Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજાલોરના વિદ્યાર્થીના મોત પાછળ જાતિ જવાબદાર નહીં: બાળ અધિકાર કમિશને રિપોર્ટમાં દલિત...

    જાલોરના વિદ્યાર્થીના મોત પાછળ જાતિ જવાબદાર નહીં: બાળ અધિકાર કમિશને રિપોર્ટમાં દલિત એન્ગલ નકાર્યો, એક જ ટાંકીમાંથી સૌ પાણી પીતા હોવાનો ખુલાસો

    રાજસ્થાનમાં દલિત બાળકનાં મોત મામલે જાતિવાદી રાજકારણ રમાઈ રહ્યું છે ત્યારે બાળ અધિકાર કમિશનના રિપોર્ટમાં નવા જ ખુલાસા થયા.

    - Advertisement -

    રાજસ્થાનમાં તાજેતરમાં ચર્ચામાં આવેલા દલિત વિદ્યાર્થીના મોત મામલે હવે સત્ય હકીકતો સામે આવવા માંડી છે. એક તરફ ઘટનાને જાતિવાદી એન્ગલ આપીને રાજકારણ રમવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે રાજસ્થાન બાળ અધિકાર કમિશને બાળકનાં મોત પાછળ જાતિનું કારણ જવાબદાર ન હોવાનો ખુલાસો કર્યો છે. 

    રાજસ્થાનના રાજ્ય બાળ અધિકાર કમિશને જાલોરના સુરાણા ગામની ખાનગી શાળાની મુલાકાત લીધી હતી. કમિશને તપાસ બાદ નોંધ્યું છે કે બાળકને મારવામાં જાતિનો મુદ્દો આધાર ન હતો. કમિશને શાળાના શિક્ષકો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે આ મામલે વાતચીત કરી હતી, જે બાદ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મૃતક વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થી સાથે ઝઘડો કર્યો હતો, જેને લઈને શિક્ષકે બંનેને માર માર્યો હતો. 

    અહીં નોંધવું જોઈએ કે આ શાળાના એક શક્ષકે ઇન્દ્રકુમાર મેઘવાલ નામના એક બાળકને તમાચો મારી દીધો હતો, જે બાદ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થઇ ગયું. આ મામલે જાતિવાદી એન્ગલ જોડવામાં આવી રહ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે દલિત વિદ્યાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પીવાના કારણે તેને માર મારવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    કમિશને પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે, મૃતક ઇન્દ્રનો મંગલરામ નામના એક સાથી વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. મંગલરામને ટાંકીને કમિશને નોંધ્યું કે તે જ સમયે ત્યાંથી પસાર થતા છૈલસિંહે બંનેને ઝઘડતા જોયા તો તમાચો મારી દીધો હતો. બે તમાચા માર્યા બાદ ઇન્દ્ર વર્ગખંડમાં ઢળી પડ્યો હતો અને તેની આંખ અને કાનમાં ઇજા પહોંચી હતી. 

    કમિશને રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે એ જ શાળામા ઇન્દ્રનો 13 વર્ષીય ભાઈ નરેશ કુમાર પણ અભ્યાસ કરે છે. તેણે જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન દરમિયાન માટલામાંથી પાણી પીવાના કારણે તેના ભાઈને મારવામાં આવ્યો હતો. 

    કમિશને આ મામલે જે વાત કહી છે તે જ વાત શિક્ષણાધિકારી અને જિલ્લા તંત્ર દ્વારા પણ કહેવામાં આવી છે. કમિશન અનુસાર, શાળામાં પાણી પીવા માટે કોઈ માટલું જ ન હતું અને શિક્ષક અને વિદ્યાર્થીઓ તમામ પાણીની ટાંકીમાંથી જ પાણી પીતા હતા. 

    આ ઘટના બાદ રાજકારણ પણ ખૂબ રમવામાં આવ્યું અને ભીમ આર્મી જેવી પાર્ટીઓ-સંગઠનોએ લોકોને ઉશ્કેરવાનું પણ કામ કર્યું હતું. બીજી તરફ, રાજ્યમાં કેટલાંક સંગઠનો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે અને મૃતક વિદ્યાર્થીના પરિજનોને 50 લાખના વળતર અને એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એક કરોડના વળતરની માંગ કરી છે. 

    બીજી તરફ, મૃતક વિદ્યાર્થીને મારનાર શિક્ષક છૈલસિંહ પર SC/ST એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. મૃતકના પિતા દેવારામ મેઘવાલે દાવો કર્યો હતો કે, 20 જુલાઈએ ઇન્દ્રે હેડમાસ્ટર છૈલસિંહના માટલામાંથી પાણી પી લીધું હતું, જે બાદ તેને ગાળો દઈને માર મારવામાં આવ્યો અને તેનું બ્રેન હેમરેજ થઇ ગયું અને જે બાદ હોસ્પિટલમાં તે મૃત્યુ પામ્યો હતો. 

    આ ઘટના મામલે શાળાના શિક્ષકે પણ શાળામાં પાણીનું માટલું હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ છેલ્લા 7 થી 8 વર્ષથી શાળામાં ફરજ બજાવે છે પરંતુ ક્યારેય ભેદભાવ હોવાનું જાણ્યું નથી તેમજ નાના બાળકો પણ કહે છે કે શાળામાં કોઈ માટલું છે જ નહીં અને તમામ ટાંકીમાંથી જ પાણી પીવે છે.

    બાળકની જાતિના જ એક શિક્ષકે કહ્યું કે, એવી વાતો ચાલી રહી છે કે વિદ્યાર્થીને પાણી પીવાના કારણે માર્યો હતો પરંતુ હકીકત એ છે કે શાળામાં ભેદભાવ જેવું કશું છે જ નહીં. આખી શાળામાં એક જ ટાંકી છે અને બધા તેમાંથી જ પાણી પીવે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે શાળામાં મોટાભાગના શિક્ષકે SC-ST છે, જેથી ભેદભાવનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં