તાજેતરમાં જંતર-મંતર પર કોકરોચોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘે 23 જુલાઈએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરવા માટે ગત બપોરથી અત્યાર સુધીમાં ચાર વખત ઔપચારિક પ્રસ્તાવ મોકલ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર યુવા વિદ્યાર્થીઓની તમામ સમસ્યાઓ અને મુદ્દાઓ પર કોઈપણ સમયે ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તત્પર અને તૈયાર છે.
મંત્રી જિતેન્દ્ર સિંઘે CJP અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને ચર્ચા માટે ખુલ્લું આહ્વાન આપતા કહ્યું કે, આ બેઠક કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના કાર્યાલય અથવા નિવાસસ્થાને યોજી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રસ્તાવિત બેઠકમાં તેઓ પોતે અને સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા બંને રૂબરૂ ઉપસ્થિત રહેશે, જેથી વિદ્યાર્થીઓની રજૂઆતો સીધી રીતે સાંભળી શકાય.
#WATCH | Delhi | On updated proposal for talks with Cockroach Janta Party, Union Minister Dr Jitendra Singh says, "I wish to share that in the last 24 hours as many as four offers were made to the student representatives for a dialogue. It is my humble appeal to the students on… pic.twitter.com/ytUgOiORui
— ANI (@ANI) July 23, 2026
પોતાના નિવેદનમાં મંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો કે સરકાર આ વિષયમાં પોતાની પ્રતિષ્ઠા કે મોભો વચ્ચે લાવવા નથી માંગતી. તેમણે નમ્રતાપૂર્વક અપીલ કરતા કહ્યું, “અમે કોઈ અહંકાર કે પ્રતિષ્ઠા પર ઊભા નથી. ચર્ચા અને સંવાદથી જ આપણે ધીમે-ધીમે ઉકેલ તરફ આગળ વધી શકીશું. વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા સતત પગલાંની શ્રેણીનો જ આ એક ભાગ છે.”
બીજી તરફ, આંદોલનનું નેતૃત્વ કરી રહેલી CJPના પ્રવક્તા અશુતોષ રાંકા અને સૌરવ દાસે મંત્રીના નિવાસસ્થાને કે કાર્યાલયે જઈને બેઠક કરવાનો ઇનકાર કર્યો છે. CJP એ માંગ કરી છે કે મંત્રીઓએ જંતર-મંતર ખાતેના ‘જનતા દરબાર’માં આવવું જોઈએ અથવા જો સુરક્ષાની ચિંતા હોય તો નજીકના કોઈ સ્થળે વાતચીત કરવી જોઈએ.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકની ઘટનાઓમાં સામેલ દોષિતોને ઝડપી અને કડક સજા આપવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. છતાં, જંતર-મંતર પર કોકરોચો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે અડગ છે.

