Thursday, April 2, 2026
More
    Home Blog Page 1404

    વલસાડમાં એસટી ડેપો એરિયા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટ અને ટ્રસ્ટની દુકાનોના ભાડા મામલે વિવાદ સર્જાયો


    શહેરમાં બેચર રોડ પર આવેલ ફાતિમા મસ્જિદ, એસટી ડેપો એરિયા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટની દુકાનોના ભાડા મામલે ચાલી રહેલા વિવાદ મામલે તે વિસ્તારના મુસ્લિમ સમાજના પ્રમુખ ઝાહિદ દરિયાઈએ પાલિકા સભ્ય અને સુન્ની મુસ્લિમ આગેવાનો તેમજ રહીશોની સાથે મળીને પાલિકા સીઓને રજૂઆત કરી હતી. જેમાં વક્ફ અધિનિયમ મુજબ 11 માસના ભાડા કરાર કરવા અને તેથી વધુ સમય માટે કરાર કરવાના હોય તો સબરજિસ્ટ્રાર કચેરી ખાતે નોંધણી કરવાનું જણાવવામાં આવ્યું હતું.


    લેખિત રજૂઆતમાં કહેવામાં આવ્યું કે, પાલિકામાંથી વ્યવસાય લાયસન્સ અને ઇન્ટિમેશન રિસિપ્ટ મેળ‌વવી ફરજિયાત છે, જેમાં જરૂરી પૂરાવામાં ટ્રસ્ટ સાથેનો ભાડા કરાર, ટ્રસ્ટનું સમંતિપત્ર, ભાડૂતનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત પાલિકા દ્વારા માગવામાં આવે છે. જેથી આ કાર્યવાહી પાલિકા દ્વારા કરાઇ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે.

    બીજી તરફ, ટ્રસ્ટની મિલ્કતના ભાડૂઆત દુકાનદારોએ પાલિકા ખાતે જઈને સીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ સંસ્થા વક્ફ સંસ્થા છે અને જેના નિભાવ માટે વક્ફ બોર્ડ બનાવવામાં આવેલ છે. વક્ફ બોર્ડમાં મસ્જિદ ટ્રસ્ટીઓના નામો અંગે બોર્ડનું પ્રમાણપત્ર છે અને તે જોઈને આ રજૂઆતો કરવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે. બંને પક્ષે રજૂઆતો થતા હાલ મામલાએ વિવાદ પકડ્યો છે.

    આ પહેલાં ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં આવો જ વિવાદ સામે આવ્યો હતો. જ્યાં અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ગામ મુસ્લિમો દ્વારા દરગાહ પરિસર નજીક બનાવવામાં આવતી દીવાલને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે મામલે પોલીસે 64 મહિલાઓ સહિત 133 લોકોની અટકાયત કરી હતી.

    રિપોર્ટ અનુસાર, દરગાહ ટ્રસ્ટ સમિતિ દ્વારા દરગાહની આસપાસના કમ્પાઉંડનું રિનોવેશન કરવા માટે ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ તારની વાડ હતી જેની જગ્યાએ દીવાલ બનાવવાનું નક્કી થયું હતું. તેમજ આ માટે કલેક્ટરની પરવાનગી પણ લેવામાં આવી હતી. પરંતુ તેમ છતાં ગામના મુસ્લિમ સમાજના લોકો વિરોધ કરવા ઉતરી આવ્યા હતા અને તેમણે આરોપ લગાવ્યો હતો કે બાંધકામના કારણે મસ્જિદથી દરગાહ સુધી જવાનો રસ્તો બંધ થઇ જશે. જો કે સ્થાનિક પ્રશાસને તત્કાળ પગલાં લઈને મામલાને થાળે પડ્યો હતો.

    અબુ બકર, યુસુફ, શોએબ અને સૈયદની ધરપકડ : 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસ મામલે ગુજરાત ATSની કાર્યવાહી, ચારેય દાઉદ ગેંગના આતંકીઓ

    1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસ મામલે ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ચાર સાગરીતોની ધરપકડ કરી લીધી છે. આ ચારેયની ઓળખ અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશી તરીકે થઇ છે. તમામ 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓ છે. 

    ચારેય ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતા અને તેમની શોધખોળ ચાલી રહી હતી. પરંતુ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે તેઓ પોતાનાં ઠેકાણાં બદલતા રહેતા હતા. તેમજ બોગસ પાસપોર્ટનો સહારો લઇ વિવિધ દેશોમાં ભટકતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. થોડા સમય પહેલાં તેઓ દુબઇમાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અમદાવાદ આવતા હોવાનું જાણવા મળતા ચારેયને પકડી લેવામાં આવ્યા હતા

    પકડાયેલા ચારેય આતંકવાદીઓએ 1993 મુંબઈ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. તદુપરાંત, તેઓ દાઉદ ગેંગના સંપર્કમાં હોય તેવી પણ આશંકા છે. જેથી ધરપકડ બાદ ચારેયની પૂછપરછ સેન્ટ્રલ એજન્સીઓ કરશે અને જે બાદ દાઉદ ગેંગ વિશે પણ વધુ માહિતીઓ બહાર આવી શકે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ ચારેયના અમદાવાદ કનેક્શન અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. 

    રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે આ ચારેય આતંકવાદીઓ દાઉદ ઈબ્રાહીમના દુબઇ સ્થિત રહેઠાણ ‘વ્હાઇટ હાઉસ’માં ભેગા થયા હતા અને મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું. તદુપરાંત, પ્લાન અમલમાં મૂકવા પહેલાં તેઓ પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેવા માટે પણ ગયા હતા. 

    1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસ 

    12મી માર્ચ, 1993 ના દિવસે મુંબઈમાં બે કલાકના સમયગાળામાં કુલ 12 સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે લગભગ 1000 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ બ્લાસ્ટમાં 27 કરોડ રૂપિયાની સંપત્તિઓ નષ્ટ થઇ ગઈ હતી.

    આ કેસમાં તપાસ કરતા મુંબઈ પોલીસે 1994 માં 129 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. 2006 માં ટાડા કોર્ટે 100 લોકોને દોષી ઠેરવીને સજા સંભળાવી હતી. આ જ કેસમાં યાકુબ મેમણને 2015 માં ફાંસીએ ચડાવવામાં આવ્યો હતો. આ જ કેસમાં સ્પેશિયલ કોર્ટે ગેંગસ્ટર અબૂ સાલેમને પણ દોષી ઠેરવ્યો હતો. તેણે કબુલ્યું હતું કે તેણે સંજય દત્તને હથિયારો પૂરાં પાડ્યાં હતાં.

    મુંબઈ બ્લાસ્ટ સાથે જોડાયેલા એક અન્ય કેસમાં ફિલ્મ અભિનેતા સંજય દત્તને કોર્ટે દોષી ઠેરવ્યો હતો. સંજય દત્ત પર ગેરકાયદે હથિયાર રાખવાનો આરોપ લાગ્યો હતો અને જે કેસમાં તેને પાંચ વર્ષની સજા પણ થઇ હતી. સાલેમ ગુજરાતથી હથિયારો મુંબઈ લઇ ગયો હતો અને કેટલાંક હથિયાર તેણે સંજય દત્તને પણ આપ્યાં હતાં. તેણે સંજય દત્તને 16 જાન્યુઆરી 1993 ના રોજ એકે 56 રાઇફલો, કારતૂસ અને હેન્ડગ્રેનેડ આપ્યા હતા અને 18 જાન્યુઆરીએ સાલેમ અને તેના સાગરીતો આવીને સંજય દત્તના ઘરેથી રાઇફલ અને કારતૂસ લઇ ગયા હતા. સંજય દત્તને અબુ સાલેમ અને રિયાઝ સિદ્દીકી પાસેથી ગેરકાયદેસર હથિયારો લઈને તેને સાચવવા અને નષ્ટ કરવાના આરોપસર દોષી ઠેરવવામાં આવ્યો હતો.

    ચેતજો: કૉસ્મેટિક સર્જરી બાદ 21 વર્ષીય કન્નડ અભિનેત્રીનું મોત, માતા-પિતાનો ડૉક્ટરો પર આરોપ

    કર્ણાટકની એક 21 વર્ષીય અભિનેત્રીનું ‘ફૅટ ફ્રી’ કૉસ્મેટિક સર્જરી કરાવ્યા બાદ મોત થયું છે. કન્નડ અભિનેત્રીનું નામ ચેતના રાજ હતું. તે અનેક ધારાવાહિકોમાં પણ જોવા મળી હતી. ગત 16 મેના રોજ તેને બેંગ્લોર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ તેની પ્લાસ્ટિક સર્જરી અંગે તેના માતા-પિતાને જાણ કરી ન હતી અને તેના મિત્રો સાથે હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં 16 મેના રોજ સવારે તેની સર્જરી કરવામાં આવી હતી. જે બાદ તે જ દિવસે સાંજે અભિનેત્રીને તકલીફ થવા માંડી હતી અને તેના ફેંફસાંમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું. જે બાદ ડોકટરોએ સારવાર શરૂ કરી હતી પરંતુ તે બચી શકી ન હતી અને કન્નડ અભિનેત્રીનું મોત થઇ ગયું હતું.

    અભિનેત્રીના માતા-પિતાએ ડોકટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે તેમજ તેમની પુત્રીના મોત માટે પણ ડોકટરોને જવાબદાર ઠેરવ્યા છે. ચેતના રાજના માતા-પિતાએ નજીકના પોલીસ મથકે હૉસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, હાલ ચેતનાનો મૃતદેહ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે, જે આવતીકાલે સવારે અન્ય હોસ્પિટલમાં પોસ્ટ મૉર્ટમ માટે મોકલવામાં આવશે. 

    વજન ઘટાડવા માટે કરવામાં આવતું ડાયેટ અને આ પ્રકારની સર્જરી કેટલીક વખત ઘાતક પણ બની શકે છે. આવો જ એક કિસ્સો અભિનેત્રી મિષ્ટી મુખર્જી સાથે બન્યો હતો. કીટો ડાયેટના કારણે કિડની ફેલ્યોરને લીધે અભિનેત્રી મૃત્યુ પામી હતી. 

    અનેક ફિલ્મો અને સંગીત વિડીયોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મિષ્ટી મુખર્જીનું 2 ઓક્ટોબર 2020ના રોજ બેંગ્લોરમાં નિધન થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, તે કિડનીનની બીમારીથી પીડાતી હતી. તેણે વર્ષ 2012 માં આવેલી ‘લાઈફ કી તો લગ ગઈ’ ફિલ્મ સાથે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીના નજીકના વ્યક્તિના જણાવ્યા અનુસાર, તેના કીટો ડાયેટના કારણે કિડની ફેલ્યોર થયું હતું. 

    કીટો ડાયેટ હાઈ-ફેટ, મૉડરેટ પ્રોટીન અને લો-કાર્બ પર આધારિત છે. આ ડાયેટ પ્લાનનો મુખ્ય હેતુ વજન ઘટાડવાનો હોય છે. આ ડાયેટ પ્લાનથી વજન તો ઓછું થાય છે પરંતુ અનેક અભ્યાસોમાં સામે આવ્યું છે કે આ પ્રકારનો આહાર સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને કિડની પર પણ ખરાબ અસર કરે છે. લાંબા સમય સુધી કીટો ડાયેટ અનુસરતા લોકોને કિડનીમાં પથરીની સમસ્યા થવી સામાન્ય બાબત છે. તેથી જેમને પહેલેથી કિડનીની બીમારી હોય તેમને કીટો ડાયેટ ન અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

    આવો જ એક કિસ્સો યુકેમાં પણ બન્યો હતો. વર્ષ 2009માં, યુકે સ્થિત એક મહિલા પોતાનાં લગ્ન પહેલાં વજન ઘટાડવાની લ્હાયમાં મૃત્યુ પામી હતી. 34 વર્ષીય મહિલા વજન ઘટાડવા માટે ડાયેટ પ્લાન ફોલો કરતી હતી અને તેણે 11 અઠવાડિયામાં લગભગ 19 કિલો વજન ઘટાડી દીધું હતું. પરંતુ જે બાદ એક દિવસે હાર્ટ ફેલ્યોર થતાં તે ઘર જ ઢળી પડી હતી અને જે બાદ તેનું મોત થયું હતું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પણ તેના મૃત્યુનું કારણ હાર્ટ ફેલ્યોર જણાવવામાં આવ્યું હતું.

    ડીસામાં પશુતસ્કરો બેફામ: ઘેટાં બકરા ભરેલી પિકઅપ વાન અકસ્માત બાદ પલટી ખાતા પશુઓનો આબાદ બચાવ, એક મહિલાને ઇજા

    ગઈ કાલે ડીસા પાટણ હાઇવે પર ખરડોસણ રોડ પર એક અકસ્માતમાં પિકઅપ વાહન પલટી મારતા તેમાં ઘેટાં બકરા ભરેલા હોવાનું રાહદારીઓએ નોંધ્યું. આ પશુ તસ્કરી વિષે પોલીસને જાણ કરાતાં વાહનચાલકની ધરપકડ કરાઇ હતી તથા પશુઓને નજીકના પાંજરાપોળમાં ખસેડાયા હતાં.

    સમગ્ર ગુજરાતમાં મૂંગા પશુઓની તસ્કરીની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. તસ્કરોને કોઈ પણ કાયદાઓનો ભય રહ્યો ન હોય એમ માલૂમ પડે છે. આવી જ એક પશુ તસ્કરી કરવાની ઘટના ગઈ કાલે ડીસામાં સામે આવી હતી.

    ડીસા પાટણ હાઇવે પર ખરડોસણ પર ઘેટાં બકરા ભરેલ એક પિકઅપ વાહન ચાલકે એક રાહદારી મહિલાને અડફેટે લેતા વાહન પલટી ખાઈ ગયું. જેથી ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોકલાઈ હતી. જેમનું ધ્યાન વાહનમાં રખાયેલ ઘેટાં બકરાઓ પર પડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરાતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પિકઅપ જીપમાં ભરેલા ઘેટા બકરા કતલખાને લઇ જવાનું સામે આવ્યું હતું. 

    ઘટનાની જાણ થતાં ડીસાના જીવદયા પ્રેમી મકસીભાઈ રબારી સહિતના લોકો ત્યાં પહોચી ગયા હતા અને પશુ તસ્કરી માટે લઈ જવાતા 21 ઘેટાં બકરાઓને નજીકની ડીસા કાન્ટ પાંજરાપોળમાં ખસેવામાં આવ્યા હતા જ્યાં ઘેટા બકરાને સારવાર આપી તેમને માટે ખોરાકની વ્યવસ્થા કરી હતી.

    ડીસા પોલીસ દ્વારા આરોપી વાહન ચાલકને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શક્યતા છે કે તપાસમાં પશુ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાના વિષયમાં કોઈ મોટી જાણકારી હાથે લાગી શકે છે.

    નોંધનીય છે કે ડીસામાં આ રીતની પશુ તસ્કરી જેવી ઘટના પહેલો વાર નથી બની. આ પહેલા બે વર્ષ પહેલા પણ ડીસાના ગવાડીથી નંદાસણ ખાતે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 227 ઘેટાં બકરાઓ ભરેલી ટ્રકને ડીસા શહેર દક્ષિણ પોલીસે જડપી પાડી હતી અને અજરુદ્દીન, ફકિરમહંદ અને ઇમરાન નામના ત્રણ તસ્કરોની ધરપકડ કરાઇ હતી.

    23 જાન્યુઆરી 2021ના દિવસે પણ ડીસા માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પાસેથી પશુ તસ્કરી કરી રહેલ એક ટ્રક પકડીને એમાથી 258 ઘેટાં બકરાઓને મુક્ત કરાવાયા હતા. જેમાં સાત લોકો સામે ગુનો નોંધાયો હતો.

    કહી ખુશી કહી ગમ: જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાંથી શિવલિંગ મળતા ભક્તો આનંદિત, જ્યારે બીજી તરફે પોતાના ચરુ લૂંટાયા હોય એમ ભડક્યા

    જ્યારથી આ સમાચાર બહાર આવ્યા છે કે વારાણસીમાં જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાં શિવલિંગ મળ્યું છે, તેથી હિન્દુઓ બંધારણની અંદર શિવલિંગની હાજરી વિશે તેમની લાંબા સમયથી માન્યતાની ખાતરીની ઉજવણી કરી રહ્યા છે. જોકે સેક્યુલરો, અપેક્ષિત રીતે જ, જુદા જુદા સોશિયલ મીડિયા પર પોતાનો કોઈક ચરુ લૂંટાઈ ગયો હોય એમ બળતરા દર્શાવી રહ્યા છે.

    આ વિષયમાં સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મંતવ્યો જોઈ શકાય છે. જેમાં એક મોટો વર્ગ કે જે આ શિવલિંગ મળવાની ઘટનાથી ગદગદિત છે અને સદીઓ પછી પોતાની મનોકામના પૂરી થઈ હોય એમ ઉત્સવ માનવી રહ્યો છે. ત્યાં જ એક નાનો વર્ગ એવો પણ છે જેને આ શોધ સહન નથી થઈ રહી અને તેઓ એનકેન પ્રકારે સામે આવેલી આ સત્ય હકીકતને નકારવાના પ્રયત્નો કરી રહ્યા છે.

    જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાં શિવલિંગ મળતા હિન્દુઓ આનંદિત થયા

    16 તારીખે સવારે જ્યારે હિન્દુ પક્ષના વકીલે જ્ઞાનવાપીમાં વિવાદિત માળખામાંના વઝુખાનામાંથી શિવલિંગ મળવાની વાત કહી એવું તરત જ ત્યાં હાજર ભકતોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું અને ‘હર હર મહાદેવ’ના નારાઓથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. જેમ જેમ આ શુભ સમાચાર બહાર આવતા ગયા એમ એમ ભાવિક ભક્તોએ સોશિયલ મીડિયા પર પણ પોતાની પ્રતિક્રિયાઓ આપવાની શરૂ કરી હતી. સાથે જ ટ્વિટર પર #HarHarMahadev , #ज्ञानवापी_मंदिर જેવા હેસટેગ ટ્રેંડિંગમાં આવી ગયા હતા.

    ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મના સર્જક વિવેક રંજન અગ્નિહોત્રીએ એક ફોટો શેર કરતાં એના પર બંગલીમાં લખેલ એક વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરતાં લખ્યું કે, “જ્ઞાનવાપીની નીચે, જ્યાં પૃથ્વીની નીચે પાતાળલોક (બ્રહ્માંડના ભૂમિગત ક્ષેત્ર) છે, ત્યાં મહાકાળ બેસે છે, લાંબા સમયથી તેમને અવગણવામાં આવે છે.”

    એક ટ્વિટર યુઝરે લખ્યું કે, “અમે લડ્યા, ફરીથી કબજે કર્યા અને રામ મંદિર બનાવી રહ્યા છીએ. અમે જ્ઞાનવાપી પાછી મેળવીશું (અમને આપણા ન્યાયતંત્ર પર વિશ્વાસ છે). આપણે આક્રમણકારો દ્વારા હાઇજેક કરાયેલા દરેક મંદિર પર નિયંત્રણ લેવું જ જોઇએ.”

    ટ્વિટર પર શેર કરાયેલ કથિત રીતે વઝુખાનામાં શિવલિંગ હોય એવા વિડીયો પર ટિપ્પણી કરતાં અભિનેતા રણવીર શોરેએ કહ્યું કે, “મારો અર્થ તણાવમાં ઉમેરો કરવાનો નથી, પરંતુ જો તે ખરેખર #શિવલિંગ છે, તો પછી તે મારી આંખોમાં આંસુ લાવે છે. #gyanvapi “

    જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાં શિવલિંગ મળવાના કિસ્સામાં ફેસબુક પર ગુજરાતનાં પ્રખર વિચારક જશવંત રાવલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જ્ઞાનવાપિ પરિસરના કૂવામાંથી વિશાળ શિવલિંગ મળી આવ્યું. એ આશ્ચર્યકારક નથી. ત્યાં હોય જ. સચરાચર વિશ્વમાં જળ સિવાય કશું ન હતું ત્યારે પ્રગટેલો ધ્વનિ ઓમકાર હતો. ૐ એ શાશ્વત સ્વર છે. એ અવિલુપ્ત છે. શિવ સદા છે. સદાશિવ છે. શિવ ૐકાર છે. એ હોય જ. મળવાના જ હતા. વિધર્મી આક્રાન્તાઓ મંદિર તોડી શકે ૐ નાદને નહીં. શિવ તો દ્યોત છે. તેજ છે. તેગથી તેજ ન મિટાવી શકાય. ૐ नमः शिवाय:।”

    અન્ય એક ગુજરાતીએ ટ્વિટર પર લખ્યું કે, “સત્ય કદી છૂપું નથી રહી શકતું…બુદ્ધ પર્વ પર મહાદેવજી નું અસ્તિત્વ જ્ઞાનવાપી મસ્જિદ મા ભારતીય સંસ્કૃતિ ની ગરિમા છે.”

    એક ટ્વિટર યુઝરે તાજમહેલને ટાંકતા લખ્યું કે, “જ્ઞાનવાપી મસ્જિદ માંથી તો વર્ષો પછી શિવલિંગ મળ્યું હવે તાજમહેલ નો પણ એક સરવે થવો જોઈએ. #जय_श्रीराम”.

    અન્ય એક ટ્વિટર વપરાશકર્તાએ પ્રધાનમંત્રીએ મોદીનો આભાર માનતા લખ્યું કે, “કાશીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ નીકળ્યું. અત્યારે મારા ખાતામાં પંદર લાખને બદલે પંદર કરોડ જમા થઈ ગયા છે. હિન્દુ હ્યદય સમ્રાટ નરેન્દ્ર મોદીની જય.”

    ઇસ્લામવાદીઓ ગ્યાનવાપી મસ્જિદની અંદરથી શિવલિંગ શોધી કઢાયા પછી બળતરા સહન કરી રહ્યા છે

    જે લોકોએ જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાં શિવલિંગ મળવાને લઈને દુખ રજૂ કર્યું હતું તેમાંથી એક હતા, AIMIM ચીફ અસદુદ્દીન ઓવાસી, જેમણે મુસ્લિમોને કોઈ પણ કિંમતે વિવાદિત માળખું ન ગુમાવવાની હાકલ કરી હતી.

    “જ્યારે હું 19-21 વર્ષનો હતો ત્યારે બાબરી મસ્જિદ મારી પાસેથી છીનવી લેવામાં આવી હતી. પરંતુ અમે 19-20 વર્ષના બાળકોની સામે ફરી ક્યારેય મસ્જિદને ગુમાવીશું નહીં. શું તમે કોઈ શપથ લો છો કે આપણે વધુ મસ્જિદો ગુમાવીશું નહીં? ” તેણે એક ઉગ્ર ભીડને પૂછ્યું. ‘નારા-એ-તકબીર’ અને ‘અલ્લાહુ અકબર’ ના નારાઓ વચ્ચે, તેમના સમર્થકોએ જ્ઞાનવાપી મસ્જિદની વિવાદિત રચનાને સુરક્ષિત રાખવાની પ્રતિજ્ઞા લીધી. “તેઓએ જાણવું જ જોઇએ કે આપણે આપણી મસ્જિદોમાંથી વધુ ગુમાવીશું નહીં. અમે તમારી બધી યુક્તિઓ જાણીએ છીએ,” ઓવેસીએ ટિપ્પણી કરી હતી.

    શેતાનના કાર્ય તરીકે જ્ઞાનવાપીની વિડિઓગ્રાફીની આખી કવાયતને રજૂ કરતી વખતે, AIMIM નેતાએ ટિપ્પણી કરી, “જો આપણે આપણી મસ્જિદોને ઉપાસકોથી ભરેલા રાખીએ, તો પછી, આ શેતાની દળો જે આપણી સંસ્કૃતિથી વંચિત રહેવા માંગે છે તે સમજી જશે કે ભારતીય મુસ્લિમો હવે છે તેમની મસ્જિદો ગુમાવવા માટે તૈયાર નથી. “

    શિવિલિંગની શોધ પછી કોર્ટે કેવી રીતે પરિસરને સીલ કરવાનો આદેશ આપ્યો છે તે અંગે એક નવો અહેવાલ શેર કરતાં, એક પત્રકાર, જેના પર દાનના નામે પૈસા ભેગા કરી અંગત કામોમાં વાપરવાનો આરોપ છે, રાણા અય્યુબે ટાંકયું કે દરરોજ કેવી રીતે મોદીના ભારતમાં બાબરી ધ્વંસની જેમ એક ઘટના બને છે. “દરરોજ એક બાબરી. દરરોજ એક ટ્રિગર,” તેણે ટ્વિટ કર્યું.

    તેના ત્યારબાદના ટ્વીટમાં, વિવાદિત વોશિંગ્ટન પોસ્ટ કટારવાદી અને દાનની છેતરપિંડીની આરોપીએ લોકો પર ભડકી હતી જેમણે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક રામ જન્મભૂમિ ચુકાદાને ટેકો આપ્યો હતો. તેણે લખ્યું, “આપણા કેટલાક સારા હેતુવાળા ઉદારવાદીઓ અને પત્રકારોને એક મોટો અવાજ ઉઠાવ્યો, જેમણે રાજકારણને નફરત કરવાના બંધ તરીકે અદાલતો દ્વારા બાબરીના ચુકાદાને બિરદાવ્યા હતા. તમે અંત તરીકે શરૂઆતની ભૂલ કરવા માટે ચોક્કસપણે નિષ્કપટ ન હતા. આની જવાબદારી એક ધર્માંધ અને તકવાદીઓ જેટલી જ તમારા પર પણ છે.”

    જ્ઞાનવાપી વિવાદિત પરિસરમાં શિવલિંગ મળવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા, ડાબેરી વેબસાઇટ ‘ધ વાયર’ ના અરફા ખાનમ શેરવાની, હિન્દીમાં ફક્ત ટ્વિટ કરીને પણ શોક વ્યક્ત કર્યો હતો, “इस इस इस की की सुबह नहीं नहीं नहीं…” (આ રાતનો કોઈ અંત નથી). તેમ છતાં તેણે આ ટિપ્પણી કેમ કરી તે સ્પષ્ટ કર્યું ન હતું, તેમ છતાં, તે સ્પષ્ટ છે કારણ કે તેની ટ્વીટ લગભગ તે જ સમયે આવી હતી જ્યારે અહેવાલો બહાર આવ્યા હતા કે શિવલિંગની શોધ થયા પછી કોર્ટે જ્ઞાનવાપી પરિસરને સીલ કરી દીધું હતું.

    તેવી જ રીતે, અન્ય ઘણા ઇસ્લામવાદીઓએ શોક વ્યક્ત કર્યો હતો કે આ ઘટના 1949 ના બાબરી મસ્જિદ ધ્વંસણે દોહરાવવા માંગે છે અને સરકાર પરિસરમાં જોવા મળતા શિવલિંગની અફવા ફેલાવી રહી છે જેથી બાબરી મસ્જિદની જેમ જ્ઞાનવાપી મસ્જિદ તોડી શકાય.

    “તેઓ બાબરી મસ્જિદ 2.0 ની તૈયારી કરી રહ્યા છે, જેમ કે મોડેલનો ઉપયોગ કરીને તે જ રીતે ઉપયોગમાં લેવાય છે જેનો ઉપયોગ બાબરી મસ્જિદમાં ઉદરવાદી મુસ્લિમને શરમજનક બનાવવા માટે બાબરી મસ્જિદને તોડી નાખવા માટે કરવામાં આવ્યો હતો, જે ધર્મનિરપેક્ષતા માટે બાબરી મસ્જિદને જમીન આપવા તૈયાર હતા,” યુઝર @Faizan 000૦૦8 એ ટ્વીટ કર્યું.

    વિવાદિત જ્ઞાનવાપી સાઇટમાંથી શોધી કાઢવામાં આવતા શિવલિંગના સાક્ષાત્કારની આટલી જોરદાર અસર પડી હતી કે અન્ય ટ્વિટર યુઝર, સામિયુલ્લાહ ખાન, જે, તેમના ટ્વિટર બાયો અનુસાર, ‘પત્રકાર’ છે અને માનવાધિકાર એક્ટિવિસ્ટ, અયોગ્ય રીતે મહત્વાકાંક્ષી બન્યા છે. તેમણે ટ્વિટ કર્યું, “અમે એક ભવ્ય બાબરી મસ્જિદ બનાવીશું. અને વિશ્વ જોશે તે અમારા #Gyanvapimosce ફરીથી ખોલીશું. ઇન્શા-અલ્લાહ. “

    આમ, આ અમુક ઇસ્લામવાદીઓને આટલું અસ્વસ્થ અને વ્યગ્ર લાગે છે તે જોવું ખરાબ લાગે છે. પરંતુ હકીકત એ છે કે રામ મંદિરની નિરપેક્ષતા અવિશ્વસનીય છે તેથી જ્ઞાનવાપી મસ્જિદ સંકુલ છે જે ઇસ્લામિક આક્રાંતાઓ દ્વારા ઘણી વખત અપમાન કર્યા પછી મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરના ખંડેરો ઉપર બાંધવામાં આવેલું એક વિવાદિત માળખું છે.

    જો આ કટ્ટરપંથીઓ તેમના જીવનભર નકારમાં જીવવા માંગે છે, તો પણ સત્ય એ છે કે અગાઉ એક મંદિર આ બંને પવિત્ર સ્થળો પર ઊભું હતું અને હિન્દુઓને ફરીથી તેના પર દાવો કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

    પીએમ મોદી નેપાળની મુલાકાતે : સંબોધનમાં વડનગરને યાદ કર્યું, રામમંદિરને લઈને કહ્યું- તેના નિર્માણથી નેપાળના લોકો ખૂબ ખુશ 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (16 મૅ 2022) નેપાળની એક દિવસીય મુલાકાતે ગયા હતા. તેમણે નેપાળના લુમ્બિનીની મુલાકાત લીધી હતી અને બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું. નોંધનીય છે કે પીએમ મોદી નેપાળના વડાપ્રધાન શેર બહાદૂર દેઉબાના આમંત્રણ પર નેપાળની યાત્રાએ ગયા હતા. પીએમની આ પાંચમી નેપાળ મુલાકાત હતી. 

    પીએમ મોદીએ નેપાળના લુમ્બિનીમાં આયોજિત બુદ્ધ જયંતિ સમારોહમાં ભાગ લીધો હતો. તેમની સાથે નેપાળના વડાપ્રધાન અને તેમના પત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને ત્યાં ઉપસ્થિત લગભગ 2500 લોકોને સંબોધિત કર્યા હતા. 

    સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, “આ પહેલાં પણ મને વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલાં દિવ્ય સ્થળો પર જવાની તક મળી છે. અને આજે ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધના પવિત્ર જન્મસ્થળ લુમ્બિનીમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે.” તેમણે કહ્યું કે, “માયાદેવી મંદિરમાં દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો એ મારા માટે અવિસ્મરણીય છે. જે જગ્યાએ સ્વયં ભગવાન બુદ્ધે જન્મ લીધો હોય ત્યાંની ઉર્જા, ત્યાંની ચેતના એક અલગ જ અનુભૂતિ કરાવે છે.” 

    વડાપ્રધાને કહ્યું, “નેપાળ વગર અમારા રામ પણ અધૂરા છે. હું જાણું છું કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે તો નેપાળના લોકો પણ ખૂબ ખુશ છે.” 

    તદુપરાંત, વડાપ્રધાને નેપાળના વડનગર કનેક્શનને પણ યાદ કર્યું હતું. તેમણે કહ્યું, “જે સ્થળે મારો જન્મ થયો તે ગુજરાતનું વડનગર સદીઓ પહેલાં બૌદ્ધ શિક્ષણનું બહુ મોટું કેન્દ્ર હતું. આજે પણ ત્યાં પ્રાચીન અવશેષો મળી રહ્યા છે અને જેના સંરક્ષણનું કામ ચાલી રહ્યું છે. ભારતમાં અનેક શહેરો, સ્થળો એવા છે જેને લોકો ગર્વ સાથે તે રાજ્યના કાશીના સ્વરૂપમાં જાણે છે. તેથી કાશી નજીક સારનાથમાં મારી આત્મીયતા તમે પણ જાણો છો. ભારતમાં સારનાથ, બૌદ્ધગયા અને કુશીનગરથી લઈને નેપાળમાં લુમ્બિની સુધી, આ પવિત્ર સ્થળો આપણા વારસા અને મૂલ્યોના પ્રતીક છે.” 

    તદુપરાંત, વડાપ્રધાને કહ્યું, “મને જાણીને આનંદ થયો કે જે સ્થળ માટે 2014 માં મેં મહાબોધિવૃક્ષનો છોડ ભેટ આપ્યો હતો તે હવે વૃક્ષ બની રહ્યો છે. પશુપતિધામ હોય, મુક્તિધામ હોય, જનકપૂર ધામ હોય કે લુમ્બિની હોય, જ્યારે-યારે નેપાળ આવવાનું થાય છે ત્યારે નેપાળ આશીર્વાદથી કૃતાર્થ કરી દે છે.”

    નેપાળના વડાપ્રધાનના નિમંત્રણ પર નેપાળની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા યાત્રા પહેલાં જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ભારત અને નેપાળના સબંધો અદ્વિતીય છે.’ તેમણે બંને દેશો વચ્ચેના સબંધો વધુ ઊંડા કરવા અંગે પણ વાત કરી હતી. ઉપરાંત તેમણે બંને પક્ષ જળવિદ્યુત, વિકાસ અને સંપર્ક સહિતના મુદ્દે સાથે આવે તેવું આહવાન કર્યું હતું. 

    અહીં એ પણ નોંધવું જોઈએ કે હાલના દિવસોમાં નેપાળ બહુ ચર્ચામાં રહ્યું છે. થોડા દિવસો પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો પાર્ટી કરતો વિડીયો વાયરલ થયો હતો, જે નેપાળના એક ક્લબનો હતો. રાહુલ ગાંધી તેમની મિત્રના લગ્નમાં સામેલ થવા માટે નેપાળની મુલાકાતે ગયા હતા. તેમની સાથે એક ચીની યુવતી પણ જોવા મળી હતી, જેના વિશે ચર્ચા ચાલી હતી કે તે ચીનની રાજદૂત હતી.

    ‘ઇસ્લામ કબૂલ કરો અથવા જેલમાં જાઓ’ :  પશ્ચિમ બંગાળની હિંદુ મહિલાઓએ ઇન્સ્પેક્ટર પર લગાવ્યો ધર્માંતરણ માટે દબાણ કરવાનો આરોપ, પોલીસે આરોપો નકાર્યા 

    પશ્ચિમ બંગાળમાં હિન્દુ મહિલાઓના એક જૂથે એક પોલીસ ઈન્સ્પેક્ટર પર ધર્મપરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપી પોલીસ ઈન્સ્પેક્ટર સ્ટેશનના ઈન્ચાર્જ તરીકે કામ કરે છે. આ ઘટના માલદા જિલ્લાના કાલીચક બજારની છે. ભાજપ મહિલા નેતાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટના સામે આવી છે. આ ઘટનાના વિરોધમાં દેખાવો પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે.

    પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શનમાં અંગ્રેજી બજાર વિસ્તારમાં પોસ્ટ ઓફિસની પાસે ઘણા પોસ્ટરો જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં પોલીસ અધિકારી પર ધર્મપરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવીને ધર્મ પરિવર્તન ન કરવા અને લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ મહિલા નેતાના જણાવ્યા અનુસાર આ પ્રદર્શન 3 મહિલાઓ દ્વારા યોજવામાં આવ્યું હતું.

    ભાજપના નેતાએ આ મહિલાઓને સલામ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના પતિને જેલમાં રાખવામાં આવ્યા છે. મહિલા આગેવાન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આપણે આ પીડિતો તરફ ધ્યાન આપી રહ્યા નથી. મહિલા નેતાએ કહ્યું, “તેમનો સંઘર્ષ ધર્મપરિવર્તન ન કરવા માટે છે જ્યારે તેમના પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. તે બહાદુરીની નિશાની છે.” આ દરમિયાન વીડિયોમાં કેટલાક ભગવા પોસ્ટર પણ દેખાઈ રહ્યા છે. તે ભગવા પોસ્ટરો પાછળ 3 વિરોધ કરી રહેલી મહિલાઓ દેખાઈ રહી છે.

    બીજેપી નેતાએ પહેલા બેનર બતાવ્યું જેમાં લખ્યું હતું, “કાલિયાચક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે અમને ઈસ્લામ સ્વીકારવાનું કહ્યું છે. પરંતુ અમે મુસ્લિમ નહીં બનીએ. તેઓ અમારા પર તમામ પ્રકારનું દબાણ લાવી રહ્યા છે.” અન્ય બેનર પર લખવામાં આવ્યું છે કે, “જો અમે તેમની વાત નહીં સાંભળીએ તો અમને સતત હેરાન કરવામાં આવશે અને અમારી ધરપકડ કરવામાં આવશે.” આ જ વીડિયો સાથે બીજેપી નેતાએ કહ્યું કે, અમને ડર છે કે જલ્દી બંગાળ બાંગ્લાદેશ ન બની જાય. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને ઘૂસણખોરી કરવા માટે છૂટ આપી છે. હવે આપણે બધાએ એક થવું પડશે. આ કોઈ એક વ્યક્તિની લડાઈ નથી.”

    આ ઘટનાની નિંદા કરતા પશ્ચિમ બંગાળના બીજેપીના વડા સુકાંત મજુમદારે કહ્યું કે, “કાયદાના રક્ષકો જ ગરીબ હિંદુઓને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરી રહ્યા છે. હવે હિંદુઓની સ્વતંત્રતા અને ધાર્મિક અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. પીડિત પરિવારની ફરિયાદને ગંભીરતાથી લેવી જોઈએ અને આરોપી પોલીસકર્મીને નોકરીમાંથી કાઢી મૂકવો જોઈએ. જો આમ નહીં થાય તો ભાજપ રસ્તા પર ઉતરશે અને આંદોલન કરશે.” ભાજપ બંગાળએ પણ આ ઘટનાને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

    મેઘાલયના પૂર્વ ગવર્નર તથાગત રોયે પણ આ ઘટના પર ટ્વીટ કર્યું અને લખ્યું કે બંગાળી હિંદુ સમુદાય તેમના પર થયેલા અત્યાચારને સરળતાથી ભૂલી જાય છે.

    બીજી તરફ, માલદા પોલીસે આ આરોપોને નકારી દીધા છે. માલદા પોલીસના જણાવ્યા અનુસાર, “ઈન્સ્પેક્ટર મદન મોહન રોય 31 જાન્યુઆરી 2022 સુધી કાલિયાચક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ હતા અને હાલમાં ઈન્સ્પેક્ટર ઉદય શંકર ઘોષની પોસ્ટિંગ છે. તેમણે હંમેશા પીડિત પરિવારને કાયદેસર રીતે સમર્થન અને સમર્થન આપ્યું છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, “મામલો નવેમ્બર 2021થી શરૂ થયો હતો. ત્યારબાદ બંને ભાઈઓને એસડીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમાંથી એકનું નિવેદન પણ કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. કોર્ટમાં બંનેએ કોઈપણ દબાણ વગર પોતાની મરજીથી ધર્મ પરિવર્તનની વાત કરી હતી. ત્યારપછી આ કેસમાં કોઈ ફરિયાદ મળી નથી. જો આ મામલે ફરિયાદ મળશે તો નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.”

    ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ : ફેનિલની સજા યથાવત રાખવા ગુજરાત સરકાર હાઇકોર્ટમાં, સુરત કોર્ટે સંભળાવી છે ફાંસીની સજા

    સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ મામલે યુવતીની સરાજાહેર હત્યા કરી નાંખનાર ફેનિલ ગોયાણીને સુરતની સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. હવે ફેનિલની આ સજા યથાવત રાખવા માટે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ મામલે હવે આગામી સમયમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    અત્રે નોંધનીય છે કે કાયદા અનુસાર રાજ્ય સરકારે મૃત્યુદંડની સજા મામલે હાઇકોર્ટમાંથી અનુમતિ લેવી પડે છે, અને જેના વગર સજાનો અમલ થઇ શકતો નથી. ગત પાંચમી મૅના રોજ સુરતની સેશન્સ કોર્ટે ફેનિલને ફાંસીની સજા સંભળાવી હતી. હાલ ફેનિલ ગોયાણી સુરત પાસેના લાજપોર સ્થિત મધ્યસ્થ જેલમાં બંધ છે. 

    ફેનિલ ગોયાણીએ ગત 14મી ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. ફેનિલ યુવતીના પ્રેમમાં હતો અને જે મામલે યુવતીએ ઇનકાર કરતા તેણે ગ્રીષ્માના ઘરે ધસી જઈને ધમાલ કરી હતી અને ત્યારબાદ જાહેરમાં સેંકડો લોકોની સામે ચપ્પુ વડે યુવતીનું ગળું રહેંસી નાંખ્યું હતું. જ્યાં સ્થળ પર જ યુવતીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. તદુપરાંત, ફેનિલે યુવતીના કાકા અને ભાઈ ઉપર પણ હુમલો કર્યો હતો.

    યુવતીની હત્યા કરી નાંખ્યા બાદ હત્યારા ફેનિલે પણ ચપ્પુ વડે ઘા મારી નસ કાપી નાંખવાના પ્રયાસ કર્યા હતા. જોકે, તે પહેલા તેને પકડી લેવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી સાજો થયા બાદ પોલીસે તેને હિરાસતમાં લીધો હતો અને ત્યારબાદ તેને સાથે રાખીને તપાસ શરૂ કરી હતી. 

    ફેનિલ ગોયાણીની ધરપકડ કરવામાં આવ્યા બાદ માત્ર છ દિવસની અંદર પોલીસે 2500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 190 સાક્ષી, 27 પ્રત્યક્ષદર્શી, 25 પંચનામાં, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, એની ઓડિયો-ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા જોડવામાં આવ્યા હતા. જે બાદ 23 ફેબ્રુઆરીના રોજ કેસ કઠોર કોર્ટમાંથી સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 

    જે બાદ 28 એપ્રિલના રોજથી ટ્રાયલ શરૂ થઇ હતી, જે 6 એપ્રિલ સુધી ચાલી હતી. જે બાદ બંને પક્ષે દલીઓ પૂર્ણ થયા બાદ 21 એપ્રિલના રોજ ફેનિલને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને પાંચમી મૅના રોજ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી. 

    ગ્રીષ્માના હત્યારા ફેનિલને સજા સંભળાવતા કોર્ટે આ કેસને રેરેસ્ટ ઑફ ધ રેર કેસ ગણાવ્યો હતો. કોર્ટે ગુનાની ગંભીરતાને જોતાં ગુનેગારને ફાંસીની સજા ફટકારી હતી. જે બાદ તેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હાલ તે લાજપોર જેલમાં જ બંધ છે.

    ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ મામલે ફેનિલને સુરતની કોર્ટ તરફથી ફાંસીની સજા સંભળાવવામાં આવ્યા બાદ કાયદા અનુસાર હવે સરકાર હાઇકોર્ટમાં પહોંચી છે, જ્યાંથી ફેનિલની સજાનું કન્ફર્મેશન મેળવવામાં આવશે. 

    એક તરફ રેપ કેસના આરોપી મંત્રીપુત્રને શોધી રહી છે પોલીસ, બીજી તરફ ચિંતન શિબિરમાં જોવા મળ્યા કોંગ્રેસ સરકારના મંત્રી 

    રાજસ્થાન કોંગ્રેસ સરકારના મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશી પર એક 23 વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ આ મામલે દિલ્હીમાં કેસ દાખલ થયો હતો. જે બાદ દિલ્હી પોલીસની 15 સભ્યોની એક ટીમ રોહિતની અટકાયત માટે ગઈકાલે રાજસ્થાનના જયપુર પહોંચી હતી. એક તરફ જ્યાં બળાત્કાર કેસની તપાસ કરતી દિલ્હી પોલીસ મંત્રીપુત્રની શોધખોળ કરી રહી છે ત્યાં બીજી તરફ રાજસ્થાન સરકારના મંત્રી આજે કોંગ્રેસની ચિંતન શિબિરમાં જોવા મળ્યા હતા.

    રાજસ્થાન કોંગ્રેસ સરકારના મંત્રી અને બળાત્કાર કેસના આરોપી મંત્રી પુત્ર રોહિત જોશીના પિતા મહેશ જોશી આજે ઉદયપુર ખાતે આયોજિત ચિંતન શિબિરમાં જોવા મળ્યા હતા. અહીં નોંધનીય છે કે તેમને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. 

    ગઈકાલે દિલ્હી પોલીસની ટીમ મંત્રી મહેશ જોશીના બે નિવાસસ્થાનોએ પહોંચી હતી પરંતુ આરોપી રોહિત જોશીનો પત્તો મળ્યો ન હતો. જે બાદ પોલીસે દીવાલ પર નોટિસ ચોંટાડીને આરોપીને 18 મૅ સુધીમાં પોલીસ મથકે હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું. 

    આ મામલે રાજસ્થાન સરકારના મંત્રી મહેશ જોશીએ ઇન્ડિયા ટૂડે સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “મને જણાવવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ જયપુર પહોંચી છે. કાયદાનું પાલન થવું જ જોઈએ અને સત્ય બહાર આવવું જ જોઈએ. પરંતુ આમાં મીડિયા ટ્રાયલને સ્થાન ન હોવું જોઈએ. તેમણે દાવો કરતા કહ્યું કે દિલ્હી પોલીસે તેમનો સંપર્ક કર્યો નથી અને જો કરશે તો તેઓ બળાત્કાર કેસની તપાસમાં મદદ કરશે. જોકે, તેમનો પુત્ર જયપુરમાં છે કે નહીં તે અંગે તેમણે કંઈ જણાવ્યું ન હતું. 

    જોકે, આ સમગ્ર બાબતમાં કોંગ્રેસના મંત્રી ઉદયપુરમાં બેસીને તપાસમાં મદદરૂપ થવાની તૈયારી બતાવે એ હકીકત હાસ્યાસ્પદ છે. ઉપરાંત તે કોંગ્રેસ ઈકોસિસ્ટમ અને તેની માનસિકતા વિશે પણ ઘણું બધું કહી જાય છે. એક તરફ કોંગ્રેસના મંત્રીના પુત્ર પર બળાત્કાર જેવા ગંભીર ગુનાનો આરોપ લાગ્યો છે અને બીજી તરફ અનેક વખત મહિલાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદોમાં રહેલી પાર્ટીના સભ્ય તેના પિતા બેફિકર જણાઈ રહ્યા છે અને તપાસને પ્રાધાન્ય આપવાને બદલે કે તેમના રેપ કેસના આરોપી પુત્રને શોધવામાં મદદ કરવાને બદલે કોંગ્રેસ નેતા પાર્ટી દ્વારા આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા છે. 

    પ્રિયંકા ગાંધીનું લડકી હૂં, લડ સકતી હૂં અભિયાન 

    પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અનેક વખત મહિલા સશક્તિકરણ પર ભાષણો આપી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહિલા સશક્તિકરણ મુદ્દે ચૂંટણી લડવા માટે ‘લડકી હૂં, લડ સકતી હૂં’ અભિયાન પણ લૉન્ચ કર્યું હતું. 

    જોકે, ઉત્તર પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ અને પ્રિયંકા ગાંધીના આ અભિયાનનો મુખ્ય ચહેરો રહેલા ડૉ. પ્રિયંકા મૌર્યએ પણ પ્રિયંકા ગાંધીના આ અભિયાનને એક દેખાડો ગણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પાર્ટીને મહિલા વિરોધી અને ઓબીસી વિરોધી ગણાવીને કહ્યું હતું કે, આ અભિયાન તેમની પાર્ટી દ્વારા તેમને આપવામાં આવેલ એક લૉલીપૉપથી વિશેષ કંઈ ન હતું. 

    કોંગ્રેસ અને મહિલા સશક્તિકરણના દેખાડા 

    એક તરફ કોંગ્રેસ પાર્ટી મહિલા સશક્તિકરણની વાતો કરતી રહે છે પરંતુ બીજી તરફ પાર્ટીએ મહિલાઓનું અપમાન કર્યું હોય તેવા અનેક કિસ્સાઓ છાશવારે બહાર આવતા રહે છે. ગત વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હરિયાણા કોંગ્રેસ નેતા ભુપિન્દર સિંઘ હુડ્ડાની આગેવાનીમાં રાજ્ય સરકારના વિરોધમાં એક માર્ચ યોજાઈ હતી. આ ‘ટ્રેકટર માર્ચ’માં મહિલા કોંગ્રેસ નેતાઓ જાતે ટ્રેકટર ખેંચતા દેખાયા હતા. 

    થોડા વર્ષો અગાઉ, કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંઘે મધ્યપ્રદેશ કોંગ્રેસના પાર્ટી સેક્રેટરી મીનાક્ષી નટરાજનના વખાણ કરતી વખતે તેમના માટે ક્ષોભજનક અને બીભત્સ શબ્દો વાપર્યા હતા. ઉપરાંત, અનેક વખત તેઓ ભાજપ નેતા સ્મૃતિ ઈરાની માટે પણ મહિલા વિરોધી અને અશોભનીય શબ્દો વાપરી ચૂક્યા છે. 

    મહિલાઓ અંગે ટિપ્પણી કરવામાં રાહુલ ગાંધી પણ પાછળ રહ્યા નથી. એકવાર તેમણે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, શું તમે ક્યારેય RSS માં કામ કરતી મહિલાઓને ટૂંકા વસ્ત્રો પહેરતી જોઈ છે? તદુપરાંત, 2019 લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક ખેડૂત રેલી સંબોધતા કહ્યું હતું કે, “56 ઇંચની છાતીની વાતો કરતા વડાપ્રધાન જનતાની અદાલતમાં (સંસદમાં) જતા નથી. અમે રક્ષામંત્રીના ભાષણનો વિરોધ કર્યો તો 56 ઇંચની છાતીવાળા વડાપ્રધાને પોતાનો બચાવ કરવા માટે એક મહિલાને આગળ ધરી દીધા.”

    એક મહિલાએ આપેલા જવાબનું રાહુલ ગાંધીને એવું દુઃખ પહોંચ્યું હતું કે તેમણે સ્વતંત્ર ભારતના પહેલા મહિલા રક્ષામંત્રી નિર્મલા સીતારમણને માત્ર એક ‘મહિલા’ ગણાવીને તેમનું અપમાન કર્યું હતું. એક તરફ રાહુલ ગાંધી પોતે જ નિવેદન આપી ચૂક્યા છે કે, “ભાજપની વિચારસરણી છે કે, જ્યાં સુધી મહિલા કંઈ બોલે નહીં ત્યાં સુધી ઠીક છે, જેવી એ અવાજ ઉઠાવે કે તેને ચૂપ કરાવો.” પરંતુ હવે જ્યારે એક મહિલાએ તેમને જવાબો આપ્યા તો રાહુલ પરેશાન થઇ ગયા હતા.

    વધુ એક કિસ્સામાં, ગત વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસે યૌન ઉત્પીડનના આરોપી કોંગ્રેસ કાર્યકર્તા રણજિત મુખર્જીને બહાલ કરીને ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને સિક્કિમના સચિવ બનાવી દીધા હતા. 

    કોંગ્રેસ અને મહિલાઓ સાથે થતા ગુનાઓ પર થતું રાજકારણ 

    ટૂંકમાં પાર્ટીને બળાત્કાર પીડિતો પ્રત્યે પણ બહુ સહાનુભૂતિ નથી. અમુક જ મામલાનો વિરોધ કરવો અને અમુકમાં ચૂપ રહેવાની તેમની માનસિકતા પ્રજાથી છુપી રહી નથી. 

    ઉત્તરપ્રદેશના બે કમનસીબ બનાવો હાથરસ અને લખીમપુર મામલે પણ કોંગ્રેસે રાજકીય ફાયદો મેળવવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ મીડિયામાં પ્રસારિત કરવા માટે પીડિતો સાથે ફોટા પડાવવાની એકેય તક જતી કરી ન હતી. યુપી ચૂંટણી પહેલાં પ્રિયંકા ગાંધી વાડ્રાની સોશિયલ મીડિયા ટાઈમલાઈન આવાં જ રાજકીય ગતકડાંથી ભરેલી હતી. 

    બીજી તરફ, તેમની પાર્ટી દ્વારા જ શાસિત રાજસ્થાનમાં વધતા જતા ક્રાઇમ રેટને પાર્ટી સતત નજરઅંદાજ કરતી આવી છે. નવેમ્બર 2021માં ઑપઇન્ડિયાએ કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનમાં મહિલાઓ સાથે થયેલા દુષ્કર્મો અને અન્ય ગુનાઓ અંગે વિગતો પ્રસારિત કરી હતી. પરંતુ ઉત્તર પ્રદેશની દુઃખદ ઘટનાઓમાં રાજકારણ રમવામાં વ્યસ્ત થઇ ગયેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ એ તરફ ધ્યાન પણ આપ્યું ન હતું.. 

    એ વાત પણ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ નેતાઓએ ન માત્ર મહિલાઓ સાથે થઇ રહેલા ગુનાઓને નજરઅંદાજ કર્યા છે, પરંતુ કેટલાકે તેની ઉપર ગર્વ પણ લીધો છે. આ જ વર્ષે માર્ચ મહિનામાં વિધાનસભામાં સંબોધન કરતી વખતે સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલ કહ્યું કે, રાજસ્થાન રેપ કેસમાં પહેલા નંબરે છે કારણ કે આ હંમેશા મર્દોનું ક્ષેત્ર રહ્યું છે. એટલું જ નહીં, યૌન ઉત્પીડન પર ધારીવાલની આ ટિપ્પણી પર તેમના સાથી કોંગ્રેસ સભ્યો હાંસી ઉડાવી રહ્યા હતા અને કોઈએ તેમનો વિરોધ પણ કર્યો ન હતો. 

    રાજસ્થાન સરકારના મંત્રીના પુત્ર પર 23 વર્ષીય મહિલાના ગંભીર આરોપો 

    પીડિતાએ ફરિયાદમાં કહ્યું કે, તેઓ બે વર્ષ પહેલાં ફેસબુક થકી મિત્રો બન્યાં હતાં. જે બાદ આરોપીએ લગ્નની લાલચ આપીને પીડિતા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ ફરિયાદમાં આરોપીએ તેની ઉપર હુમલો કર્યો હોવાનું અને તે ગર્ભવતી બની ગઈ ત્યારે ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. 

    ​​પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, ગત આઠ જાન્યુઆરીએ રોહિત તેને સવાઈ માધોપુર ખાતે તેના એક મિત્રના ઘરે લઇ ગયો હતો. ત્યાં તેણે પીડિતાને માદક દ્રવ્યો પીવડાવી બળાત્કાર કર્યો હતો અને જ્યારે એ બેભાન થઇ ગઈ હતી ત્યારે તેની નગ્ન તસવીરો લઇ લીધી હતી.

    પીડિતાની ફરિયાદના આધારે 9 મૅના રોજ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. રોહિત જોશી વિરુદ્ધ રેપ, અપ્રાકૃતિક સૅક્સ, મારપીટ અને બ્લૅકમેલિંગ સહિતના આરોપસર સાત ધારાઓ હેઠ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    જ્ઞાનવાપી સરવે: જ્યાં વર્ષો સુધી નમાઝ અગાઉ હાથ પગ ધોઈને કોગળા કરતા એ વઝુખાનામાંથી સરવે ટીમને મળ્યું શિવલિંગ

    અહેવાલો અનુસાર, વિવાદિત જ્ઞાનવાપી ઈમારતમાં મળેલું શિવલિંગ જ્ઞાનવાપી પરિસરના વઝુખાનામાંથી મળી આવ્યું હતું. અહેવાલો દાવો કરે છે કે કુવા જેવા તળાવની અંદરનું પાણી, જેનો ઉપયોગ મુસ્લિમો દ્વારા વઝુખાના તરીકે કરવામાં આવે છે, તેમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ શિવલિંગની શોધ થઈ હતી. સર્વેક્ષણ દરમિયાન શિવલિંગ મળી આવ્યા બાદ, સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રવિ કુમાર દિવાકરે વિવાદિત જ્ઞાનવાપી માળખું સીલ કરવાનો આદેશ આપ્યો હતો.

    પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે શિવલિંગની શોધ નોંધપાત્ર પુરાવો છે. કોર્ટે સીઆરપીએફ કમાન્ડન્ટને પરિસરને સુરક્ષિત કરવા અને મુસ્લિમોને પ્રવેશતા અટકાવવા જણાવ્યું હતું.

    વઝુખાના એટલે શું?

    વઝુખાના એક એવી જગ્યા છે જ્યાં નમાઝ અદા કરતા લોકો નમાઝ અદા કરતા પહેલા તેમના હાથ અને પગ ધોઈ લે છે. ઇસ્લામમાં તેનું મહત્વ છે કારણ કે તે એવી જગ્યા છે જ્યાં નમાઝ અદા કરતા પહેલા શરીરની ગંદકી ધોવાઇ જાય છે. મૂળભૂત રીતે વઝુખાના બે શબ્દો પરથી ઉતરી આવ્યો છે – વઝુ અને ખાના. વઝુ એટલે નમાઝ અદા કરતા પહેલા શરીરના ભાગોને ધોવા અને ખાના એ જગ્યા છે જ્યાં વઝુ કરવામાં આવે છે.

    વઝુ એ શારીરિક અંગો ધોવા માટેની એક ઇસ્લામિક પ્રક્રિયા છે, એક પ્રકારનું ઔપચારિક શુદ્ધિકરણ અથવા સ્નાન. વઝુને કેટલીકવાર ‘આંશિક સ્નાન’ તરીકે અર્થઘટન કરવામાં આવે છે, જે ગુસલની અવેજમાં થાય છે, જે ‘સંપૂર્ણ સ્નાન’ છે, જેમાં આખા શરીરને સ્નાન કરવામાં આવે છે.

    કુરાનમાં અધ્યાય 2 આયાત નંબર 222 મુજબ, “ભગવાન તે લોકોને પ્રેમ કરે છે જેઓ સતત તેની તરફ વળે છે. તે પોતાને શુદ્ધ અને સ્વચ્છ રાખનારાઓને પ્રેમ કરે છે.”

    જ્ઞાનવાપી માળખાનો સરવે

    વારાણસીની એક અદાલતે મુસ્લિમ સમુદાયના સભ્યોએ કોર્ટ દ્વારા અગાઉ આપેલા સરવેમાં અવરોધ ઊભો કર્યાના થોડા દિવસો બાદ 12 મેના રોજ વિવાદિત જ્ઞાનવાપી માળખાના વિડિયોગ્રાફિક સરવેનો આદેશ આપ્યો હતો. વારાણસીના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રવિ કુમાર દિવાકરે સરવેના નિર્દેશો જાહેર કર્યા હતા અને 17 મે સુધીમાં રિપોર્ટ સાથે સરવે હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. ત્રણ દિવસના કામ પછી, વિવાદિત માળખાનું સર્વેક્ષણ સોમવારે પૂર્ણ થયું હતું. સોમવારે, ટીમે નંદીની સામેની રચનાઓનું મૂલ્યાંકન કર્યું હતું.

    જ્ઞાનવાપી મસ્જિદ સંકુલ એ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા નાશ પામેલા પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના અવશેષો પર બાંધવામાં આવેલ વિવાદાસ્પદ બાંધકામ છે કારણ કે કુતુબ અલ-દિન ઐબક અને ઔરંગઝેબ જેવા ઇસ્લામિક આક્રમણકારો દ્વારા ઘણી વખત તોડફોડ કરવામાં આવી હતી.

    1780 માં, ઈન્દોરના અહિલ્યા બાઈ હોલકરે કાશી વિશ્વનાથ મંદિર સંકુલનું નિર્માણ કર્યું, જે વિવાદાસ્પદ મસ્જિદના બંધારણની બાજુમાં છે અને જ્યાં પૂજારીઓ પૂજા અને પ્રાર્થના કરી શકે છે.