Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: પતિ વાજિદ જેલમાં ગયો અને જેઠ આરિફ-જાવેદે 1 વર્ષ સુધી બળાત્કાર...

    સુરત: પતિ વાજિદ જેલમાં ગયો અને જેઠ આરિફ-જાવેદે 1 વર્ષ સુધી બળાત્કાર કર્યો: પરિવારની મરજી વિરુદ્ધ નિકાહ કરનાર હિંદુ યુવતીની ફરિયાદ, બળજબરીથી ધર્માંતરણનો આરોપ

    યુવતીએ ફરિયાદમાં ગંભીર આરોપો લગાવતાં જણાવ્યું છે કે જ્યારે તેનો પતિ જેલમાં હતો ત્યારે તેને બે જેઠ જાવેદ અને આરિફે તેનું શારીરિક શોષણ કર્યું હતું અને વારંવાર બળાત્કાર કર્યો હતો.

    - Advertisement -

    સુરત ખાતે પરિવારની મરજી વિરુદ્ધ મુસ્લિમ યુવક સાથે નિકાહ કરનાર હિંદુ યુવતીએ હવે છ વર્ષ પછી પતિ અને સાસરિયાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ તેના બે જેઠ ઉપર શારીરિક શોષણ કરવાનો અને સાસુ-સસરા અને જેઠાણી વિરુદ્ધ આ બાબત અવગણીને ઉપરથી તેને જ ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત, તેનું ધર્માંતરણ કરાવીને નમાજ-કુરાન પઢવા દબાણ કરવામાં આવતું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. 

    મામલાની ફરિયાદ સુરતના લિંબાયત પોલીસ મથકે નોંધવામાં આવી છે. પોલીસે IPCની યોગ્ય કલમો હેઠળ મહિલાના પતિ અને તેના પરિવાર સામે કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ફરિયાદમાં હિંદુ મહિલાએ જણાવ્યું હતું કે, છ મહિના પહેલાં તેણે માતા-પિતાથી વિરુદ્ધ જઈને સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા વાજિદ નામના ઈસમ સાથે નિકાહ કર્યાં હતાં. નિકાહ બાદ વાજિદ તેને સંયુક્ત કુટુંબમાં રહેવા લઇ ગયો હતો. જ્યાં પહેલા બે મહિના તેને સારી રીતે રાખવામાં આવતી હતી પરંતુ પછીથી તેની ઉપર ધર્માંતરણ માટે દબાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમજ ઘરની અન્ય બાબતોને લઈને પણ તેને ત્રાસ આપવાનો શરૂ કરી દેવાયો હતો. 

    - Advertisement -

    ઇસ્લામ અપનાવવા દબાણ, મંદિરે જવાની મનાઈ 

    યુવતીની ફરિયાદ અનુસાર, પતિ અને તેના પરિવારે તેને ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરીને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી લીધું હતું. તેમજ તેને નમાજ પઢવા અને કુરાન વાંચવા માટે પણ સતત દબાણ કરવામાં આવતું હતું. જાણવા મળ્યા અનુસાર, નિકાહ બાદ તેનું નામ પણ બદલી નાંખવામાં આવ્યું હતું તેમજ તેને મંદિરે જવાની પણ ના પાડવામાં આવતી હતી. 

    બીજી તરફ, મરજી વિરુદ્ધ નિકાહ કર્યા હોવાને લીધે યુવતીનો પરિવાર પણ તેની સાથે સબંધો રાખતો ન હોવાના કારણે તેનો ફાયદો ઉઠાવીને મુસ્લિમ યુવકના પરિવારે ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાવમાં આવ્યું છે. તેમજ ઘરના અન્ય સભ્યો દ્વારા અપાતા ત્રાસની ફરિયાદ જ્યારે તે પતિને કરતી ત્યારે તે પરિવારનો પક્ષ લેતો અને તેમની સામે કંઈ પણ બોલવા પર ઘરે મોકલી આપવાની ધાકધમકી આપતો હતો. 

    વાજિદ જેલમાં ગયો અને જાવેદ-આરિફે મહિલા પર બળાત્કાર કર્યો, સાસુ-સસરાએ કહ્યું- અમારામાં આ બધું સામાન્ય 

    પહેલેથી જ માથાભારે ગણાતો વાજિદ વચ્ચે 15 મહિના માટે એક ગુનાહિત કેસમાં જેલમાં પણ રહી આવ્યો હતો. યુવતીએ ફરિયાદમાં ગંભીર આરોપો લગાવતાં જણાવ્યું છે કે જ્યારે તેનો પતિ જેલમાં હતો ત્યારે તેને બે જેઠ જાવેદ અને આરિફે તેનું શારીરિક શોષણ કર્યું હતું અને વારંવાર બળાત્કાર કર્યો હતો. આ બાબતની જાણ જ્યારે તેણે સાસુ-સસરાને કરી ત્યારે તેમણે ‘અમારામાં આ બધું સામાન્ય’ છે તેમ કહીને વાત ટાળી દીધી હતી. ઉપરાંત જ્યારે પતિ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે તેને ફરિયાદ કરતાં તેણે પણ આ વાત અવગણી દીધી હતી. 

    પતિ આવ્યાના એકાદ મહિનામાં તે ગર્ભવતી બની ગઈ હતી. પરંતુ તેના પતિએ તે બાળક પોતાનું ન હોવાનું કહીને અબોર્શન કરવા માટે દબાણ કર્યું હતું. જેનો મહિલાએ ઇનકાર કરતાં પતિએ માર માર્યો હતો. વારંવારના ત્રાસથી કંટાળીને પીડિતાએ આખરે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

    પોલીસે મહિલાના પતિ, સાસુ-સસરા, બે જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં