Thursday, April 2, 2026
More
    Home Blog Page 866

    ચેતવણી છતાં ભારત સરહદ તરફ કૂચ કરતો રહ્યો પાકિસ્તાની ઘૂસણખોર, BSF જવાનોની ફાયરિંગમાં થયો ઠાર: જમ્મુ-કાશ્મીરના સાંબામાં IB પર સર્ચ ઓપરેશન જારી

    ભારતની સરહદે ઘૂસણખોરી કરનારા પર સૈનિકો બાજ નજર રાખી બેઠા હોય છે અને દેશની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય એ માટે હંમેશા સતર્ક રહે છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરી નાખ્યો છે. ગુરુવારે (1 જૂન, 2023) સાંબા સેક્ટરમાં મંગૂ ચક બોર્ડર પોસ્ટ (બીઓપી) પાસે મોડી રાત્રે બે વાગ્યે ને 50 મિનિટે આ ઘટના બની હતી.

    ચેતવણી મળવા છતાં ભારતીય સીમા તરફ કૂચ કરતો રહ્યો પાકિસ્તાની ઘૂસણખોર

    અહેવાલ અનુસાર, બીઓપી મંગૂ ચકમાં આંતરરાષ્ટ્રીય સીમા પર શંકાસ્પદ હલચલ ધ્યાને આવતાં BSF જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો. પાકિસ્તાન બાજુથી આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી રહેલા વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધિઓથી જવાનો એલર્ટ થઈ ગયા હતા. સૈનિકોએ તેને ચેતવણી આપી હોવા છતાં ઘૂસણખોર ભારત સરહદ તરફ કૂચ કરવા લાગ્યો, જે બાદ જવાનોએ ફાયરિંગ કર્યું અને તેને ઠાર કરી નાખ્યો. એ પછી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, ગત 22 એપ્રિલ, 2023ના રોજ BSF જવાનોએ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં સરહદ પાર કરતા એક પાકિસ્તાની નાગરિકને પકડી લીધો હતો. એ પહેલાં માર્ચમાં પણ ફિરોઝપુર સેક્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ થઈ હતી. આરોપીની ઓળખ ખૈબર જિલ્લાના રહેવાસી તરીકે થઈ હતી, જે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને તીરથ બોર્ડર ચોકી પર ભારતમાં પ્રવેશવાની ફિરાકમાં હતો.

    તો નવેમ્બર 2022માં BSF જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીના બે પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. જમ્મુ ડિવિઝનમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા અરનિયા સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરવામાં આવ્યો હતો. તો સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી.

    પૂંછમાં જવાનોએ નાર્કો ટેરરિઝમનું ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યું

    પાછલા દિવસોમાં જમ્મુ-કાશ્મીરના પૂંછમાં કરમાડા સેક્ટરમાં એલઓસી પર સુરક્ષા દળોએ નાર્કો ટેરરિઝમના ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું હતું અને ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. આતંકીઓ પાસેથી એક અફઘાની પ્રેશર કૂકરમાં છુપાવીને રાખવામાં આવેલા 10 કિલો IED, એકે 56 રાઈફલ, બે પિસ્તોલ, 6 ગ્રેનેડ અને 30 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓની ઓળખ મો. ફારૂક (26), મો. રિયાઝ (23) મો. ઝુબૈર (22) તરીકે થઈ છે. ત્રણેય એલઓસીના અંતિમ ગામ કરમાડાના રહેવાસી છે. અગાઉ પુલવામામાં પણ 5 કિલો IED જપ્ત કરીને સુરક્ષાબળોએ મોટું આતંકી ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યું હતું.

    બાગેશ્વર ધામ સરકારના માથે સોનાનો મુગટ: અમદાવાદ દિવ્ય દરબારના આયોજક શર્મા પરિવારે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ આપી

    મંગળવાર, 30 મે 2023ના રોજ અમદાવાદના વટવાના શ્રીરામ મેદાનમાં બાગેશ્વર ધામ સરકાર, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભવ્ય દિવ્ય દરબાર યોજાયો હતો. આ દરબારમાં અમદાવાદ અને ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ દરબારના આયોજકે ધીરેન્દ્ર શાસ્ત્રીને સોનાનો મુગટ ભેટ કર્યો હતો.

    ઝી 24 કલાકના અહેવાલ મુજબ વટવાના દિવ્ય દરબારના આયોજક હતા પરસોત્તમ શર્મા અને તેમનો પરિવાર. બાગેશ્વર ધામ સરકાર તેમના કાર્યક્રમમાં પહોંચ્યા હતા તેનાથી ગદ્દગદ્દ થઈને તેઓ બાબાને કંઈક ભેટ આપવા માંગતા હતા.

    લાંબી ચર્ચા અને વિચારો બાદ શર્મા પરિવારે આખરે બાગેશ્વર ધામ સરકાર માટે એક ખાસ ભેટ નક્કી કરી હતી. કાર્યક્રમના અંતે પરસોત્તમ શર્મા અને તેમના પરિવારે ધીરેન્દ્ર શાસ્ત્રીને સોનાનો મુગટ પહેરાવીને તેમનું બહુમાન કર્યું હતું.

    ‘હિંદુઓએ બીજે ક્યાંય જવાની જરૂર નથી’- ધીરેન્દ્ર શાસ્ત્રી

    બુધવારે રાતે વટવા ખાતે શરુ થયેલ દિવ્ય દરબારમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટી સંખ્યામાં આવેલ હિંદુઓને સંબોધિત કર્યા હતા. દરબાર પહેલા આપેલા એક સંબોધનમાં તેમને કહ્યું હતું કે, “હું કોઇ ઇશ્વર, ભગવાન કે સંત નથી. હું હિંદુઓને જગાડવા આવ્યો છું, હિંદુ ધર્મના લોકોએ અન્ય જગ્યાએ જવાની કોઇ જ જરૂર નથી. ભારતમાં હવે તાંત્રિકોની દુકાન બંધ થવી જોઇએ, ભારતમાં રહેવું હશે તો સીતારામ રહેવું પડશે.” 

    આ સિવાય ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના સંબોધનમાં હાલમાં જ દિલ્હી ખાતે થયેલ સાક્ષી હત્યા કેસ વિશે પણ વાત કરી હતી અને ઉગ્ર શબ્દોમાં તેની નિંદા કરી હતી.

    અહેવાલો અનુસાર વટવામાં બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર શરૂ થયો ત્યારથી માંડીને અંત સુધી શ્રીરામ મેદાનમાં જનમેદની ઉમટી પડી છે. સામાન્ય નગરજનો સાથે જ ભાજપના અનેક મોટા નેતાઓએ દરબારમાં હાજરી આપી હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી અને વટવા વિધાનસભાના જ પૂર્વ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, વટવાના હાલના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ, ઠક્કરબાપા નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા હાજર થયા હતા. ઉપરાંત કરણી સેનાના કેટલાક સભ્યો પણ દિવ્ય દરબારમાં આવ્યા હતા.

    નોંધનીય છે કે આજથી રાજકોટ ખાતે પણ બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

    13મી સદીની મસ્જીદ તોડી રહ્યું છે ચીન, પત્થરબાજોને પણ પીટ્યા: સોશિયલ મીડિયામાં Video વાયરલ, પ્રદર્શન કરી રહેલા મુસ્લિમોને આત્મસમર્પણ કરવા અપાયું અલ્ટીમેટમ

    મુસ્લિમોની મઝહબી અને સંસ્કૃતિક ઓળખ ભૂંસી નાંખવા તત્પર ચીનના નિશાને હવે 13મી સદીની એક મસ્જિદ આવી ચઢી છે. યૂનાન પ્રાંતના નાગૂ વિસ્તાર સ્થિત નાજિયિંગ મસ્જિદના ગુંબજ અને મિનારાઓ તોડવાનો વિરોધ થઈ રહ્યો છે, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પરંતુ ચીન 13મી સદીની મસ્જિદ તોડી રહ્યું છે તેના પર ઉમ્માહના ઠેકેદારો બનેલા ઇસ્લામિક દેશોએ આ અંગે મૌન સેવ્યું છે.

    કહેવામાં આવું રહ્યું છે કે ગયા અઠવાડિયે ચીનની પોલીસે આ મસ્જિદમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. મોટી સંખ્યામાં તૈનાત પોલીસ કર્મીઓએ તોળા પર કાબુ મેળવવા બળપ્રયોગ પણ કર્યો હતો. વાયરલ વિડીયોમાં પોલીસ પત્થરમારો કરવાવાળા લોકોની ધોલાઈ કરતી પણ નજરે પડી રહી છે. અનેક લોકોની ધરપકડ કરીને તેમને જેલના હવાલે પણ કરવામાં આવ્યા છે. જોકે ચીન 13મી સદીની મસ્જિદ તોડી રહ્યું છે તેના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોને આત્મસમર્પણ કરવા માટે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.

    BBCના અહેવાલ અનુસાર પાછલા કેટલાક વર્ષોમાં નાજિયિંગ મસ્જિદનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. તેમાં નવા મિનારાઓ અને ગુમ્બજો જોડવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિક કોર્ટે આ નિર્માણકાર્યને ગેરકાયદેસર ઠેરવીને તેને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત કાર્યવાહી કરવા શનિવારે (27 મે 2023) પોલીસ પહોંચી હતી. નોંધનીય છે કે ચીનના યૂનાન પ્રાંતમાં મુસ્લિમોની સારી એવી આબાદી છે, આ વિસ્તારને હુઈ મુસ્લિમોનો ગઢ માનવામાં આવે છે.

    ચીન 13મી સદીની મસ્જિદ તોડી રહ્યું છે તેના વિરોધમાં મુસ્લીમોના ટોળા એકઠા થઈ જતા આ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી અધવચ્ચે જ અટકી ગઈ હતી. સોશિયલ મીડિયામાં સામે આવેલા વિડીયોમાં મસ્જિદની બહાર પોલીસ અને મુસ્લિમોની મોટી ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન મુસ્લિમો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી. મસ્જિદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલી પોલીસ પર પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

    આ ઘટના બાદ પોલીસે રવિવારે (28 મે 2023) એક નિવેદન જાહેર કરીને વિરોધ પ્રદર્શન કરવાવાળા ટોળાને આત્મસમર્પણ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. પોલીસે જણાવ્યું છે કે જે લોકો 6 જૂન સુધીમાં આત્મસમર્પણ કરીને નિવેદન નોંધાવશે તેમને ઓછી સજા આપવામાં આવશે. તો બીજી તરફ ચીની અધિકારીઓએ આ ઘટનાને કાયદો અને વ્યવસ્થામાં અડચણ રૂપ થવાનો ગંભીર પ્રયત્ન ગણાવ્યો છે. સાથે જ જનતાને અપીલ કરી છે કે તેઓ વિરોધ કરવાવાળા લોકોની માહિતી આપે. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીની પોલીસે અત્યાર સુધીમાં વિરોધ-પ્રદર્શન કરવાવાળા અનેક લોકોની અટકાયત કરી છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2018માં પણ ચીની સરકારે હુઈ મુસ્લિમોની નિંગશિયા ખાતે આવેલી એક મસ્જિદને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે પણ મુસ્લીમોના વિરોધ બાદ કેટલાક દિવસો માટે શાંતિ ધરી લીધી હતી. ત્યારબાદ ગુંબજ અને મિનારોને તોડીને તેને ચીની સંસ્કૃતિના પગોડામાં બદલી નખાયા હતા. આ રીતે જ ઓકટોબર 2011માં ચીનના ઉત્તર-પશ્ચિમી શેર જિંનિંગ ખાતે આવેલી ડોંગુઆન મસ્જિદને ચીનની કમ્યુનિસ્ટ સરકારનો શિકાર બની હતી. લગભગ 700 વર્ષ જૂની આ ઐતિહાસિક મસ્જિદના લીલા ગુમ્બજોને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે કમ્યુનિસ્ટ ચીનમાં નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર નથી. વર્ષ 2011માં ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગે “ધર્મનું ચીનીકરણ” કરવાની વાત કરી હતી. જેનો સીધો અર્થ તે થાય છે કે ચીન ધાર્મિક અસ્થાઓને ચીની સંસ્કૃતિ અને સમાજના અનુકુળ બનાવવા માંગે છે.

    બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ: ‘કાલીઘાટના કાકા’ સુજોય કૃષ્ણ ભદ્રાની શંકાસ્પદ સંડોવણી બદલ ધરપકડ, TMC નેતા અભિષેક બેનર્જીના માતા ભદ્રાની કંપનીમાં ડિરેક્ટર હોવાનો દાવો

    પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે (30 મે, 2023) સુજોય કૃષ્ણ ભદ્રાની 12 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. કોલકાતાના બિઝનેસમેન સુજોય કૃષ્ણ તૃણમૂલ કોંગ્રેસ નેતા અભિષેક બેનર્જી (મમતા બેનર્જીના ભત્રીજા)ના ખૂબ નજીકના સાથી ગણાય છે. બંગાળમાં વિવિધ સરકારી શાળામાં ગેરકાયદેસર ભરતીના કેસમાં સુજોય ભદ્રાની સંડોવણી સામે આવી હતી.

    ‘કાલીઘાટ-એર કાકુ’ એટલે કે કાલીઘાટના કાકા તરીકે ઓળખાતા સુજોય ભદ્રાની એટલા માટે ધરપકડ કરવામાં આવી હતી કારણકે, તેમણે તપાસમાં સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો અને બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત કેટલાક પ્રશ્નોના સંતોષકારક જવાબ પણ નહોતા આપ્યા.

    EDએ કરેલા દાવા મુજબ, સુજોય ભદ્રાનું એવી ત્રણ કંપનીઓ સાથેનું કનેક્શન બહાર આવ્યું છે જેનો ઉપયોગ કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યો હતો. તો 20 મે, 2023ના રોજ ભદ્રાના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન ઇડી અધિકારીઓએ આ મામલે કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા.

    15 માર્ચ, 2023ના રોજ સુજોય ભદ્રાએ શિક્ષક ભરતી કૌભાંડમાં પોતાની કથિત સંડોવણી મામલે જુબાની આપી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, “અભિષેક બેનર્જીની માતા લતા બેનર્જી સુજોય ભદ્રાના નામે ચાલતી એક ફર્મમાં ડિરેક્ટર છે. જ્યારે ભદ્રાનો દાવો છે કે તે બેનર્જીની ઓફિસમાં કર્મચારી છે.” અભિષેક બેનર્જી લીપ્સ એન્ડ બાઉન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં પાર્ટનર હોવાનું કહેવાય છે, જે પેકેજ્ડ મિનરલ ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન કરે છે.

    ભાજપના ધારાસભ્ય અને પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારીએ સુજોય કૃષ્ણ ભદ્રાની ધરપકડ અંગે ટ્વીટ કરી હતી કે, “કાયદાનો લાંબો હાથ આખરે માસ્ટરમાઈન્ડ અને મોટા લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે. કોઈને બક્ષવામાં નહીં આવે.”

    ટીએમસી પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે, “એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય બેરોન બિસ્વાસ ટીએમસીમાં જોડાયા એટલે ભાજપ, CPI(M) અને કોંગ્રેસના વિપક્ષી ગઠબંધનને આંચકો લાગ્યો છે અને આ બાબત પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે સુજોય ભદ્રાની ધરપકડ કરવામાં આવી છે.”

    તો લોકસભા સાંસદ અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “આ કેટલું રમૂજી છે કે તેઓ બેરોન બિસ્વાસને ED તપાસ સાથે જોડી રહ્યા છે. ટીએમસી ભ્રષ્ટ પાર્ટી છે. બિસ્વાસ ટેકનિકલી હજુ પણ કોંગ્રેસના ધારાસભ્ય છે.”

    સીપીઆઈ(એમ)ના નેતા સુજન ચક્રવર્તીએ કહ્યું હતું કે, “મને આશ્ચર્ય થાય છે કે જો બેનર્જીનો કર્મચારી ત્રણ કંપનીઓનો માલિક બની શકે અને તેની પાસે કરોડો રૂપિયા હોય, તો તેના શેઠ પાસે કેટલી મિલકત અને પૈસા હશે.”

    ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં EDએ કરોડો રૂપિયાના બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી અને અન્ય કેટલાક લોકોની શંકાસ્પદ ભૂમિકા બદલ ધરપકડ કરી છે. તો આ તપાસના સંબંધમાં CBIએ ટીએમસીના ધારાસભ્યો જીબન કૃષ્ણ સાહા અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ માણિક ભટ્ટાચાર્યની પણ ધરપકડ કરી છે.

    શું છે પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ?

    પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ, જેને SSC સ્કૅમ પણ કહેવાય છે તે 9 વર્ષ જૂનો કેસ છે. 2014 થી 2016 દરમિયાન પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગે રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. આ ભરતીની પ્રક્રિયા વર્ષ 2016માં જ્યારે પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રી હતા ત્યારે શરૂ થઈ હતી. એ પછી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં મોટી ગેરરીતિઓની ફરિયાદો ઉઠી હતી. ઓછા માર્ક્સ ધરાવતા, TETમાં નાપાસ થયેલા ઉમેદવારોના નામ પણ મેરિટ લિસ્ટમાં સામેલ હોવાની અને જેમના નામ મેરિટ લિસ્ટમાં હતા જ નહીં તેઓને પણ નોકરી મળી હોવાની ફરિયાદો સામે આવી હતી.

    જ્ઞાનવાપી વિવાદિત ઢાંચા મામલે મુસ્લિમ પક્ષને મોટો ફટકો: અલ્હાબાદ હાઈકોર્ટે વાંધા અરજી ફગાવી, શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગવાળી યાચિકા પર સુનવણીનો રસ્તો સાફ

    જ્ઞાનવાપી વિવાદિત ઢાંચા મામલે અંજુમન ઇસ્લામિયા મસ્જિદ સમિતિની અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દેતા, શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગવાળી યાચિકા પર સુનવણીનો રસ્તો સાફ થઈ ગયો છે. જસ્ટીસ જેજે મુનીરની સિંગલ બેન્ચે નિર્ણય સંભળાવ્યા બાદ હિંદુ મહિલા ઉપાસકો દ્વારા શૃંગાર ગૌરી ખાતે નિયમિત પૂજાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર હવે હાઇકોર્ટમાં સુનવણી શરુ કરવામાં આવનાર છે.

    મળતી માહિતી અનુસાર શૃંગાર ગૌરી અને વિવાદિત ઢાંચામાં આવેલા અન્ય હિંદુ ધાર્મિક સ્થળો પર નિયમિત પૂજા-અર્ચના કરવાની પરવાનગીની માંગ સાથે રાખી સિંહ સહીત 9 મહિલા ઉપસકોએ વારાણસી ન્યાયાલયમાં અરજી દાખલ કરી હતી. જે બાદ મુસ્લિમ પક્ષ અને જ્ઞાનવાપી વિવાદિત ઢાંચાનું સંચાલન કરતી અંજુમન ઇસ્લામિયા મસ્જિદ સમિતિએ આ મામલો સુનવણી લાયક ન હોવાનું કહીને વાંધા અરજી દાખલ કરી હતી અને અરજીને રદ કરવાની માંગ કરી હતી. જોકે કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલો ફગાવતા કરતા પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે સિવિલ પ્રક્રિયા સંહિતાના આદેશ 07 ના નિયમ 11 મુજબ આ મામલો સુનવણી કરવા યોગ્ય છે.

    જે બાદ વાંધાઅરજી રદ કરવાના નિર્ણયને પડકારવા મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરાવી હતી. મુસ્લિમ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે 1991ના પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ અને 1995ના સેન્ટ્રલ વક્ફ એક્ટ મુજબ સિવિલ વાદ પોષણીય નથી. જોકે સિવિલ પ્રક્રિયા સંહિતાના આદેશ 07 ના નિયમ 11 મુજબ આ મામલો સુનવણી કરવા યોગ્ય ઠેરવીને જ્ઞાનવાપી વિવાદિત ઢાંચા મામલે અંજુમન ઇસ્લામિયા મસ્જિદ સમિતિની અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

    આ મામલે હિંદુ પક્ષ તરફથી વકીલ હરિશંકર જૈન, પ્રદીપ શર્મા, વિષ્ણુ જૈન, સૌરભ તિવારી, પ્રભાસ પાંડે, વિનીત સંકલ્પ સહીત સીનીયર વકીલ એમ સી ચતુર્વેદી અને મુખ્ય સ્થાયી વકીલ બીપીન બિહારી પાંડે દ્વારા દલીલો કરવામાં આવી હતો. જયારે મુસ્લિમ પક્ષે SFF નકવી, જહીર અસગર અને ફાતિમા અંજુમન દ્વારા દલીલો કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે 16 મે, 2022 ના રોજ જ્ઞાનવાપી પરિસરમાં સર્વે દરમિયાન શિવલિંગ મળી આવ્યું હતું. આ શિવલિંગનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની ASIની માંગને લઈને વારાણસીની જિલ્લા અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે તેને 14 ઓક્ટોબર 2022ના રોજ ફગાવી દીધી હતી. આ પછી આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

    ‘તેરે કો મસલા ક્યા હૈ? મેરે સે નિકાહ કર લે’: સુરતમાં યુસુફખાન હિંદુ યુવતી પર નિકાહ માટે કરી રહ્યો હતો દબાણ, બાથરૂમ સુધી કરતો હતો પીછો, ધરપકડ

    હિંદુ યુવતીને માનસિક પ્રતાડના આપવા અને નિકાહ કરવાના દબાણ કરવા બદલ યુસુફખાન નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતમાં યુસુફખાન હિંદુ યુવતીને છેલ્લા 2-3 મહિનાથી પ્રેમ સબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો, યુવતી આરોપી સાથે જ નોકરી કરતી હતી. નોકરી બાદ પણ યુસુફ તેનો પીછો કરતો રહેતો હતો. યુસુફના ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર પીડિત યુવતી સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાહપોર વિસ્તારના સાંઈ બાબાના મંદિર પાસે ખાનગી ફર્મમાં નોકરી કરે છે. હોડી બંગલા વિસ્તાર ખાતે રહેતો યુસુફ જમાલ ખાન યુવતી સાથે જ નોકરી કરે છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર યુસુફ છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રેમ સંબંધ રાખવા તેને હેરાન કરી રહ્યો હતો. યુવતીએ પોતે હિંદુ હોવાનું અને તેને યુસુફ પ્રત્યે કોઈ લાગણી નહીં હોવાનું કહીને આરોપીને હેરાન ન કરવા કહ્યું હતું. તે છતાં યુસુફ યુવતીને સંબંધ રાખવા દબાણ કરતો રહેતો હતો.

    બાથરૂમ સુધી પીછો કરતો

    સુરતની યુવતીની ફરિયાદ મુજબ લગભગ 15 દિવસ પહેલા પીડિતા નોકરી પર હાજર હતી અને બાથરૂમ જઈ રહી હતી તે સમયે યુસુફ તેની પાછળ પાછળ બાથરૂમ સુધી ગયો હતો. યુવતીને તેની જાણ થતા જ તેણે યુસુફને ધમકાવ્યો હતો, જે બાદ યુસુફે થોડા સમય માટે પીડીતાનો પીછો કરવાનું છોડી દીધું હતું.

    જેના થોડા સમય બાદ યુસુફે ફરી પોતાની કરતૂતો શરુ કરી દીધી. જયારે પણ યુવતી નોકરી પર હાજર થતી ત્યારે યુસુફ તેના તરફ એકધારુ જોયા કરતો, યુવતી બેઠી હોય ત્યાં જઈને બેસી જતો. તે પીડિતાને પૂછતો રહેતો કે “ક્યા મસલા હૈ, બોલતી કયું નહી”, જે બાદ ફરી યુવતીએ પ્રતિકાર કરતા યુસુફ ત્યાંથી જતો રહ્યો હતો.

    નિકાહ કરવાના દબાણ બાદ યુવતીએ નોકરી છોડી દીધી

    યુવતીની ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેના માતા પિતા થોડા વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા અને તે તેના ભાઈ-બહેન સાથે રહે છે. વારંવાર હેરાન કરતા અને નિકાહ કરવાના દબાણ આપતા યુસુફના ત્રાસથી યુવતીએ નોકરી પણ છોડી દીધી હતી. તેવામાં ગત 29 મેના રોજ સાંજે યુસુફે પીડિતાના મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો.

    તેણે પીડિતાને ફોનમાં જણાવ્યું હતું કે, “તેરે કો પ્રોબ્લમ ક્યા હૈ, તું હા કયું નહીં કરતી? મેરે સે બાત કયું નહીં કરતી હૈ?” યુવતીએ આ સાંભળીને ફોન કાપી નાંખ્યો, જે બાદ ૩૦ મેના રોજ ફરી યુસુફે પીડિતાને ફોન કર્યો. આ વખતે પીડિતાએ યુસુફને પૂછ્યું કે તે શા માટે તેને ફોન કરીને હેરાન કરી રહ્યો છે, જેના જવાબમાં યુસીફે કહ્યું હતું કે, “તું મુજે પસંદ હૈ, તું નોકરી પે કયું નહીં આયી, તું મેરે સે નિકાહ કરને હા કયું નહીં કરતી? તું જબ તક હા નહીં કહેગી તબ તક હમારે મે નિકાહ કબુલ નહીં હોતા.” આરોપીની આ વાતથી ડરીને પીડિતાએ ફોન કાપી નાંખ્યો અને આખી ઘટના તેના ભાઈ બહેનને જાણવી હતી.

    પીડિતાના પરિવારને ઘટનાની જાણ થતા જ તેમણે તેમના સમાજના અગ્રણીઓને આ આખી ઘટનાની માહિતી આપી હતી. જે બાદ સમાજના અગ્રણીઓ અને પરિવારે યુવતીને હિંમત આપતા યુવતીએ આરોપી યુસુફ જમાલ ખાન વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    સુરતમાં યુસુફખાન દ્વારા હિંદુ યુવતીને માનસિક પ્રતાડના આપવાની ઘટનામાં પોલીસે યુવતીની ફરિયાદને ધ્યાને લઈ યુસુફ વિરુદ્ધ ઈ.પી.કો 354 ડી અંતર્ગત ગુનો નોંધી FIR નોંધી છે, તો બીજી તરફ આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

    ભારતે 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય અનાજ સંગ્રહ યોજનાને મંજૂરી આપી

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે કેબિનેટ બ્રીફિંગ બાદ મીડિયાને જણાવ્યું હતું કે, સરકાર સહકારી મંડળી ક્ષેત્ર હેઠળ વિશ્વની સૌથી મોટી ખાદ્ય અનાજ સંગ્રહ યોજના માટે નીતિ લાવવાની છે. ઠાકુરે પ્રસ્તાવિત યોજનાને સહકારી ક્ષેત્રમાં ‘વિશ્વનો સૌથી મોટો અનાજ સંગ્રહ કાર્યક્રમ’ ગણાવ્યો. સરકાર તેના માટે અંદાજે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરશે, એવી જાહેરાત કરવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર આ યોજના હેઠળ દરેક બ્લોકમાં 2000 ટનની ક્ષમતાનું એક ગોડાઉન બનાવવામાં આવશે. આ માટે આંતર-મંત્રાલય સમિતિની રચના કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ દેશમાં અનાજના સંગ્રહની સુવિધાઓને વિસ્તૃત કરવાની યોજનાનો એક ભાગ છે. આનાથી સહકારી ક્ષેત્રને વેગ મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.

    આ કાર્યક્રમનો હેતુ સહકારી ક્ષેત્રમાં ભારતની ખાદ્યાન્ન સંગ્રહ ક્ષમતાને 700 લાખ ટન સુધી વધારવાનો છે. હાલમાં દેશમાં અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા લગભગ 1,450 લાખ ટન છે. આગામી પાંચ વર્ષમાં સ્ટોરેજ 2,150 લાખ ટન સુધી વિસ્તરશે. સહકારી ક્ષેત્રમાં સંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે, મંત્રીએ જાહેરાત કરી.

    ઠાકુરે જણાવ્યું હતું કે આ ખાદ્ય અનાજ સંગ્રહ યોજના લાવવાનો ઉદ્દેશ્ય સંગ્રહના અભાવને કારણે અનાજને થતા નુકસાનને ઘટાડવાનો, ખેડૂતો દ્વારા મુશ્કેલીને લીધે થતા વેચાણને રોકવામાં મદદ કરવાનો, આયાત પર નિર્ભરતા ઘટાડવાનો અને ગ્રામીણ ભારતમાં રોજગારીની તકો ઊભી કરવાનો છે.

    ભારતમાં છે 65,000 કૃષિ સહકારી મંડળીઓ

    અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ખાદ્ય અનાજ સંગ્રહ યોજના માટેનું પગલું કૃષિ મંડળીઓ અને ખેડૂતો તેમજ ગ્રાહકો બંને માટે લાભકારક હશે. ખેડૂતો, તેમની ઉપજને સુવિધાઓમાં સંગ્રહિત કરવા ઉપરાંત, આ મંડળીઓ પાસેથી 70% સુધીની લોન પણ મેળવી શકશે. આનાથી પરિવહન ખર્ચમાં નોંધપાત્ર બચત થશે.

    ભારતમાં દર વર્ષે લગભગ 3,100 લાખ ટન અનાજનું ઉત્પાદન થાય છે. દેશની હાલની ગોડાઉન સુવિધાઓ માત્ર 47 ટકા જેટલી જ પેદાશનો સંગ્રહ કરી શકે છે.

    આ જ બ્રીફિંગમાં સિટી ઇન્વેસ્ટમેન્ટ્સ ટુ ઇનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેન – CITIIS 2.0 પ્રોગ્રામ શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

    ઝારખંડમાં લવ જેહાદ: તનવીર ખાને ‘યશ’ બનીને મોડેલને ફસાવી, પોલ ખુલી જતાં ધર્માંતરણ માટે કરવા લાગ્યો દબાણ, વાંધાજનક ફોટાને લઈને કરી બ્લેકમેઈલ

    ઝારખંડમાં મોડેલિંગની આડમાં લવ જેહાદ અંગેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈની એક મોડેલે રાંચીની મોડેલિંગ કંપનીના સંચાલક તનવીર અખ્તર ખાન પર હિંદુ બનીને તેને ફસાવવાનો આરોપ મૂક્યો છે. મોડેલે કહ્યું છે કે, તનવીરે પોતાની ઓળખ યશ તરીકે આપીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં નિકાહ માટે ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતું.

    તનવીરમાંથી યશ બનીને મોડેલિંગની આડમાં લવ જેહાદ કર્યો

    ઝારખંડમાં મોડેલિંગની આડમાં લવ જેહાદ કરનારા તનવીર ખાન સામે મોડેલે મુંબઈમાં ફરિયાદ કરી હતી અને હવે આ કેસ રાંચી પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, મૂળ બિહારની અને મુંબઈમાં મોડેલિંગ કરતી માનવી રાજ સિંહે રાંચીની યશ મોડેલિંગ ઇન્સ્ટિટ્યુટના માલિક તનવીર ખાન પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. માનવી મોડેલિંગ ટ્રેનિંગ માટે રાંચીની મોડેલિંગ ઇન્સ્ટિટ્યુટમાં આવી હતી.

    માનવીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ પહેલી મુલાકાતમાં પોતાની ઓળખાણ યશ તરીકે આપી હતી. જ્યારે પીડિતાને જાણવા મળ્યું કે આરોપી મુસ્લિમ હોવા છતાં હિંદુ હોવાનો ડોળ કરી રહ્યો છે ત્યારે તેણે આરોપીથી દૂર રહેવાનું શરુ કર્યું હતું. પીડિતાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે તનવીર ખાન પર લવ જેહાદના આરોપો મૂકી રહી છે. પીડિતાએ કહ્યું હતું કે, ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કારણે તેને આ ઘટના બોલવાની હિંમત મળી છે.

    વાંધાજનક ફોટા લઈને કરવા લાગ્યો બ્લેકમેઈલ

    માનવીએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષની ટ્રેનિંગ દરમિયાન તનવીરે તેને બહુ ત્રાસ આપ્યો હતો અને એક વખત તેને નશાની ગોળી આપીને તેના વાંધાજનક ફોટો પણ લઈ લીધા હતા. જેના આધારે તનવીર ખાન બાદમાં બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. તનવીર ખાન પર પીડિતા સાથે મારપીટ કરવાનો પણ આરોપ છે.

    તનવીર ખાનની કરતૂતો સામે આવ્યા બાદ મોડેલ રાંચી છોડીને પોતાના ગામ ભાગલપુર પહોંચી હતી. ત્યાંથી તે મોડેલિંગ કરિયર માટે મુંબઈ આવી હતી. જોકે, તનવીર ખાન ત્યાં પણ પહોંચી આવ્યો અને માનવી પર ધર્મ પરિવર્તન કરીને તેની સાથે નિકાહ કરવાનું દબાણ કરવા લાગ્યો. જ્યારે પીડિતાએ તનવીરની વાત માનવાનો ઇનકાર કર્યો, તો તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તનવીર ખાને યુવતીના ફોટોઝ એડિટ કરીને તેના પરિવારને મોકલી દીધા હતા. એ પછી મોડેલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ લખાવી હતી.

    બીજી તરફ આરોપી તનવીર ખાને માનવીએ તેના પર લગાવેલા તમામ આરોપો નકાર્યા છે અને મોડેલ પર ફ્રોડનો આરોપ મૂક્યો છે. પોલીસ હાલ મોડેલિંગની આડમાં લવ જેહાદના એન્ગલની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે.

    ઝારખંડમાં અગાઉ પણ લવ જેહાદની ઘટનાઓ સામે આવી છે

    ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2023માં ઝારખંડના જમશેદપુરમાં એક 14 વર્ષીય સગીરાએ મુસ્લિમ યુવક પર નામ બદલીને મિત્રતા કરવાનો અને પોલ ખુલી ગયા બાદ ધર્માંતરણ કરીને નિકાહ કરવા માટે દબાણ કરવાનો આરોપ મૂક્યો હતો. સમીર તરીકે પોતાની ઓળખ આપનારા શબ્બીરે સગીરાની આપત્તિજનક તસ્વીરો લઈને તેને બ્લેકમેઈલ કરી હતી જેથી પીડિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.

    તો અન્ય એક કિસ્સામાં રબાની અંસારી નામના મુસ્લિમ યુવકે હિંદુ આદિવાસી હોવાનો ડોળ કરીને હિંદુ યુવતીને ફસાવી હતી અને બાદમાં તેને કૂવા ફેંકી દીધી હતી. આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

    સાબરકાંઠા SOGએ ગફુરખાન પઠાણને હથિયાર સાથે ઝડપ્યો: ‘મહાલક્ષ્મી ઓટો પાર્ટ્સ’ નામે ચલાવતો હતો ગેરેજ, 2 તમંચા કબજામાં લઈ પોલીસે કાર્યવાહી આદરી

    સાબરકાંઠા SOGએ વડાલીના ‘મહાલક્ષ્મી ઓટો પાર્ટ્સ’ ગેરેજના સંચાલક ગફુરખાન પઠાણને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. આરોપી વડાલી મામલતદાર કચેરીના પાછળના ભાગે ભાડાથી ઓટો ગેરેજ ચલાવે છે. તેવામાં સ્થાનિક પોલીસ અને SOGની ટીમે કરેલ સફળ દરોડામાં ગફુર ખાન પાસેથી 2 દેશી બનાવટના તમંચા અને જીવતા કારતુસ મળી આવ્યા હતા. વડાલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    આ મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ SOG PI એન એન રબારીના નિર્દેશથી ચાલી રહેલા પેટ્રોલિંગ દરમિયાન SOG PSI કે બી ખાંટને બાતમી મળી હતી કે મામલતદાર કચેરી પાછળ ‘મહાલક્ષ્મી ઓટો પાર્ટ્સ’ નામે ગેરેજ ચલાવતા ગફુરખાન પઠાણ પાસે ગેરકાયદેસર હથિયાર રાખેલ છે. જે બાદ પાડવામાં આવેલા દરોડામાં સાબરકાંઠા SOGએ વડાલીના ‘મહાલક્ષ્મી ઓટો પાર્ટ્સ’ ગેરેજના સંચાલક ગફુરખાન પઠાણને હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો.

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાની ટીમે સાબરકાંઠા SOG PI એન એન રબારીનો સંપર્ક કરતા તેમણે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, “SOGની ટીમ વડાલી ખાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે મામલતદાર કચેરી પાછળ એક વ્યક્તિ પાસે ગેરકાયદેસર હથિયાર છે, જે બાદ પેટ્રોલિંગ ટીમે નિર્દેશ અનુસાર કચેરીના પાછળના ભાગે આવેલા મહાલક્ષ્મી ગેરેજમાં દરોડા પડતા ગફુરખાન અયુબખાન પઠાણ મળી આવ્યો હતો. ટીમે તેની ઝડતી લેતા તેના નાઈટ ડ્રેસ જેવા પેન્ટના ખીસામાંથી 4 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જે બાદ તેણે પહેરેલા કપડાની વધુ તપાસ કરતા કમરના ભાગે કપડામાં ખોસેલો દેશી બનાવટનો તમંચો પણ મળી આવ્યો હતો.”

    વધુ માહિતી આપતા SOG PI એન એન રબારીએ જણાવ્યું હતું કે આ દરમિયાન પેટ્રોલિંગ ટીમે ગેરેજની પણ તપાસ કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. સાથે જ ટીમે ગફુર જે રૂમમાં રહેતો હતો તેની પણ તપાસ કરી હતી. તે દરમિયાન તેના રૂમમાં મુકવામાં આવેલા કબાટમાંથી SOGની પેટ્રોલિંગ ટીમને વધુ એક દેશી તમંચો મળી આવ્યો હતો. જે બાદ ટીમે જરૂરી કાર્યવાહીઓ પતાવીને બંને હથિયાર અને મળી આવેલ કારતુસો જપ્ત કરી ગફુરની ધરપકડ કરી હતી. આ સાથે જ ગફુર હથિયાર કોની પાસેથી અને શા માટે લાવ્યો તથા તે પહેલા કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં વડાલી પોલીસ તપાસ કરી રહી છે તેમ SOG PI એન એન રબારીએ જણાવ્યું હતું.

    જોવાનું એ પણ રહેશે કે ગફુર શા માટે એક હિંદુ દેવીનું નામ રાખીને પોતાની ગેરેજ ચલાવી રહ્યો હતો. પોલીસ તપાસમાં આ બાબતના તથ્યો પણ ઉજાગર થઇ શકે છે.

    હાલ વડાલી પોલીસે પોતે ફરિયાદી બની ગફુરખાન અયુબખાન પઠાણની ધરપકડ કરીને કુલ 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વડાલી પોલીસે ગફુર વિરુદ્ધ આર્મ્સ એક્ટ 1959ની કલમ 25 (1-B) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    ‘પહેલવાનોએ કાવતરું રચ્યું છે, બ્રિજભૂષણ સિંઘ સામે POCSO ઍક્ટનો દુરુપયોગ થયો છે’: કથિત સગીરાના કાકાએ ભત્રીજીની ઉંમર 20 વર્ષ હોવાનો કર્યો દાવો

    રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને ગોંડાના બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ સામે નોંધાયેલા જાતીય સતામણીના કેસમાં નવો વળાંક આવ્યો છે. WFIના પ્રમુખ પર એક સગીરા સહિત અન્ય મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી કરવાનો આરોપ છે. પરંતુ, જે સગીરાના કારણે બ્રિજભૂષણ પર પોક્સો ઍક્ટ લગાવવામાં આવ્યો હતો તે વાસ્તવમાં પુખ્ત હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસો કથિત સગીરાના કાકાએ કર્યો છે.

    ઉલ્લેખનીય છે કે, બ્રિજભૂષણ શરણ સિંઘ સામે જાતીય સતામણીનો આરોપ મૂક્યા બાદ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે, સગીરાના કાકા અમિત પહેલવાને કહ્યું છે કે, તેમની ભત્રીજીની જન્મતારીખ 22 ફેબ્રુઆરી, 2004 છે એટલે કે તેની ઉંમર 19 વર્ષ છે. એટલું જ નહીં, અમિત પહેલવાને ધરણા કરી રહેલા કુસ્તીબાજો પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે, તેમણે રાજકારણના હેતુથી કાવતરું રચીને તેમના મોટા ભાઈ અને ભત્રીજીને ફોસલાવ્યા છે.

    અમિત પહેલવાને મીડિયાને એવું જણાવ્યું હતું કે, “કુસ્તીબાજો રાજકીય દાવપેચ માટે મારા પરિવારનો લાભ ઉઠાવી રહ્યા છે. તેમણે મારી ભત્રીજીની ઉંમર 16 વર્ષ જણાવીને પોક્સો ઍક્ટનો દુરુપયોગ કર્યો છે.” તેમણે કહ્યું કે, “આ કેસમાં પોક્સો ઍક્ટ કેવી રીતે લાગી શકે? પીડિતાની ઉંમર 20 વર્ષ છે. સાક્ષી અને વિનેશ જેવા કુસ્તીબાજો મગરના આંસુ સારી રહ્યા છે.”

    ઉલ્લેખનીય છે કે, બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ બે FIR નોંધવામાં આવી છે જેમાં એક પોક્સો હેઠળ છે. કુસ્તીબાજો 23 એપ્રિલ, 2023થી WFIના પ્રમુખ સામે આંદોલન પર છે અને બ્રિજભૂષણ શરણ સિંઘની ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે.

    દિલ્હી પોલીસે કરી હતી કુસ્તીબાજોની અટકાયત

    28 મે, 2023ના રોજ કુસ્તીબાજોએ મહાપંચાયત’ માટે બેરિકેડ તોડીને નવા સંસદ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી. એ પછી અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોલીસની એ ચેતવણીની અવગણના કરી હતી કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન દરમિયાન ખલેલ પહોંચાડવી દેશની પ્રતિષ્ઠા માટે હાનિકારક છે અને તે સ્વીકાર્ય નથી. પરિણામે, તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી.

    કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગા નદીમાં પધરાવી દેવાનો પ્રયાસ કર્યો

    દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન પર રોક લગાવ્યા બાદ કુસ્તીબાજો મંગળવારે (30 મે, 2023) હરિદ્વાર પહોંચ્યા હતા અને મેડલ ગંગા નદીમાં વહાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, BKU નેતા નરેશ ટિકૈત આગળ આવ્યા બાદ કુસ્તીબાજોએ મેડલને પધરાવી દેવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો.

    ‘ગંગામાં મેડલ વહાવી દેવાથી બ્રિજભૂષણને ફાંસી નહીં મળે’

    જાતીય સતામણીના આરોપો વચ્ચે બ્રિજભૂષણ શરણ સિંહે એક સભામાં એવું નિવેદન આપ્યું હતું કે, “મેં કહ્યું હતું કે જો મારા પર લાગેલો એક પણ આરોપ સાબિત થશે તો હું પોતે ફાંસી પર લટકી જઈશ. આજે પણ હું એ જ વાત પર કાયમ છું. 4 મહિનાથી તેઓ (કુસ્તીબાજો) મારી ફાંસી ઈચ્છે છે. સરકાર મને ફાંસી નથી આપી રહી તો તેઓ પોતાના મેડલ ગંગામાં પધરાવવા જઈ રહ્યા છે. મારા પર આરોપ લગાવનારાઓ, ગંગામાં મેડલ વહાવવાથી બ્રિજભૂષણને ફાંસી નહીં મળે.”