્યું છે. જેના કારણે જંકશન પર પ્રયાગરાજ જતાં શ્રદ્ધાળુઓની ભીડ પણ એકઠી થઈ ગઈ છે. બાકી અલગ રુટ પર ચાલતી કુંભ મેલા સ્પેશયલ ટ્રેનો યથાવત રીતે દોડશે.”
રેલવેની સ્પષ્ટતા બાદ ફેરવી તોળ્યું
જોકે, આજતકની ફેક ન્યૂઝ બાદ તરત જ રેલવે મંત્રાલયે આ બાબતે સ્પષ્ટતા કરી હતી. રેલવેએ કહ્યું હતું કે, “રેલવેએ આજે પ્રયાગરાજ ક્ષેત્રના વિભિન્ન સ્ટેશનો પરથી 360થી વધુ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે. હાલ સુધી કોઈપણ સ્પેશયલ ટ્રેનને રદ કરવાની કોઈ યોજના નથી.”
#MahaKumbh2025 | The Railways has planned to run more than 360 trains from the various stations in the Prayagraj region today. As of now, there is no plan to cancel any special train: Ministry of Railways
— ANI (@ANI) January 29, 2025
આ ઉપરાંત નૉર્થન રેલવેએ પોતાના આધિકારિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા કહ્યું હતું કે, યાત્રિકોની સુવિધા માટે રેલવેએ ઘણી મહાકુંભ 2025 સ્પેશ્યલ ટ્રેનની યોજના બનાવી છે. યાત્રિકો આ સ્પેશ્યલ ટ્રેનો માટે પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. આ સાથે એવું પણ કહેવાયું હતું કે, 30 જાન્યુઆરી, 2025થી 8 ફેબ્રુઆરી, 2025 સુધી આ સ્પેશયલ ટ્રેનો તારીખ અને વર્ગ મુજબ ઉપલબ્ધ છે.
For the convenience of passengers, the railways have planned several #Mahakumbh2025 Special trains. You may book your tickets in these Special trains.
— Northern Railway (@RailwayNorthern) January 29, 2025
Date wise & Class wise availability position of Special trains from 30.01.2025 to 08.02.2025 is as under:… pic.twitter.com/989XIr9D4s
રેલવેની સ્પષ્ટતા બાદ આજતકે પોતે પણ પોતાના જ ફેક ન્યૂઝ પર અપડેટ આપી હતી અને ટ્રેન રદ કે ડાયવર્ટ ન થઈ હોવાનું જણાવ્યું હતું. આજતકે પોતાની અપડેટમાં જણાવ્યું હતું કે, “પ્રયાગરાજ જતી સ્પેશ્યલ ટ્રેન રદ નથી થઈ, રેલવેએ સ્પષ્ટતા કરી છે. રેલવેના શીર્ષ અધિકારીઓ અનુસાર, પ્રયાગરાજ મહાકુંભ માટેની કોઈપણ સ્પેશ્યલ ટ્રેનને રદ નથી કરી. તમામ સ્પેશયલ ટ્રેનનું સંચાલન યથાવત રહેશે.”