Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: પ્રેમલગ્ન બાદ ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરાયું, પતિ અને સાસુ-સસરા શારીરિક-માનસિક...

    વડોદરા: પ્રેમલગ્ન બાદ ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરાયું, પતિ અને સાસુ-સસરા શારીરિક-માનસિક ત્રાસ ગુજારતાં હિંદુ યુવતીની ફરિયાદ, કેસ દાખલ

    વડોદરામાં રહેતી એક યુવતીએ કેલ્વિન જસ્ટિન રાઠોડ તેમજ તેના મા-બાપ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી અને ત્રણેય તેને મેણાંટોણાં મારી, મારઝૂડ કરીને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હોવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    તાજેતરમાં જ વડોદરામાં એક ખ્રિસ્તી યુવકે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લીધા બાદ તેને હેરાન કરવાની ઘટના સામે આવી હતી ત્યારે શહેરમાંથી આવો જ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક યુવતીએ ખ્રિસ્તી યુવક અને તેના માતા-પિતા વિરુદ્ધ ફતેગંજ પોલીસ મથકે ગુનો ફરિયાદ નોંધાવ્યા બાદ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    વડોદરામાં રહેતી એક યુવતીએ ગત 2 જુલાઈના રોજ વડોદરાના ફતેગંજ પોલીસ મથક ખાતે કેલ્વિન જસ્ટિન રાઠોડ તેમજ તેના મા-બાપ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી અને ત્રણેય તેને મેણાંટોણાં મારી, મારઝૂડ કરીને શારીરિક-માનસિક ત્રાસ આપતાં હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હિંદુ યુવતીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. 

    ગત વર્ષે બંનેના ખ્રિસ્તી રીતરિવાજ પ્રમાણે લગ્ન થયાં હતાં

    - Advertisement -

    પ્રાપ્ત વિગતો અનુસાર, રહેતી હિંદુ યુવતીના લગ્ન 14 એપ્રિલ 2021ના રોજ કેલ્વિન રાઠોડ સાથે ખ્રિસ્તી રીતરિવાજ પ્રમાણે થયાં હતાં. તે બંને નાવ્યાર્ડ રોડ પર આવેલ હોન્ડા શૉરૂમ પર સાથે નોકરી કરતા હતા અને જ્યાં સાત મહિનાના પ્રેમસબંધ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. જે બાદ તેઓ કેલ્વિનના મા-બાપ સાથે એક જ ઘરમાં રહેતા હતા.

    યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, છ મહિના પહેલાં તે ઘરે હતી ત્યારે તેના સાસુ-સસરાએ ‘તું નોકરી કેમ કરતી નથી?’ અને ‘દહેજ પણ નથી લાવી’ તેમ કહીને પૈસાની માંગણી કરી હતી તેમજ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પણ દબાણ કર્યું હતું. ઉપરાંત તેનો પતિ કેલ્વિન પણ ત્યાં હાજર હોવા છતાં તેણે તેનો સાથ આપ્યો ન હતો. જે બાદ યુવતીએ દવા પીને આત્મહત્યા કરી લેવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સમયસર હોસ્પિટલમાં સારવાર કરાવતા જીવ બચી ગયો હતો. 

    બે મહિના પહેલાં ત્રણેયે માર માર્યો હતો

    યુવતીની ફરિયાદ અનુસાર, બે મહિના પહેલાં તેમની લગ્નની વર્ષગાંઠના દિવસે બહાર જમવા જવા માટે કહેતા પતિ, સાસુ અને સસરાએ તેને માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે બાદ યુવતી તેના પિયર જતી રહી હતી. જોકે, તેના એક મહિના બાદ તેના પતિએ લખાણ કરાવીને, સમાધાન કરીને ઘરે લઇ આવ્યો હતો. 

    જોકે, યુવતીએ કહ્યું છે કે ત્યારબાદ પણ તેને શારીરિક માનસિક ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું. જે બાદ તાજેતરમાં યુવતી સૂતેલ હતી ત્યારે પતિ કેળવીને તેને લાત મારીને ઉઠાડ હોવાનો અને કાન પર લાફો માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, તેને કેલ્વિન મરી જવાની ધમકી આપતો હોવાનો તેમજ ગંદી ગાળો આપતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. 

    ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ

    ઘટના બાદ યુવતીએ ફતેગંજ પોલીસ મથકે તેના પતિ કેલ્વિન રાઠોડ તેમજ સાસુ સંગતાબેન રાઠોડ અને સસરા જસ્ટિન જોસેફ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 498 (A) (પતિ કે પતિના સબંધી દ્વારા મહિલાનું ઉત્પીડન), 323 (જાણીજોઈને ઇજા પહોંચાડવી), 294 (b) (અશ્લીલ વર્તન), 506 (2) (ગુનાહિત ધમકી) અને 114 (ગુના સમયે દુષ્પ્રેરકની ઉપસ્થિતિ) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

    તપાસ કરનાર પોલીસ અધિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર કેલ્વિનને નોટીસ આપવામાં આવી છે અને પાંચ દિવસની અંદર પોલીસ મથકે હાજર નહીં થાય તો ધરપકડ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં