Thursday, April 25, 2024
More
    હોમપેજદેશ‘કાલે સિરિયલ જોઈ અને આજે ટેબલ પર ભભૂત મળી’: સાંઈ બાબાએ પરચો...

    ‘કાલે સિરિયલ જોઈ અને આજે ટેબલ પર ભભૂત મળી’: સાંઈ બાબાએ પરચો આપ્યો હોવાનો લાલુપ્રસાદ યાદવના મોટા પુત્રનો દાવો, કહ્યું- આવો ચમત્કાર ક્યારેય નથી જોયો

    - Advertisement -

    આમ તો લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ તેમના અટપટાં નિવેદનોના કારણે અવારનવાર ચર્ચાઓમાં રહેતા નજરે પડે છે, પરંતુ આ વખતે તેમણે કંઇક અલગ જ પ્રકારનો દાવો કર્યો છે. વાત એમ છે કે લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપને સાંઈ બાબાએ પરચો આપ્યો હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

    અહેવાલો અનુસાર લાલુ પ્રસાદ યાદવના દીકરા અને બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપને સાંઈ બાબાએ ચમત્કાર આપ્યો હોવાનો દાવો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે બુધવારે જ્યારે તેમને ઘરમાં અને ઓફિસમાં મળેલા પરબિડીયામાં સાંઈ બાબાની ભભૂત મળી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેજ પ્રતાપના જણાવ્યા અનુસાર આ પહેલાં તેમણે બાબાને યાદ કરીને તેમની પાસેથી ભભૂત માંગી હતી.

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર તેજ પ્રતાપે દાવો કર્યો છે કે સાંઈ બાબાએ તેમને પોતાનો ચમત્કાર બતાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, “હું ટીવી પર સાંઈ બાબાની સિરિયલ જોઈ રહ્યો હતો. આ સમય દરમિયાન મેં (સિરિયલમાં) જોયું કે સાંઈ બાબાની ભભૂતથી લોકોની બીમારીઓ દૂર થઈ રહી છે. ત્યારબાદ મેં સાંઈ બાબાને યાદ કર્યા અને વિચાર્યું કે મને પણ ઈચ્છા છે કે મને આ ભભૂત મળે. આ પછી જ્યારે હું ઓફિસ ગયો તો મને મારા ટેબલ પર સાંઈ બાબાના ભભૂતનું પેકેટ મળ્યું હતું.”

    - Advertisement -

    તેજ પ્રતાપે કહ્યું કે તેમણે પોતાના જીવનમાં આવો ચમત્કાર ક્યારેય જોયો નથી. તેમના સમર્થકોનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં સાંઈ બાબાના દર્શન કરવા શિરડી જશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તેઓ શિરડીના સાંઈ ટ્રસ્ટના સભ્ય છે. તેમના પિતાને પણ સાંઈ બાબામાં શ્રદ્ધા રહી છે. તેઓ શિરડીના સાંઈ ટ્રસ્ટના સભ્ય પણ છે. જોકે તેમણે કહ્યું કે તેણે પહેલા ક્યારેય ભભૂત મંગાવી નહોતી. તેજ પ્રતાપનું માનવું છે કે શિરડીના સાંઈ બાબાના ભભૂતનો પ્રયોગ કરવાથી તમામ રોગોથી મુક્તિ મળે છે.

    તેજ પ્રતાપ પોતાના દાવાઓને લઈને હેડલાઈન્સમાં રહે છે

    નોંધનીય છે કે તેજ પ્રતાપ યાદવ કાયમ ચર્ચામાં રહે છે. તેમણે પોતાને કૃષ્ણનો અવતાર પણ ગણાવ્યા છે. ક્યારેક તેઓ કૃષ્ણનો તો ક્યારેક શિવનો વેશ ધારણ કરીને પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરતા રહે છે. તેજ પ્રતાપ યાદવ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના વન અને પર્યાવરણ મંત્રી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં