Wednesday, April 24, 2024
More
    હોમપેજગુજરાતઅડધી રાતે રોડની વચ્ચે આવેલ બે દરગાહ અને એક મંદિરનું ડિમોલિશન કરતી...

    અડધી રાતે રોડની વચ્ચે આવેલ બે દરગાહ અને એક મંદિરનું ડિમોલિશન કરતી સુરત મનપા: સહારા દરવાજા રીંગ રોડ પાસે કામગીરી

    ડિમોલિશનની આ કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. લોકોના રોષને જોતાં પોલીસે 14 જેટલા લોકોની અટકાયત કરી હતી.

    - Advertisement -

    ગત રાતે જયારે મોટાભાગના લોકો સુઈ રહ્યા હતા ત્યારે સુરત મહાનગર પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પોતાની કાર્યવાહીમાં લાગેલી હતી. સુરતના રીંગ રોડ સહારા દરવાજા પાસે મુખ્ય રોડ પર જ નડતરરૂપ બે દરગાહો અને એક મંદિર આવેલા હતા જેને મહાનગર પાલિકાએ દૂર કર્યા હતા.

    સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા મંદિર અને દરગાહનું ડિમોલિશન કરાયું છે. રીંગ રોડ સહારા દરવાજા પાસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રે 11.30 વાગ્યે મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલિશન કરાયું હતું. રીંગ રોડ પર આવેલા મંદિર, દરગાહને દૂર કરાયા છે.

    ઓવરબ્રિજ પાસેનું કાળી મંદિર હટાવાયું

    ગઇકાલે રાત્રે સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન પ્રક્રિયામાં રેલવે સ્ટેશનથી કાપડ માર્કેટના દબાણ દૂર કરાયા હતા. અહીં ઓવરબ્રિજ પાસે જ કાળી માતાનું મંદિરનું હતું. બ્રિજ ચડવાના એપ્રોચ પર મંદિર હતું.

    - Advertisement -

    જોકે, મનપાએ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ સુરત મનપાએ દબાણો દૂર કર્યા હતા. જાહેર રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરાયા હતા. મનપા કમિશનર શાલિની અગ્રવાલના માસ્ટર પ્લાન હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યા છે.

    બે દરગાહો પણ દૂર કરાઈ

    સુરત મહાનગર પાલિકા પોલીસ સાથે મળીને મંદિર અને દરગાહ ડિમોલિશન કર્યું છે. સુરતના રીંગ રોડ સહારા દરવાજા પાસે વર્ષો જૂની બીબી અમ્માની અને હાજી યુસુફની દરગાહ તેમજ મા કાળીનાં મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

    મહાનગરપાલિકા દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત્રે 11.30 કલાકે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે દરગાહના મુજાવર અને મંદિરના સંચાલકોને ડિટેઇન કરીને મધ્યરાત્રિએ ડિમોલિશનની કામગીરી કરી હતી.

    ડિમોલિશનની આ કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. લોકોના રોષને જોતાં પોલીસે 14 જેટલા લોકોની અટકાયત કરી હતી.

    રાતોરાત રસ્તો પણ બનાવી દેવાયો

    સુરતના રીંગરોડ સહારા દરવાજા પાસે વર્ષો જૂની દરગાહ અને મંદિરનું રાતોરાત ડિમોલિશન કરી ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ રસ્તો પણ બનાવી દીધો છે. સુરત મહાનગર પાલિકા (SMC) એ પોલીસ સાથે મળીને મંદિર અને દરગાહ ડિમોલેશન કર્યું છે. સાથે જ તંત્ર દ્વારા રાતોરાત ડામરનો રોડ બનાવી પોલીસ ખડકી દેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં