Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુપ્રીમ કોર્ટ શરિયા કોર્ટ બનવાના રસ્તે? ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ફેલાવેલ હિંસા અને હત્યા...

    સુપ્રીમ કોર્ટ શરિયા કોર્ટ બનવાના રસ્તે? ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ફેલાવેલ હિંસા અને હત્યા માટે નૂપુર શર્માને જવાબદાર ઠેરવતી સુપ્રીમ કોર્ટ

    કેસની સુનાવણી કરતા ન્યાયાધીશ સૂર્ય કાંતે કહ્યું કે, “જે રીતે તેમણે આખા દેશની ભાવનાઓ ભડકાવી છે..દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે તે માટે આ મહિલા જ એકલે હાથ જવાબદાર છે."

    - Advertisement -

    દેશની સુપ્રીમ કોર્ટે આજે ઉદયપુરમાં કન્હૈયાલાલની થયેલી હત્યા મામલે ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને જવાબદાર ઠેરવ્યાં છે અને કહ્યું છે કે તેમના નિવેદનના કારણે આખો દેશ ભડકે બળ્યો અને નૂપુરે આખા દેશની માફી માંગવી જોઈએ. 

    રિપોર્ટ અનુસાર, નૂપુર શર્માએ દેશનાં વિવિધ રાજ્યોમાં તેમની વિરુદ્ધ થયેલી તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં નૂપુર શર્માએ જણાવ્યું હતું કે, તેમને સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. જે મામલે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. 

    પરંતુ આઘાતજનક રીતે, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ઇસ્લામીઓએ ઇશનિંદામાં ખપાવી દીધેલી તેમની પયગંબર મોહમ્મદ પરની ટિપ્પણીને લઈને નૂપુર શર્મા પર જ સંપૂર્ણ દોષ ઢોળી દીધો અને ફટકાર લગાવતા કહ્યું કે, તેમના નિવેદનના કારણે આખો દેશ ભડકે બળ્યો અને જે માટે નૂપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ. 

    - Advertisement -

    ઇસ્લામવાદીઓએ ફેલાવેલી અરાજકતા અને ઇસ્લામિક પયગંબરની કોઈ પણ ટીકાને ‘ઇશનિંદા’માં ખપાવી દેતા પ્રતિકૂળ વિચારો માટે નૂપુર શર્માને દોષી ઠેરવી દેતા સુપ્રીમ કોર્ટે આશ્ચર્યજનક રીતે ઇસ્લામવાદીઓએ ફેલાવેલી હિંસા અને નફરતને અવગણી દઈને તે માટે એક મહિલાને જવાબદાર ઠેરવી દીધી, જેણે એ જ કહ્યું હતું જે ઇસ્લામી હદીસમાં લખવામાં આવ્યું છે અને દુનિયાભરના ઇસ્લામી વિદ્વાનો દ્વારા જેની પુષ્ટિ કરવામાં આવી છે.

    તથાકથિત સેક્યુલર અને લોકતાંત્રિક દેશનો અંતરઆત્મા ગણાતી સુપ્રીમ કોર્ટે આઘાતજનક રીતે મધ્યકાલીન ચર્ચની જેમ વર્તવાનું શરૂ કરી દીધું હતું.

    અહીં નોંધવું જોઈએ કે, ‘ઇશનિંદા’ના નામે ભારતમાં ઇસ્લામીઓ અનેક જઘન્ય હત્યાઓ કરી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટ પણ આ સારી રીતે જાણે છે. ઉપરાંત, નૂપુર શર્માની ટિપ્પણીઓ અન્ય પેનલિસ્ટ દ્વારા હિંદુ આસ્થા વિરુદ્ધ કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણીઓના પ્રતિકાર તરીકે કહેવામાં આવી હતી. નૂપુર શર્માએ પયગંબરના જીવનના ઉદાહરણોને ટાંકીને કહ્યું હતું કે, (જો અન્ય પક્ષ અપમાનજનક ટિપ્પણી સાથે હિંદુ ધર્મનું અપમાન કરતો રહે તો) તેઓ પણ તેમ કહી જ શકે છે. 

    પયગંબરની ઉંમર અને તેમની ત્રીજી પત્નીની ઉંમરનો વિશેષ સંદર્ભ ઇસ્લામિક હદીસોમાં ઉપલબ્ધ છે અને ઇસ્લામી વિદ્વાનો તથ્ય સાથે તેની પુષ્ટિ કરી ચૂક્યા છે. 

    સુપ્રીમ કોર્ટે ન માત્ર ઇસ્લામના નામે મજહબી કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલ હિંસા અને હત્યા માટે એક મહિલાને દોષી ઠેરવવાનું કર્યું છે પરંતુ તેમણે નૂપુર શર્માને કોઈ રાહત આપવાનો પણ ઇનકાર કરી દીધો છે અને તેમની વિરુદ્ધની તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરવાની તેમની અરજી પણ ફગાવી દીધી છે.

    નૂપુર શર્મા વિશે સુપ્રીમ કોર્ટનું કથન (તસ્વીર: લાઈવ લૉનો સ્ક્રીનશોટ)

    સુનાવણી દરમિયાન નૂપુર શર્માના વકીલે દલીલ કરી હતી કે નૂપુર શર્માએ માફી માંગીને તેમનું નિવેદન પરત ખેંચી લીધું હતું, પરંતુ તેને અવગણીને કોર્ટે સવાલ કર્યો કે તેમણે આવું નિવેદન આપવાની શું જરૂર હતી? નૂપુરના વકીલે એ પણ યાદ અપાવ્યું કે તેમણે માફી માંગી હતી તો કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, તેમણે માફી માંગી ત્યાં સુધીમાં ‘બહુ મોડું’ થઇ ચૂક્યું હતું અને તેમણે ટીવી પર આવીને આખા દેશની માફી માંગવી જોઈએ.

    નૂપુર શર્મા વિશે સુપ્રીમ કોર્ટનું કથન (તસ્વીર: લાઈવ લૉનો સ્ક્રીનશોટ)

    ન્યાયાધીશ સૂર્ય કાંત કહે છે, “જે રીતે તેમણે આખા દેશની ભાવનાઓ ભડકાવી છે..દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે તે માટે આ મહિલા જ એકલે હાથ જવાબદાર છે.

    અન્ય શબ્દોમાં, જસ્ટિસ સૂર્યકાંતે એ સ્પષ્ટ કર્યું કે, વાંક નૂપુર શર્માનો હતો કે તેમણે એવા શબ્દો કહ્યા જેનાથી ઇસ્લામીઓ ‘ઉશ્કેરાયા’ અને એ ઇસ્લામવાદીઓનો નહીં જેમણે કોઈની ટિપ્પણીને ‘ઇશનિંદા’માં ખપાવીને ખુલ્લેઆમ તેની હત્યાનું એલાન કરી દીધું હતું.  

    કોર્ટે એમ પણ નોંધ્યું કે, નૂપુર શર્મા દેશના અન્ય નાગરિકોને જેમ રાહત આપવાને પણ લાયક નથી. (એફઆઈઆર એક જ જગ્યાએ ટ્રાન્સફર કરવાના સંદર્ભમાં) સુપ્રીમે ન માત્ર એમ જાહેર કર્યું કે નૂપુર શર્માએ કહેલી વાતો અંગે બોલવાનો તેમનો કોઈ અધિકાર ન હતો પરંતુ પરોક્ષ રીતે તેમની હત્યા અને ફાંસી માટેના આહવાનને પણ યોગ્ય ઠેરવી દીધું હતું.

    નૂપુર શર્મા વિશે સુપ્રીમ કોર્ટનું કથન (તસ્વીર: લાઈવ લૉનો સ્ક્રીનશોટ)

    ટૂંકમાં, સુપ્રીમ કોર્ટે આજે નૂપુર શર્માને ‘ઇશનિંદા’ના ગુનેગાર ઘોષિત કરી દીધાં અને અનિવાર્ય રીતે તેમના શિરચ્છેદ અને હત્યાના ઇસ્લામિક આહવાનને યોગ્ય ઠેરવી દીધાં. તેમણે માત્ર ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા’ જેવા શબ્દોનો ઉપયોગ નહતો કર્યો. 

    હવે જ્યારે સુપ્રીમ કોર્ટે જાહેર કરી જ દીધું છે કે ઉદયપુરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરવા બદલ થયેલી હિંદુ વ્યક્તિની હત્યા માટે નૂપુર શર્મા જ જવાબદાર છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે જો નૂપુર શર્મા પોતે જ ઇસ્લામવાદીઓની હિંસાનાં શિકાર બની જાય તો દેશની સર્વોચ્ચ અદાલત એવું પણ કહી શકે છે કે તેઓ તેને જ લાયક છે!

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં