Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાત'અવાજ કરીશ તો તને અને તારા દીકરાને મારી નાંખીશ': પતિ ભેંસો ખરીદવા...

    ‘અવાજ કરીશ તો તને અને તારા દીકરાને મારી નાંખીશ’: પતિ ભેંસો ખરીદવા કચ્છ ગયો અને તબેલામાં મજુરી કરતી હિંદુ પરિણીતા પર વિસનગરમાં અમીન અહેમદે બળાત્કાર ગુજાર્યો

    મૂળ બનાસકાંઠાની રહેવાસી હિંદુ પરિણીતાના પતિને વ્યવસાયમાં ખોટ જતા તે વિસનગર તાલુકાના એક ગામડામાં પતિ સાથે રહીને તબેલો ભાડે રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જ્યાં તેના પતિના મુસ્લિમ મિત્રે તેના પર દુષ્કર્મ આચર્યું.

    - Advertisement -

    તાજેતરમાં મહેસાણાના વિસનગરમાં હસનઅલી મોમીન નામના આરોપીએ પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં જ હવે ફરી વિસનગર નજીકના ગામમાં અમીન અહેમદે તબેલામાં મજુરી કરતી હિંદુ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ વખતે પણ આરોપીએ પરિણીતાને અને તેના દીકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને પોતાની હવસ સંતોષી હતી. પરિણીતાની ફરિયાદના આધારે વિસનગર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર મૂળ બનાસકાંઠાની રહેવાસી હિંદુ પરિણીતાના પતિને વ્યવસાયમાં ખોટ જતા તે વિસનગર તાલુકાના એક ગામડામાં પતિ સાથે રહીને તબેલો ભાડે રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આવી હતી. આ દરમિયાન આ પરિવાર અમીન અહેમદ ઘાંચી નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. અમીન અહેમદ પીડિતાના ઘરે તેના પતિને મળવા આવતો-જતો રહેતો હતો. તેવામાં ગત તારીખ 30 જૂન 2023ના રોજ પીડિતાના પતિ ભેંસો ખરીદવા માટે કચ્છ ગયા હતા. પરિણીતા તબેલામાં એકલી હોવાની જાણ થતા તે પોતાની ઈકો ગાડી લઈ તબેલે આવી પહોંચ્યો હતો.

    પરિણીતા પાસે આવ્યા બાદ અમીન અહેમદ ઘાંચી મોકો જોઈ પીડિત પરિણીતા પર તૂટી પડ્યો હતો. પીડિતાએ તેનો પ્રતિકાર કરતા અમીને તેને ‘અવાજ કરીશ તો તારા દીકરા અને તને જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપતા એકલી અને વિવશ પીડિતા મૂંગા મોઢે આ અત્યાચાર સહન કરી ગઈ હતી. પોતાની હવસ મટાડી અમીન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પરંતુ રાત્રે ફરીવાર અમીન અહેમદનો હવસનો કીડો સળવળતા તે પરિણીતાના તબેલે આવી પહોંચ્યો હતો. પરિણીતાની એકલતાનો લાભ લઈ ફરી તેના પર બળાત્કાર ગુજાર્યો. જોકે આ વખતે પરિણીતાએ હિંમત દાખવી ચોર-ચોરની બુમો પડતા પકડાઈ જવાની બીકે અમીન ભાગી છૂટ્યો હતો.

    - Advertisement -

    વિસનગર નજીકના ગામમાં અમીન અહેમદે તબેલામાં મજુરી કરતી હિંદુ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો તે બનાવ અંગે તાલુકા પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

    વિસનગરમાં આ પહેલા હસનઅલી મોમીને પરિણીત મહિલાને ધમકાવીને બળાત્કાર કર્યો હતો

    વિસનગરમાં ટૂંકા ગાળામાં જ હિંદુ પરિણીત મહિલા પર બળાત્કારની આ બીજી ઘટના છે. આ પહેલા હસનઅલી મોમીન નામના આરોપીએ હિંદુ પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને તેને ધમકાવીને દુષ્કર્મ કર્યું હતું. હસનઅલીએ એક મહિના પહેલા તેનું અપહરણ કર્યું હતું અને તેને ભગાવીને નેપાળ લઇ ગયો હતો. જ્યાં એક ભાડાનું મકાન રાખીને ત્યાં તેને ગોંધી રાખવામાં આવી હતી.

    આ દરમિયાન અનેકવાર તેની મરજી વિરુદ્ધ તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આ આખી ઘટના અંતર્ગત પીડિત મહિલાએ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં હસનઅલી મોમીન અને તેને મદદ કરનાર સીરાઝ મોમીન સામે ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં