Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાની PMની મુલાકાત દરમિયાન મસ્જિદ-એ-નબવી (PBUH)માં સૂત્રોચ્ચાર કરવા બદલ મદીનામાં 6 પાકિસ્તાની...

    પાકિસ્તાની PMની મુલાકાત દરમિયાન મસ્જિદ-એ-નબવી (PBUH)માં સૂત્રોચ્ચાર કરવા બદલ મદીનામાં 6 પાકિસ્તાની નાગરિકોને જેલ

    પોતાના રાજદ્વારી સૂત્રોને ટાંકીને ચેનલે જણાવ્યું હતું કે મદીનાની અદાલતે અનસ, ઇર્શાદ, મુહમ્મદ સલીમને 10-10 વર્ષની જેલની સજા ફટકારી હતી, જ્યારે ખ્વાજા લુકમાન, મુહમ્મદ અફઝલ અને ગુલામ મુહમ્મદને 8-8 વર્ષની જેલની સજા ફટકારી હતી. દોષિતોને 20,000 સાઉદી રિયાલનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

    - Advertisement -

    એક ખાનગી ટીવી ચેનલે ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાની વડા પ્રધાન શેહબાઝ શરીફની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન મદીનામાં મસ્જિદ-એ-નબવી (PBUH)ની પવિત્રતાનું ઉલ્લંઘન કરવા માટે ઓછામાં ઓછા છ પાકિસ્તાની નાગરિકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

    પોતાના રાજદ્વારી સૂત્રોને ટાંકીને ચેનલે જણાવ્યું હતું કે મદીનાની અદાલતે અનસ, ઇર્શાદ, મુહમ્મદ સલીમને 10-10 વર્ષની જેલની સજા ફટકારી હતી, જ્યારે ખ્વાજા લુકમાન, મુહમ્મદ અફઝલ અને ગુલામ મુહમ્મદને 8-8 વર્ષની જેલની સજા ફટકારી હતી. દોષિતોને 20,000 સાઉદી રિયાલનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

    PM શેહબાઝ અને તેમના પ્રતિનિધિમંડળના મસ્જિદમાં આગમન પર, વિરોધીઓએ જ્યારે મોકો જોયો ત્યારે તેઓએ “ચોર, ચોર (ચોર)” ના નારા લગાવવાનું શરૂ કર્યું અને મરિયમ ઔરંગઝેબ વિરુદ્ધ હેરાન કરતા અને વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા હતા.

    - Advertisement -

    આ વર્ષે એપ્રિલમાં, કથિત રીતે પીટીઆઈ સાથે સંકળાયેલા વિરોધીઓના એક જૂથે મસ્જિદ-એ-નબવી (PBUH)ની પવિત્રતાનું ઉલ્લંઘન કર્યું હતું. તેઓએ વડા પ્રધાન શેહબાઝ શરીફ અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યો વિરુદ્ધ જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા, જયારે તેઓ રોઝા-એ-રસૂલ (PBUH) પર આદર સાથે પ્રાર્થના કરવા માટે મસ્જિદમાં પ્રવેશ્યા હતા.

    વિરોધીઓએ માહિતી પ્રધાન મરિયમ ઔરંગઝેબ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જમહૂરી વતન પાર્ટી (JWP)ના વડા અને નાર્કોટિક્સ નિયંત્રણના સંઘીય પ્રધાન શાહઝૈન બુગતી સાથે ગેરવર્તણૂક કરી હતી. પ્રદર્શનકારીઓએ તેમના મોબાઈલ ફોન વડે સમગ્ર ઘટનાક્રમનું શૂટિંગ પણ કર્યું હતું.

    ટ્વિટર પર આ વીડિયો શેર કરીને, એક યુઝરે લખ્યું, “ગૌરવિત પાકિસ્તાનીઓ, સાઉદી અરેબિયામાં આપણાં પીએમ અને તેમની પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) ગેંગનું કેવું અદ્ભુત સ્વાગત થયું તે જોઈને કૃપા કરીને ખુશ થાઓ.”

    આ ઘટના બાદ, રાજકીય અને ધાર્મિક નેતાઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકોએ આ ઘટના પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મસ્જિદ-એ-નબવી (PBUH) ખાતે રાજકીય સૂત્રોચ્ચારની સખત નિંદા કરી હતી. જે બાદ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં