Saturday, July 27, 2024
More
    હોમપેજદેશઉત્તરાખંડમાં ટનલ ધરાશાયી થવાથી 36 કામદારો અંદર ફસાયા: બચાવ કામગીરી ચાલુ, પાઇપ...

    ઉત્તરાખંડમાં ટનલ ધરાશાયી થવાથી 36 કામદારો અંદર ફસાયા: બચાવ કામગીરી ચાલુ, પાઇપ દ્વારા અંદર ઓક્સિજન પહોંચાડાયો

    દુર્ઘટના ત્યારે થઈ જ્યારે નાઈટ શિફ્ટના કામદારો ટનલમાંથી બહાર આવી રહ્યા હતા અને આગળની શિફ્ટના કામદારો અંદર જઈ રહ્યા હતા. ટનલના મુખ્ય પ્રવેશદ્વારથી લગભગ 300 મીટર દૂર ઉપરના ભાગમાંથી કાટમાળ પડવાને કારણે ટનલ બંધ થઈ ગઈ હતી.

    - Advertisement -

    ઉત્તરાખંડમાં દિવાળીના દિવસે મોટો અકસ્માત થયો છે. ઉત્તરકાશીના સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. સુરંગની અંદર 30 થી 35 મજૂરો ફસાયા હોવાના સમાચાર છે. આ સંદર્ભે NDRF અને SDRFની ટીમો ટનલ ખાતે પહોંચી ગઈ છે અને રાહત અને રેસ્ક્યુ ચાલી રહ્યું છે. ટનલની અંદર પાઈપો દ્વારા ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે. તેમજ ટનલને વહેલી તકે ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    રિપોર્ટ અનુસાર, સવારે કામ કરતી વખતે ટનલ તૂટવા લાગી હતી. ટનલ ધરાશાયી થવાને કારણે તેની અંદર કામ કરતા 30 થી 35 મજૂરો અને અન્ય કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ઉત્તરકાશીના એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે.

    એસપી અર્પણ યદુવંશીએ પણ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે સુરંગમાં 36 લોકો ફસાયા છે. તેમણે કહ્યું કે સુરંગનો લગભગ 30 મીટર ભાગ કાટમાળથી ઢંકાયેલો છે. આનાથી આગળ ટનલ યોગ્ય સ્થિતિમાં છે. હાલમાં જ્યાં કામદારો ફસાયા છે ત્યાં ઓક્સિજન ઉપલબ્ધ છે અને બહારથી પાઈપો દ્વારા પણ ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે હજુ સુધી સુરંગમાં ફસાયેલા કામદારોનો સંપર્ક થયો નથી.

    - Advertisement -

    આ કિસ્સામાં, NHDCLના ભૂતપૂર્વ મેનેજરે જણાવ્યું હતું કે બ્રહ્મખાલ-પોલગાંવમાં નિર્માણાધીન રોડ ટનલ જે સિલ્ક્યારાથી લગભગ 2340 મીટર દૂર છે. સિલ્ક્યારા બાજુથી ટનલના 270 મીટર સેક્શન પાસે 30 મીટર વિસ્તારમાં કાટમાળ પડવાને કારણે લગભગ 35-40 મજૂરો ટનલની અંદર ફસાયેલા છે.

    ફસાયેલા કામદારોને બચાવવા માટે સુરંગમાંથી કાટમાળ ઝડપથી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ટનલની ઉપરની બાજુએથી વધુ કાટમાળ હટાવવામાં આવી રહ્યો હોવાના કારણે આ પ્રક્રિયામાં અવરોધ આવી રહ્યો છે. કારણ કે જે જગ્યાએથી કાટમાળ ટનલમાં આવી રહ્યો છે, ત્યાં સખત પથ્થર નથી.

    નોંધનીય છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે નાઈટ શિફ્ટના કામદારો ટનલમાંથી બહાર આવી રહ્યા હતા અને આગળની શિફ્ટના કામદારો અંદર જઈ રહ્યા હતા. ટનલના મુખ્ય પ્રવેશદ્વારથી લગભગ 300 મીટર દૂર ઉપરના ભાગમાંથી કાટમાળ પડવાને કારણે ટનલ બંધ થઈ ગઈ હતી. અહીંથી લગભગ 2700 મીટરની અંદર 40 થી 50 મજૂરો કામ કરી રહ્યા હતા.

    ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહ્યું છે ટનલનું બાંધકામ

    ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટની આ સૌથી લાંબી ટનલ લગભગ સાડા ચાર કિલોમીટરની છે. તેમાંથી લગભગ 4 કિલોમીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે. લગભગ 1000 મજૂરો સુરંગના નિર્માણમાં દિવસ-રાત લાગેલા છે. જેઓ અલગ-અલગ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. કારણ કે ફેબ્રુઆરી 2024 સુધીમાં તેનું ખોદકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

    યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને જંગલચટ્ટી વચ્ચે આ ટનલના નિર્માણથી ગંગોત્રી અને યમુનોત્રી વચ્ચેનું અંતર 26 કિમી ઘટી જશે. આ ટનલ લગભગ 853 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં