Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતાપસીની ફિલ્મ 'દોબારા' ફ્લોપ: બોલીવુડને પડ્યાં પર પાટું, ઉપરા-ઉપરી ફિલ્મો ફ્લોપ જવા...

    તાપસીની ફિલ્મ ‘દોબારા’ ફ્લોપ: બોલીવુડને પડ્યાં પર પાટું, ઉપરા-ઉપરી ફિલ્મો ફ્લોપ જવા છતાં હિરોઈનો હોશિયારીમાંથી હાથ નથી કાઢતી

    તાપસી એ કહ્યું "અમારી ફિલ્મનો બહિષ્કાર કરો." જનતા એ તેમની ઇચ્છા પૂરી કરી.

    - Advertisement -

    બોલીવુડને પડ્યાં પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે, તાજેતરમાં રીલીઝ થિયેલી ફિલ્મો બોયકોટના કારણે ધડાધડ ફ્લોપ ગઈ છે, જેમાં લાલ સિંહ ચઢ્ઢા, રક્ષાબંધન જેવી મોટા બજેટની ફોલ્મો છે, હવે એમાં વધુ એક નામ ઉમેરવા જઈ રહ્યું છે. આ ફિલ્મ છે અનુરાગ કશ્યપે તાપસી પન્નું સાથે બનાવેલી “દોબારા”

    ‘દોબારા’ની રિલીઝ પહેલા તાપસી પન્નુએ બૉયકોટ બૉલીવુડ વિશે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેની ફિલ્મનો પણ બહિષ્કાર કરવો જોઈએ અને લોકોને તેની ફિલ્મનો બહિષ્કાર કરવા કહ્યું હતું. જેના પર નોટીઝન્સે તેની ઈચ્છા પૂરી કરવાની વાત કરી હતી.

    પોતાના નિવેદન બાદ તાપસી પન્નુંની ફિલ્મ “દોબારા”ને દર્શકોએ પહેલાજ દીવસે ઉંધે કાંધ નાખી હતી. મીડિયા અહેવાલ મુજબ પ્રથમ દિવસે બપોર સુધીના માત્ર 7 થી 8 % સીટો ભરેલી જોવા મળી હતી. જેના ઉપરથી અનુમાન લગાવી શકાય કે પહેલા દિવસે ફિલ્મે માંડ 35 થી 40 લાખનું કલેક્શન કરી શકી હશે.

    - Advertisement -

    થીયેટરોમાં માત્ર 2-3% ઓક્યુપન્સીના કારણે ઘણા થિયેટરોએ “દોબારા”ના અનેક શો પણ રદ કર્યા છે. આવી સ્થિતિમાં માત્ર 275થી 300 સ્ક્રીન્સ પર રિલીઝ થનારી ફિલ્મને લઈને બહુ આશા બાકી નથી.

    જાતે કુહાડા પર પગ માર્યો

    દોબારાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તાપસી પન્નુએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર હિન્દી ફિલ્મોના બહિષ્કારની માંગ એક મજાક સિવાય કંઈ નથી, આ બધું દર્શકોને નબળા પાડે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, “જો આવું કંઈક (કોલ્સ અને ટ્રોલિંગનો બહિષ્કાર) દરરોજ થાય તો લોકો તેનાથી પરેશાન થવાનું બંધ કરી દે છે, અને તે બધું એક “ફાલતું” વસ્તુ લાગવા લાગે છે. મારી એક ફિલ્મમાં આને લગતો એક સંવાદ છે. હું ઇન્ડસ્ટ્રી. બીજાઓ વિશે વાત ન કરી શકું, પરંતુ બોયકોટ મારા અને અનુરાગ માટે મજાક બની ગયું છે.”

    ફિલ્મ રીલીઝ થયાનાં પહેલા અનુરાગ કશ્યપ અને તપસી પન્નુંને એક ઈન્ટરવ્યું દરમિયાન આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને અક્ષય કુમારની ‘રક્ષા બંધન’ સામે ચાલી રહેલા બહિષ્કારના વલણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, “હું પોતે ઈચ્છું છું ‘હેશટેગ બોયકોટ કશ્યપ’ ટ્વિટર પર ટ્રેન્ડ ટ્રેન્ડ કરે. તે જ સમયે તાપસી પન્નુએ પણ આવો જ ઉડાઉ જવાબ આપ્યો હતો. તાપસીએ કહ્યું હતું કે, ‘કૃપા કરીને બધા અમારી ફિલ્મ ‘દોબારા’નો બહિષ્કાર કરો. જો આમિર ખાન અને અક્ષય કુમાર જેવા કલાકારોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો હોય, તો હું પણ આ લીસ્ટમાં સામેલ થવા માંગુ છું.

    અનુરાગે તાપસી સાથે બનાવેલી ફિલ્મ “દોબારા” પ્રથમ દિવસે જ નિષ્ફળ જવા પાછળ તેમના આ નિવેદનોને જવાબદાર માની શકાય, કહી શકાય કે તે બન્ને એ દર્શકો અને નોટીઝન્સને છંછેડીને પોતાના જ પગ ઉપર કુહાડો માર્યો. અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં